________________
૬૬
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય કહ્યું કે “ભાગ્યયોગે ઉત્સવ પ્રસંગે આપણે ત્યાં મુનિરાજનું આગમન થયું છે.” “માર્ગથી થાકેલા હોય, ગ્લાન હોય, પારણું હોય, લોચ કર્યો હોય ત્યારે અથવા ઉત્તરપારણે મુનિરાજને દાન આપવામાં આવે તો તે બહુ લાભ આપનાર થાય છે. ત્યારબાદ શેઠે લક્ષ્મીચંદ્રને કહ્યું કેમુનિ મહારાજને સોળ મોદક વહોરાવ લક્ષ્મીચંદ્ર તે સાંભળીને વિચાર કર્યો કે-“મારા પિતા આમ કેમ કહે છે ? વળી વિવાહપ્રસંગે ઘણા મોદકો કરેલા છે તો સોળ જ શા માટે આપવા? એમ પરિમિતદાન દેવાથી અપાર લાભની પ્રાપ્તિ કેમ થાય ? માટે મુનિરાજને પુષ્કળ દાન આપું કે જેથી મને લાભ થાય.” આમ વિચારીને ઘણા હર્ષોલ્લાસપૂર્વક તેણે મુનિરાજને ગણ્યા વિના ઘણા મોદક વહોરાવ્યા. છેવટે મુનિ ભગવંતે ના પાડી ત્યારે અટક્યો. પછી મુનિભગવંતના ગયા બાદ શેઠ પૂજા કરીને બહાર આવ્યા અને પુત્રને પૂછ્યું કે-“મારા કહ્યા પ્રમાણે મોદક આપ્યા ? પુત્ર “હા' પાડી. તે વખતે શેઠે તેટલું પરિમિત પુણ્ય બાંધ્યું અને પુત્રે અપરિમિતિ મોદક આપવાથી અપરિમિત પુણ્ય બાંધ્યું.
પુત્રનો વિવાહ થયા પછી તે પુત્રને ઘણા પુત્રો થયાં. પિતા પુત્ર બંનેએ ઘણા વર્ષો સુધી નિરતિચારપણે શ્રાવકધર્મનું પાલન કર્યું. પ્રાંતે તે બંને પોતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
સત્ય, ધર્મ, પરાક્રમ, પ્રાણીદયા, પ્રિયવચન, દેવગુરુ અને અતિથિનું પૂજન-એ સજ્જન પુરુષોને સ્વર્ગગમનના માર્ગો છે.” સત્યથી, તપથી, ક્ષમાથી, દાનથી, અધ્યયનથી, તેમજ સર્વે જીવોના આશ્રયભૂત થવાથી મનુષ્યો સ્વર્ગગામી થાય છે. મન અને ઇન્દ્રિયોના સંયમમાં જેઓ અહર્નિશ રક્ત હોય છે. તથા જેઓ શોક, ભય તથા ક્રોધરહિત હોય છે તેઓ સ્વર્ગગામી છે એમ સમજવું. પોતાની ઉપર આક્રોશ કરનારને તેમજ સ્તુતિ કરનારને જેઓ સમભાવથી જુએ છે તેમજ જેઓ શાંત, દાંત અને જીતાત્મા છે તેઓ સ્વર્ગગામી થાય છે. મન, વચન, કાયાથી જેઓ અન્ય જીવોને પીડા ઉત્પન્ન કરતા નથી અને નિરંતર શુભભાવમાં વર્તે છે તેઓ સ્વર્ગે જ જાય છે.”
જૈનશાસનમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એમ ચાર પ્રકારના દેવો કહ્યા છે. તેમાં વૈમાનિક દેવો બે પ્રકારના છે, જ્યોતિષી પાંચ પ્રકારના, વ્યંતરદેવો આઠ પ્રકારના અને ભુવનપતિ દશ પ્રકારના કહ્યા છે. વૈમાનિકમાં સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ ને અશ્રુત નામના બાર દેવલોક છે. તેની ઉપર સુદર્શન, સુપ્રબુદ્ધ, મનોરમ, સર્વભદ્ર, સુવિશાળ, સુમનસ, સૌમનસ, પ્રીતિક અને આદિમંત નામના નવ રૈવેયક કહ્યા છે. તેની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ નામના પાંચ અનુત્તરવિમાનો કહ્યા છે. તેની ઉપર મુક્તિક્ષેત્ર એટલે કે સિદ્ધશિલા છે તે સ્થાન અનંત સુખનું ભાન છે તેમજ નિશ્ચલ, નિરાબાધ અને જરા-મરણથી રહિત છે.
દેવલોકમાં રાત્રિ દિવસનો કોઈ વિભાગ હોતો નથી, ત્યાં સદા શ્રેષ્ઠ રત્નોના પ્રકાશથી જાજવલ્યમાન વાતાવરણ હોય છે અને તે નેત્રને પણ પરમ સુખદાયક હોય છે. ત્યાં વર્ષાઋતુ, ગ્રીષ્મઋતુ કે શીતઋતુ-એવો ઋતુનો ફેરફાર હોતો નથી. ત્યાં નિરંતર સુખકારી અને સર્વદા