________________
૫
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય ઉત્પન્ન કરનારી થઈ. તે જ નગરીમાં એક શ્રેષ્ઠીનો સુદર્શન નામનો પુત્ર છે, તે રૂપવંત હોવાથી સુભગસુંદરીને તેના પ્રત્યે પ્રીતિ થઈ. તેથી તેની સાથે પ્રચ્છન્ન રીતે પાણિગ્રહણ કરવા માટે એક દૂતિને મોકલીને તે જ રાત્રિનો સંકેત કર્યો અને તે પણ જ્યાં દુર્ગક સુતો હતો, તે દુકાને જ આવવાનો સંકેત કર્યો. સંકેત પ્રમાણે વિવાહયોગ્ય સર્વ સામગ્રી લઈને તે શૂન્ય દુકાન પાસે આવી, સુદર્શન કોઈક કારણથી ત્યાં આવ્યો નહીં. સુભગસુંદરીએ તો આ સૂતેલ છે તે જ સુદર્શન
હશે એમ ધારીને તેને અંગે સ્પર્શ કરીને જગાડ્યો અને અંધકારમાં તેને વરના વસ્ત્ર પહેરવા આપ્યા પોતે પણ કન્યાયોગ્ય વસ્ત્ર ધારણ કર્યા. હાર, અર્ધહાર, બાજુબંધ, કુંડળાદિ આભરણો દુર્ગકને પણ પહેરવા આપ્યા અને પછી દાસીએ તે બન્નેને પાણિગ્રહણ સંબંધી ક્રિયા કરાવી સુભગસુંદરીએ પોતાની દાસીએ કહ્યું કે—આજે મારો મનોરથ પૂર્ણ થયો.' દાસીએ કહ્યું કે— ‘વિધાતા અનુકૂળ હોવાથી બધું સરસ થયું.' પછી સુભગસુંદરીએ સુદર્શનના નામથી દુર્ગકને બોલાવ્યો તેથી તે ગયો. પણ સ્વર જુદો જણાવવાથી આ સુદર્શન નથી એમ તેને લાગ્યું. મંત્રીપુત્રીએ તેને કહ્યું કે—‘તું કોણ છે ?’ તેણે કહ્યું કે—‘હું દુર્ગક છું,’ ત્યારે મંત્રીપુત્રીએ પ્રકાશ કરીને જોયું તો દરિદ્રી અને કૃશ એવો દુર્ગક દેખાયો. તેથી મંત્રીપુત્રી તો વિલખી થઈ ગઈ અને દુઃખી થઈને ઉંચે સ્વરે વિલાપ કરવા લાગી કે—‘અરે ! હું ઠગાણી, બળી ગઈ. મને આ દરિદ્રી પરણી ગયો. મારો સંકેત કરેલો પુરુષ તો આવ્યો નહીં.' આ પ્રમાણે બોલતી ચિંતામાં મગ્ન થયેલી તે શીઘ્રપણે ત્યાંથી પોતાને ઘેર ચાલી ગઈ અને પાણી વિના મત્સ્ય તરફડે તેમ બાકીની રાત્રિ તરફડીને પૂરી કરી. તેની માતાએ તેના કહેવાથી હકીકત જાણી એટલે તેણે પોતાના પતિને તે વાત કરી. તે પણ વિચારમાં પડ્યો.
તે નગરમાં વિક્રમધન નામના રાજાને કામદેવના ક્રિડાગૃહ જેવી અનંગશ્રી નામની પુત્રી હતી. તેણીએ પણ તે જ દિવસે રાજાના કોઈ સામંતના પુત્રની સાથે વિવાહ કરવા માટે ગુપ્તસંકેત કર્યો હતો. રાત્રિએ રાજમહેલની ઉર્ધ્વભૂમિમાં દીપક કરીને ગવાક્ષમાર્ગે અંધકારમાં નીચે માંચી મૂકીને તે પોતાના સંકેત કરેલા વરની આવવાની રાહ જોવા લાગી.,
આ તરફ મંત્રીપુત્રીના ગયા પછી દુર્ગકે વિચાર્યું કે—નિમિત્તિયાના કહેવા પ્રમાણે ‘એક વાત તો સાચી થઈ પણ તે સ્ત્રી મને પરણીને ગઈ ક્યાં ? આમ વિચારીને તેને શોધવા માટે તે દુર્ગક રાત્રે ત્યાંથી ઊઠીને આગળ ચાલ્યો. દૂર જતાં તેણે એક ગવાક્ષની નીચે દોરી સાથે બાંધેલી માંચી જોઈ. તેથી તે દુર્ગક કૌતુકથી માંચી ઉપર બેસીને દોરી હલાવી ત્યારે રાજપુત્રીએ જાણ્યું કે—‘મારો સાંકેતિક પુરુષ આવ્યો.' તેથી તેણે તરત દોરી ખેંચીને માંચી ઉપર લીધી. દાસી તેને માંચી ઉપરથી ઉતારી અંદર લઈ ગઈ. દૈવયોગે તે વખતે દિપક બુઝાઈ ગયો. એ વખતે રાજકુમારી કન્યાના વેશમાં તૈયાર થઈને આવી અને વિવાહની ઉત્સુકતા હોવાથી દિપક કર્યા વિના અંધકારમાં જ વિવાહની વિધિ થઈ. વિવાહ થઈ રહ્યા પછી અનંગશ્રી બહુ જ હર્ષિત થઈ. તેણે દાસીદ્વારા દુર્ગકને પૂછાવ્યું કે–‘હે સ્વામિન્ ! આવવામાં મોડું કેમ થયું ? આપને શરીરે કુશળ તો છે ?' દુર્ગક બોલ્યો કે—‘હું તો પરગામથી આવ્યો છું.' આ પ્રમાણેનો તેનો ઉત્તર સાંભળીને, પરગામથી આવેલ જાણીને તેમજ સ્વર જુદો જાણીને શંકા પડવાથી દીવો કરીને તેને જોયો. તે તો અન્ય પુરુષ લાગ્યો, દરિદ્રીને જોઈને રાજપુત્રી પશ્ચાત્તાપ કરવા લાગી. તેણે