________________
૫૭
તૃતીયઃ પલ્લવઃ શતાયુ, વેશ્યા, સૌભાગ્યવતી સ્ત્રી, મદ્ય અને માંસ-ઈત્યાદિ પદાર્થો પ્રસ્થાન કરતાં બહાર જતાં સામાં મળે તો તે હિતકારી–મંગળકારી કહ્યા છે.” વળી દુર્ગા (ચીબરી) સંબંધી પૂછવાથી તે સિદ્ધપુરુષ બોલ્યો કે–“પ્રયાણ વખતે જો દુર્ગા ડાબી ઉતરે તો શુભ છે, સુખ અને ધનને આપનારી થાય છે અને તે સુસ્થાનસ્થ હોય છે તો વિશેષે કરીને રાજયાદિ સંપદાને પણ આપનારી થાય છે. આ પ્રમાણે સાંભળીને તે દુર્ગક ઊભો થઈને ખુશ થતો થતો નાચવા લાગ્યો. તે જોઈને સિદ્ધ પૂછ્યું કે–“હે ભાઈ ! તું કેમ નાચે છે?” તે બોલ્યો કે–“હે સુંદર ! મારા હર્ષનું કારણ સાંભળો. તમે જે જે શુભ શકુનો કહ્યાં તે બધા મને આજે શહેર બહાર નીકળતાં થયાં છે. દુર્ગા પણ ડાબી ઉતરેલ છે, તેથી હું નાચું છું કે આજે આ દુર્ગક જરૂર કાંઈક સારો લાભ મેળવશે.” પેલા વિશે કહ્યું કે-“હે ભાઈ ! આજે તું દુર્ગાના શકુનથી જરૂર બે કન્યાસહિત રાજ્ય મેળવીશ.” આ પ્રમાણે સાંભળીને તે દુર્ગક નાચતો નાચતો આગળ ચાલ્યો. લાભની પ્રાપ્તિ જાણીને ક્ષીણ મનુષ્યો પ્રાયે અવશ્ય હર્ષિત થાય છે.'
આ પ્રમાણે નૃત્ય કરતો તે દુર્ગક આગળ ચાલ્યો. તેટલામાં અચાનક નજીકના નગરનો વિક્રમધન નામનો રાજા સેના સહિત સામો મળ્યો. તેણે નાચતાં અને આનંદ પામતાં આ માણસને જોઈને તેના હર્ષનું કારણ પૂછ્યું . તેથી દુર્ગક બોલ્યો કે–“હે ભૂમીશ ! મારા નૃત્યનું કારણ સાંભળો.” આજે મગનું પોટલું ઉપાડીને માર્ગે આવતાં મને સદ્ભાગ્યના ઉદયથી બહુ સારા શકુનો થયા છે. માર્ગે ખિન્ન થઈને વિસામો લેવા વનમાં બેસતાં ત્યાં મને એક નિમિતજ્ઞ મળ્યો. તેને શકુનોનું ફળ પૂછતાં તેણે મને આ પ્રમાણે કહ્યું કે–તને બહુ સારા શકુનો થયા છે તેના 'પ્રભાવથી તેમજ દુર્ગાના શકુનના પ્રભાવથી આજે જે બે કન્યાઓ સહિત રાજ્યની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને હર્ષ થવાથી હે રાજન્ ! હું નાચું છું. અપૂર્વ લાભ ની વાર્તા સાંભળીને કોને હર્ષ ન થાય ? આ પ્રમાણેની તેની હકીકત સાંભળીને રાજાએ દુર્ગક સામું જોઈને વિચાર કર્યો કે–આ માણસ સામગ્રી વિનાનો, નિર્ધન અને વિરૂપ છે અને પોતે નિંદ્ય વણિક હોવા છતાં તેને રાજયની અને કન્યાની ઇચ્છા જાગૃત થઈ છે. અહો ! લોભનો પ્રભાવ કેવો છે? આ પ્રમાણે વિચારીને કોપિત થયેલો રાજા પાછો રાજમહેલમાં ગયો અને ગામમાં સર્વત્ર ડાંડી પીટાવીને કહેવરાવ્યું કે-“આજથી પાંચ દિવસ સુધી કોઈએ બહારગામથી આવેલા મગ ખરીદવા નહીં, જો કોઈ ખરીદ કરશે તો તેને રાજદંડ પ્રાપ્ત થશે.”
હવે ખુશ થતો થતો દુર્ગક મગનું પોટલું લઈને નગરમાં પ્રવિષ્ટ થયો અને મગ વેચવા ઘણી જગ્યાએ ફર્યો. ઘણા ઘણા વેપારીઓને પોતાના મગ બતાવ્યા. પણ કોઈએ તેના મગ લીધા નહીં. કારણકે નૃપશાસન અનુલ્લંઘનીય હોય છે. દુર્ગક તમામ બજારમાં આખો દિવસ ફરી ફરીને થાકી ગયો. મગ કોઈએ લીધા નહીં. તેથી નિરાશ થઈને કોઈ શૂન્ય દુકાને જઈને તે સૂતો. નિસાસા નાખીને તેણે મગનું પોટલું માથે મૂકવું. તેટલામાં તેને કાંઈક નિદ્રા આવી અને થોડીક રાત્રિ પસાર થઈ ત્યારે શું બન્યું? તે કહે છે.
તે નગરમાં સુમતિ નામનો રાજાનો મંત્રી હતો તેને સૌભાગ્યસુંદરી નામે સ્ત્રી અને સુભગ સુંદરી નામે પુત્રી હતી તે પુત્રી અનુક્રમે યૌવાનાવસ્થા પામી ત્યારે અન્યજનોના મનને મોહ