SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ તૃતીય પલ્લવ પ્રાપ્ત થાય છે. સર્પને કરાવેલું દૂધપાન કેવળ વિષવૃદ્ધિ માટે જ થાય છે. તેમ કુપાત્રમાં આપેલું દાન પણ શ્રેયસ્કાર થતું નથી. કહ્યું છે કે• જેમ પત્થરની શિલા પોતાને તેમજ પરને ડબાળે છે તેમ તપસંયમથી હીનને, નિયમવિહીન પ્રાણીને તેમજ બ્રહ્મચર્ય રહિતને આપેલું દાન–લેનાર અને દેનારને બન્નેને ડુબાળે છે. જેમ પ્રાણી વિષવૃક્ષનું સિંચન કરીને તેમાંથી અમૃતરસને પામે નહીં તેમ જીવ કુપાત્રદાનથી મોક્ષરૂપ ફળ પામે નહીં અર્થાત્ કુપાત્રદાન સર્વથા અયુક્ત છે. ચૈત્યાદિક બંધાવવામાં અને મુનિરાજને માટે ઔષધ વગેરે કરવામાં એકગણું પાપ અને કોટીગણું પુન્ય થાય છે. સુપાત્રદાન આપનારને, અપાવનારને, આપતાં જોઈને અનુમોદના કરનારને કોઈક વખત સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આનંદના આંસુ, શરીર પર રોમાંચ, બહુમાન, પ્રિયવચન અને અનુમોદનાઆ પાંચ સુપાત્રદાનના ભૂષણો છે. અનાદર, વિલંબ, વિમુખતા, અપ્રિય વચન અને આપ્યા પછી પશ્ચાત્તાપઆ પાંચ સુપાત્રદાનના દૂષણો છે. સત્પાત્ર બે પ્રકારના છે. સ્થાવર અને જંગમ. જિનાલય, પ્રતિમાદિ સ્થાવર સત્પાત્ર છે અને જ્ઞાનવાનું, તપસ્વી, નિર્મળ અને નિરહંકારી તેમજ સ્વાધ્યાય અને બ્રહ્મચર્યથી યુક્ત મુનિભગવંતો જંગમ સત્પાત્ર છે. આ બે પ્રકારમાં જંગમ પાત્ર વિશેષ ઉત્તમ છે કારણકે તે તત્કાળ પુણ્યફળને આપે છે અને સ્થાવર પાત્ર ઘણાકાળે ફળ આપે છે. દેવપૂજા અને ધર્મસંબંધી બીજાં સંસ્કાર્ય તે જંગમ હોવા છતાં સર્વોત્તમ છે એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે.” “આ જગતમાં શૂરવીરો હજારો હોય છે, સત્યરિત્રવાનું પંડિતોવડે તો જગતુ પૂર્ણ છે, કળાવાની તો સંખ્યા જ થઈ શકે તેમ નથી. વનમાં રહીને શાંતિપૂર્ણ જીવન જીવનારા ઘણા હોય છે, પરંતુ જગતમાત્રને પોતાના જીવ કરતાં પણ અધિક વહાલા ધનને તજનારા ઉત્તમમતિવાળા અને ગુણનિધિ સ્વરૂપ ભૂમિ માટે વિભૂષણ જેવા ભવ્યજીવો બહુ વિરલા હોય છે.” “દાન દુર્ગતિને વારનાર છે, ગુણસમૂહનો વિસ્તાર કરનાર છે, તેજની શ્રેણિને ધારણ કરનાર છે, વિપત્તિની પરંપરા નાશ કરનાર છે, પાપની શ્રેણિનું વિદારણ કરનાર છે અને ભવરૂપી મહાસમુદ્રમાંથી નિસ્તાર કરનાર છે, વળી ધર્મની અભ્યન્નતિનું કારણ છે અને કલ્યાણકારી મોક્ષનાં સુખને આકર્ષનાર છે. આવું ઉત્તમદાન જયવંતું વર્તો.” આ સંસારીજીવ કોઈક વખત કામાસક્ત હોય છે, કોઈક વખત કષાયને આધીન હોય છે, કોઈક વખત મોહગ્રસ્ત હોય છે. કોઈક વખત કર્મબંધના ઉપાયમાં નિરત હોય છે, પરંતુ ધર્મને માટે ક્વચિત્ જ પ્રવૃત્તિ કરે છે. તેમાં પણ જે દાનધર્મથી વિમુખ હોય છે તેને તો બીજું આલંબન જ મળી શકતું નથી. લઘુ કાણો કુબડો હોવા છતાં પણ દાન આપતા રહેવાથી કળશ ઉર્ધ્વમુખ રાખી શકે છે. જ્યારે ઉપાર્જક છતાં અને પર્ણ હોવા છતાં પણ ઘડો જળને લેનાર હોવાથી તેને સદા અધોમુખ થવું પડે છે.” ‘ક્ષેત્રનું, યંત્રનું, શસ્ત્રનું, સ્ત્રીનું, હળનું, બળદનું, ગાયનું, ઘોડાનું, વૃક્ષનું, ધનનું, પ્રાસાદોનું અથવા એવી બીજી વસ્તુનું દાન ન આપવું કે જેનાથી હિંસાદિ આરંભ થાય અને મુનિનું મુનિપણું જાય તેમજ મન મલિન થાય. એવું દાન સદ્ગતિના ઇચ્છુકોએ ન દેવું કે ન લેવું. જે પુરુષ દાનથી લક્ષ્મીને, વિનયથી વિદ્યાને, ન્યાયથી રાજયને, સુકૃત્યથી જન્મને અને પરોપકારની ક્રિયાથી કાયાને કૃતાર્થ કરે છે તે પુરુષ આ જગતમાં માનનીય ગણાય છે.”
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy