________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય,
રાજપાળનું દૃષ્ટાંત
* ૨થમર્દન નગરમાં દેવદત્ત નામનો એક ક્ષત્રિય રહેતો હતો. તેને ભાગ્યવશે રાજપાળ નામનો પુત્ર થયો. તે છ મહીનાનો થયો ત્યારે તેના પિતા મરણ પામ્યા અને પાંચ વર્ષનો થયો ત્યારે તેની માતા મરણ પામી. દયા વગરના સ્વજનોએ અશરણ થયેલા તે બાળકને વિષના પુંજ જેવો તથા દુર્ભાગી જાણીને સર્પની જેમ ત્યજી દીધો. તેમ છતાં પણ પર્વતના વૃક્ષની જેમ તે પોતાના કર્મથી વૃદ્ધિ પામ્યો અનુક્રમે તે યૌવનાવસ્થા પામ્યો. ત્યારે દ્રવ્યવર્જિત હોવાથી તે વિચારવા લાગ્યો કે, ‘‘યૌવન ભોગ-સુખથી સફળ થાય છે અને ભોગસુખ દ્રવ્યથી જ પ્રાપ્ત થઈ શકે છે, તે વિના મનુષ્ય જન્મ વનના પુષ્પની જેમ નિષ્ફળ થાય છે.' પછી ધનલોલુપી એવો રાજપાળ દ્રવ્યપ્રાપ્તિ માટે અનેક દેવોની મૂર્તિ બનાવીને નમસ્કાર કરવા લાગ્યો, પણ તેના ભાગ્યમાં દ્રવ્ય ન હોવાથી કોઈએ પ્રસન્ન થઈને દ્રવ્ય આપ્યું નહીં. તેથી અત્યંત વિષાદ પામેલો અને ગુસ્સે થયેલો તે જેની પાસે દ્રવ્યની યાચના કરેલી. તે સર્વ દેવોની મૂર્તિને વેચવા માટે ચતુષ્પથમાં લાવ્યો અને સાક્ષાત્ દરિદ્રદેવની માટીની મૂર્તિ બનાવીને પોતાના ઘરમાં રાખી તેની આદરપૂર્વક પૂજા કરવા લાગ્યો. એક વખત બુદ્ધિમાન્ એવો તે દારિદ્રની મૂર્તિને ઘરમાં જ રાખીને ગરીબીથી કંટાળેલો ત્યાંથી સો યોજન દૂર ગયો. ત્યાં ચંપાપુરીમાં પ્રવેશ કરતાં એક શૂન્ય ઘરમાં બીજા એક દરિદ્રદેવને જોયો. તેથી તે બોલ્યો કે—અહો ! બધા દેવોની મારી ઉપર કેટલી કરુણાસભર કૃપા છે કે હું સો યોજન દૂર આવ્યો છતાં પણ તેણે મારો કેડો છોડ્યો નહીં.’ પછી તે હાથ જોડીને ગદ્ગદ્ વાણીએ બોલ્યો કે—‘અહો દારિદ્રદેવ ! 'હરિહરાદિક ઉત્તમ દેવો પણ તારી પાસે શી ગણતરમાં છે ? માટે હે દારિદ્ર ! તને નમસ્કાર થાઓ. તારા-પ્રસાદથી હું સિદ્ધ થયો છું. હું બધે જોઈ શકું છું, પણ મને કોઈ જોતું નથી.' આ પ્રમાણે પ્રતિદિવસ દરિદ્રદેવને સ્તવતો અને પૂજતો તે દરિદ્રી રાજપાળ તેની દેવની જેમ ભક્તિ કરવા લાગ્યો.
૪૬
આ તરફ ચંદ્રપુરીના રાજાનો હાથી સાંકળ તોડી આલાનસ્તંભ ઉખેડીને મકાનોને પાડતો અને મનુષ્યોનું મર્દન કરતો તેમજ સૂર્યને નમાવતો અને રાજાને ધ્રુજાવતો તે મદોન્મત થઈને યથેચ્છ રીતે નગરમાં ભમવા લાગ્યો. તેની આવી સ્થિતિ જોઈને રાજાએ તરત નગરમાં ઢંઢેરો વગાડીને ઉદ્ઘોષણા કરાવી કે—જે કોઈ આ હાથીને વશ કરશે તેને રાજા વાંછિત આપશે.' આ પ્રમાણેનો ઢંઢેરો સાંભળીને ગીતકળામાં પ્રવીણ એવા દરિદ્રભક્ત મંદ મધ્ય અને તારસ્વરના ભેદયુક્ત ગાનતાનવડે તે હસ્તિને વશ કર્યો અને આલાનસ્તંભ પાસે જઈને તેને બાંધ્યો, રાજાએ તેને બોલાવીને ઇચ્છા હોય તે માગવા કહ્યું ત્યારે દરિદ્રભક્તે કહ્યું કે—‘હે રાજન્ મારી એવી ઇચ્છા છે કે દીવાળીના દિવસે મારા સિવાય બીજા કોઈએ દીવા કરવા નહીં.' રાજાએ તેનો સ્વીકાર કરીને સમગ્ર રાજ્યમાં તેવી આશા કરી. અનુક્રમે દિવાળી આવી એટલે તે દિવસે રાજપાળે પોતાની ઝુંપડી ફરતા પુષ્કળ દીવાઓ કર્યા.
હવે લક્ષ્મી ફરવા નીકળી તે કોઈ જગ્યાએ દીવા ન હોવાથી ફરતી ફરતી રાજપાળની ઝુંપડી પાસે ઘણા દીવા જોઈને ત્યાં આવી. તેને જોઈને તે દરિદ્રભક્ત લાકડી ઉપાડીને બોલ્યો કે— ‘હે લક્ષ્મી ! કે ચંચલા ! અહીં મારો સ્વામી દરિદ્રદેવ હોવા છતાં તું કેમ આવી ? તે વખતે