________________
પ્રથમ પલ્લવ
તે શબ્દ સાંભળતાં જાગૃત થયો અને પછી તે શબ્દને આધારે વિચારે છે કે—‘આ શિયાલણીનો શબ્દ મને લાભ થવાનું સૂચવે છે. શિયાલણી ડાબી બાજુ બોલે તે શ્રેષ્ઠ, પિંગળા જમણી બાજુ બોલે તે શ્રેષ્ઠ અને કોયલ પ્રદક્ષિણા દેતી બોલે અથવા ડાબી બાજુએ બોલે તે શ્રેષ્ઠ સિદ્ધિને આપનાર છે.' જેમ હું આ શબ્દથી મને થનાર લાભને જાણું છું તેમ જો કોઈ બીજો તેને સમજનાર હોય અને આ લાભને ગ્રહણ કરે તો મને આનંદ છે, કારણ કે મારી પાસે તો ઘણું દ્રવ્ય છે.” આમ વિચારે છે તેટલામાં પુનઃ તેનો શબ્દ સાંભળીને તે સત્પુરુષાગ્રણીએ નિર્ણય કર્યો કે—‘‘આ શબ્દને બીજું કોઈ સમજતું હોય એવું લાગતું નથી તેથી હવે હું પોતે જ ત્યાં જઈને લાભ ગ્રહણ કરું.” આ પ્રમાણે વિચારી પલંગ પરથી ઉતરી વીરકચ્છ બાંધી, ખડ્ગને ધારણ કરી, મનમાં ધૈર્યનું અવલંબન કરી તે શિયાલણીના શબ્દને અનુસારે ચાલ્યો. રાજમાર્ગનું ઉલ્લંઘન કરી, કોટને ઝડપથી ઓળંગીને એક ક્ષણમાત્રમાં નગર બહારના મહોદ્યાનમાં આવ્યો. સમીપમાં જ સર્વ પ્રકારના ભયથી ભરેલી, ઘોર અંધકારને કારણે ભયંકર લાગતી, વળી ચારે બાજુથી મહાબિભત્સ એવી સ્મશાનભૂમિ તેણે જોઈ. તેમાં કોઈક સ્થાને વિકરાળ ને કંગાળ વેતાલો ભમતા હતા, કોઈ જગ્યાએ અત્યંત રૌદ્ર ભૂંડ ને વાઘના ભયંકર શબ્દો સંભળાતા હતા, તે ભૂમિ ઘુવડના ધૂત્કારના શબ્દથી વ્યાપ્ત હતી અને સિંહનાદથી સંકીર્ણ હતી, તેવી સ્મશાનભૂમિમાં પણ રાજકુમાર નિર્ભયપણે આગળ આગળ ચાલ્યો. આગળ ચાલતાં તેણે અગ્નિથી જાજ્વલ્યમાન તથા ચારે બાજુ ઉઘીત કરનાર એક અગ્નિકુંડમાં અત્યંત કાંતિવાળો એક સુવર્ણપુરુષ જોયો. અત્યંત દૈદિપ્યમાન તે સુવર્ણપુરુષને જોઈને તેણે અગ્નિકુંડમાંથી તે સુવર્ણપુરુષને બહાર કાઢ્યો. શીતળ જળથી તેને ઠંડો કર્યો. પછી નજીકની ભૂમિમાં ખાડો ખોદીને તે પુરુષને તેમાં વિધિપૂર્વક નાંખીને પાછો ખાડો માટીથી પૂરીને નિશાની રાખીને તે પાછો પોતાને સ્થાને આવીને બાકીની રાત્રિ પસાર કરવા પોતાની શય્યામાં સુઈ ગયો.
G
સવારે તેણે પ્રાતઃકૃત્યો કર્યા. દેવધ્યાન, ગુરુધ્યાન નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને પછી મંગળ વાજિંત્રો વાગતા તે બુદ્ધિશાળી રાજસભામાં આવ્યો. ત્યાં પિતાના ચરણમાં નમસ્કાર કરીને તે પોતાને યોગ્ય આસનપર બેઠો.
પિતાએ તેને પૂછ્યું–‘હૈ પુત્ર ! તું સુખી છો ?” કુમારે ઉત્તર આપ્યો કે—આપની કૃપાથી સુખી છું. તે જ પુત્રો કહેવાય કે જે પિતાના ભક્ત હોય, પિતા તે જ કહેવાય કે જે પરિવારના પોષક હોય, તેમજ મિત્ર તે જ છે કે જેનો વિશ્વાસ કરી શકાય અને સ્ત્રી તે જ છે કે જેની પાસે જવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.’’
જેમ પૂર્વાચળે સૂર્ય ઉદય પામે તેમ વિશિષ્ટ સેવકોથી પરિવરેલો રાજા રાજસભામાં જઈને ઊંચા સિંહાસને બેઠો. વારાંગનાઓ બંને બાજુ ચામર વિંઝી રહી હતી, મસ્તક ઉપર પવિત્ર અને શ્વેત છત્ર ધારણ કર્યું હતું, ગાંધર્વો મધુર સ્વરથી મનોહર ગુણગાન કરી રહ્યા હતા, બંદીજનો જયજય નંદ, એવા શબ્દો ઉચ્ચારી રહ્યા હતા, નાટ્યમંડલીના પાત્રો રાજાની આગળ નૃત્ય કરી રહ્યા હતા અને પૂર્વ પુણ્યથી મંત્રી, સામંત વગેરેની મધ્યમાં રહેલા રાજા સુરેંદ્રની જેમ શોભી રહ્યો હતો. કહ્યું છે કે—‘વિસ્તીર્ણ રાજ્ય, મદ ઝરતા હાથીઓ, તુંગ આભોગવાળા અને