SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્યો ત્યાં રહ્યો. કુમાર નિરંતર વિદ્યાના પ્રભાવવડે જ સર્વ કાર્ય કરે છે અને સેવકોની તથા વાચકોની ઇચ્છા પૂરે છે. પેલો બ્રાહ્મણ નિષ્ફળ વિદ્યાવાળો થવાથી તે વિદ્યાને અને ગુરુને હસતો તેમજ ગુરુની નિંદા કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો. ચંદ્રોદયકુમાર આનંદપુરમાં રહીને પોતાના સગુણો વડે ઘણા જનોના દિલનું રંજન કરવા લાગ્યો. તે નગરમાં મતિતિલક નામના મહર્તિક મંત્રીશ્વર વસતા હતા. તેને નામથી અને ગુણથી શ્રીનિવાસ નામનો પુત્ર હતો. તેને ચંદ્રોદયની સાથે ગાઢ મિત્રતા થઈ. એક વખત તે બન્ને મિત્રો વનમાં કોઈ દેવકુળમાં ગયા. ત્યાં ક્રિડા કરીને વાતચીત કરવા આનંદથી બેઠા. તેટલામાં નગરમાં મોટો કોલાહલ થયો. તેથી તેનું કારણ જાણવા માટે કુમારે માણસોને મોકલ્યા. તેમણે ગામમાં જઈ આવીને કુમારને કહ્યું કે-“આ નગરમાં સૂરસિંહ નામનો પરાક્રમી રાજા છે. તેને પ્રાણથી પણ અતિ વલ્લભ બંધુમતી નામે પુત્રી છે, તેણે રૂપવડે દેવાંગનાઓને અને ગુણોવડે લક્ષ્મીને પણ જીતી છે. તે આજે મહેલના ગવાક્ષમાં બેઠી હતી. તેટલામાં કોઈને ખબર ન પડે કે તેમ તેનું કોઈએ અકસ્માતું અપહરણ કર્યું છે. તેથી નગરમાં મોટો કોલાહલ થઈ રહ્યો છે.” આ પ્રમાણે સાંભળીને કુમારે પોતાના મનમાં વિચાર્યું કે- હું નગરમાં છું છતાં કોણ તેને હરી ગયું? કોણે એવી હિંમત કરી ?' આમ વિચારીને તે બોલ્યો કે– હું અહીં હોવા છતાં રાજપુત્રીને કોઈ હરી જાય તે યોગ્ય નથી, પણ શું કરું? અહીં મને કોઈ જાણતું નથી તેમ ઓળખતું પણ નથી.” આ પ્રમાણે કહીને મિત્ર સહિત તે શહેરમાં આવ્યો. ' સૂરસિંહ રાજાએ પુત્રીની સર્વત્ર શોધ કરાવી, પરંતુ કોઈ જગ્યાએથી તેની શુદ્ધિ મળી શકી નહીં, વાત પણ સાંભળવામાં આવી નહીં. તેથી તેના વિયોગની અત્યંત પીડાથી રાજા પીડિત થયો અને દુઃખસમુદ્રમાં પડ્યો. રાજાને આવી રીતે અત્યંત દુઃખી થયેલ જાણીને મંત્રીપુત્ર તેમની પાસે જઈને બોલ્યો કે- સ્વામિન્ ! અહીં કોઈ એક વિદ્યાવાનું વિદેશી મનુષ્ય આવેલો છે, તે ઘણો જ્ઞાનવાનું છે. વળી નિદ્રવ્ય છતાં પુષ્કળ દ્રવ્યનો વ્યય કરે છે અને નિરંતર પારકા દુઃખોને દૂર કરે છે. સર્વને વાંછિત આપે છે. તે આનંદી છે, ગુણના સમુદ્ર જેવો છે, દાતા છે, ભોક્તા છે. સિદ્ધપુરુષની જેમ અતિવેત્તા છે. તેની સાથે હે નરાધિપ ! મારે પણ ગાઢ મિત્રાચારી છે. તેથી આપનો હુકમ હોય તો તેને બોલાવીને રાજપુત્રી સંબંધી પૂછીએ.” આ હકીકત સાંભળીને રાજા બહુ ખુશ થયો. તેથી તરત જ પ્રધાનપુરુષોને તેને તેડવા મોકલ્યા. તેઓ એક શણગારેલા હાથીને સાથે રાખી કુમારને તેડવા ગયા. તેમની વિનંતી કુમારે સ્વીકારી, તેથી કુમારને સાથે લાવેલા હાથી ઉપર બેસાડી વાજીંત્રાદિ ઉત્સવપૂર્વક તેઓ રાજા સમીપે લઈ ગયા. રાજમહેલ પાસે આવતાં હાથી ઉપરથી ઊતરી સૌ રાજા પાસે ગયા રાજાએ ઊભા થઈ સામા જઈને ચંદ્રોદયને માન આપ્યું. આલિંગન આપવાપૂર્વક મળ્યા અને કુશળવાર્તા પૂછી. કુમાર રાજા પાસે બેઠો. પછી રાજાની આજ્ઞાથી તે મંત્રીપુત્રે કુમારને કહ્યું કે-“હે મિત્ર ! અમારા રાજાની બંધુમતી નામે શ્રેષ્ઠ પુત્રી છે, તેનું આજે અકસ્માતુ કોઈ અપહરણ કરી ગયું છે. તે સંબંધી તજવીજ કરતાં કોણ હરી ગયું છે? તેનો પત્તો લાગતો નથી, તો આપ જ્ઞાનવડે જાણીને તેનું સ્વરૂપ કહો.”
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy