________________
૧૮૯
સપ્તમ પલ્લવ અંગીકાર કરીને મુનિને નમી સ્વસ્થાને ગયા.
એ પ્રમાણે પૂર્વજન્મમાં હાંસીમાત્રથી બંધાયેલા કર્મ અને વૈરના ફળને જાણીને આત્માની નિંદા કરતો અને ચારિત્રાદિના ઉત્તમ ફળને જાણીને તેની અનુમોદના કરતો ચંદ્રોદયકુમાર ધર્મકાર્યમાં રક્ત બની દુરિતથી વિરક્ત બની મિત્રો સાથે ક્રીડા કરતો અને પ્રિયાઓ સાથે વિષયસુખને અનુભવવાપૂર્વક રાજયસુખને ભોગવતો હતો. ઇતિ શ્રી વીરદેશનામાં ધર્મરૂપ કલ્પવૃક્ષની ચોથી ભાવરૂપ શાખા ઉપર
ચંદ્રોદયની કથામાં સાતમો પલ્લવ સંપૂર્ણ