________________
સપતમ પલ્લવ
૧૭૩
તેટલામાં તેણે મહેલના નીચેના ભાગમાં એક વાવડી જોઈ. તેમાં એક હંસી જોઈ. તે પોતાના બાળકોનું લાલનપાલન કરતી હતી, સ્વેચ્છાપૂર્વક તેને ખવરાવતી હતી અને મસ્તક પર સ્પર્શ કરતી હતી. એ પ્રમાણે બાળકો સાથે આનંદ કરતી તેને જોઈને રાણી વિચારે છે કે – “હા મારો જન્મ ફોગટ ગયો. હું સંતાન સુખ ન પામવાથી જંગમ એવી વંધ્યવલ્લીસમાન છું. જેમ રાત્રી ચંદ્ર વિના શોભતી નથી તેમ સ્ત્રી પુત્રવિના શોભતી નથી. વિધવા પણ પુત્રવતી હોય છે તો સર્વત્ર માન પામે છે. જેમ દીપવડે અલંકૃત એવી અમાવસ્યાની (દીવાળીની) રાત્રી પણ શોભે છે. ગંધ વિનાનું પુષ્પ, જળ વિનાનું સરોવર અને જીવ વિનાનું કલેવર શોભતું નથી તેમ પુત્ર વિનાની સ્ત્રી પણ શોભતી નથી. પુત્ર વિનાની સ્ત્રીનો જન્મ ધિક્કારને પાત્ર છે. કહ્યું છે કે–મંદ મંદ બોલતો અને ધૂળીથી ધુસર થયેલા દેહવાળો બાળક જેના ખોળામાં રમતો નથી તે સ્ત્રીનો જન્મ નિરર્થક છે.”
આ પ્રમાણે વિચારતી તેણે પોતાના ભાગ્યને અનેક પ્રકારના ઉપાલંભ આપ્યા, અને કહ્યું કે-“મેં તારુ શું વિનાશ કર્યું હતું કે જેથી તે મને પુત્રરૂપ ફળ વિનાની કરી? હે વિધિ ! પુત્રરહિત એવું આ વિશાળ રાજ્યને શા માટે આપ્યું? તું જીવોને કંઈક ને કાંઈક દુઃખ આપ્યા વિના તૃપ્ત થતો જ નથી, મેં પૂર્વભવે શું સાધુના ઉપકરણો હરી લીધા હશે? અથવા પશુ પક્ષીના કે મનુષ્યોના બાળકોનો નાશ કર્યો હશે ?” એ રીતે પોતાના આત્માની નિંદા કરતી અને પોતાના કર્મનો શોક કરતી તેમજ અશ્રુધારા વહાવતી તે ઘણો વિલાપ કરવા લાગી. તે જ વખતે રાજા મહેલમાં આવ્યા અને શ્વાસ મુખવાળી તથા શોક કરતી પોતાની પ્રિયાને જોઈ. ' તે પ્રમાણે જોઈને દુઃખી થતા રાજાએ તેને પૂછયું કે- હે પ્રિયે ! તું શોકાતુર કેમ છે? તને આ સ્થિતિમાં જોઈને મને મહાદુઃખ થાય છે.” રાણીએ કહ્યું કે–“હે સ્વામિન્ ! હું નિર્માગી છું, પૂર્વ પાપના પ્રભાવથી ફળહીન છું, તેમજ કલંકિત છું. મારું રાજ્યસુખ ફોગટ છે. મારો જન્મ અને જીવિત વૃથા છે, મારું ભોગસંયુક્ત યૌવન પણ વૃથા છે, તેમજ દિવસના દીપકની જેમ હું નકામી અને નિષ્ફળ છું.” રાણીના આ પ્રમાણેના વચનો સાંભળીને નૃપ બોલ્યા કે–“હે "શુભલોચને ! તું ખેદ શા માટે કરે છે? હે કમલાનને ! શોકનું જે કારણ હોય તે મને વ્યક્તપણે કહે.” રાણીએ કહ્યું કે-“હે સ્વામિનું! મને અનપત્યપણાનું જ દુઃખ છે અને તે મને શલ્યની જેમ પીડા કરે છે. હે પ્રાણેશ ! તે નરનારીને જ ધન્ય છે કે જેના ખોળામાં બાળક રમે છે, રડે છે અને અવ્યક્ત ભાષા બોલે છે. વધારે શું કહું? હે સ્વામિન્ ! સંતાન વિના મારો સ્કાર હારાદિ શૃંગાર પણ સ્વપ્નની જેમ અસાર છે.”
રાણીના આ પ્રમાણેના વચનો સાંભળીને રાજા પોતાના ચિત્તમાં રાણી કરતાં પણ વધારે ખેદથી વિચારવા લાગ્યો કે-“આ રાણી સત્ય કહે છે, કારણકે મને સંતતિ થઈ નથી. હવે તો પુત્ર વિના મારા કુળનો વિચ્છેદ જ થવાનો સંભવ છે. હું શું કરું? અને ક્યાં જાઉં? મારું વાંછિત શી રીતે પૂર્ણ થાય ? દુષ્ટદૈવે મને બીજી ન્યૂનતા શું કામ ન આપી? અને તે દુરાત્માએ એક પુત્રનું સુખ કેમ ન આપ્યું ?” આ પ્રમાણે દેવને દોષ આપીને વળી રાજા વિચારવા લાગ્યો કે–“જરૂર એમાં મારા પૂર્વભવના પુણ્યની હીનતા જ સંભવે છે, તો હવે આ ભવમાં ભાવપૂર્વક