________________
૧૭૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય દઢપ્રહારી મુનિ, બળમાં અવિચળ અને ગ્લાધ્ય એવા બાહુબલી, મહાવ્રતધારી નંદિષેણ, ઉત્તમ શ્રાવક આનંદ અને વ્રતમાં રતિવાળી સુંદરી વગેરેએ તપવડે મહાસુખ મેળવ્યું છે અને સુરાસુરથી વંદિત થયા છે.” શ્રીજિનેશ્વર કથિત તપ કર્મરૂપી અરણ્યને બાળવા દાવાનલ સમાન છે, અભિલાષાને પૂર્ણ કરવામાં કામધેનું જેવો છે, દુષ્ટ એવા અરિષ્ટનો નાશ કરનાર છે, ગુણોને પ્રાપ્ત કરાવનાર છે, સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છે, શ્રીમાનું નરેંદ્ર તેમજ દેવેંદ્રની તથા મુક્તિની પદવી પ્રાપ્ત કરાવવા સમર્થ છે, શાંત છે, કાંત છે અને અસંગતતાને પ્રાપ્ત કરાવનાર છે.”
ધન્ય એવા કેટલાક મનુષ્યો કામદેવના એક સ્થાનરૂપ મનોહર તરુણપણામાં મિત્ર, કલત્ર, પુત્ર અને વૈભવાદિકને તજીને ઉગ્ર તપને તપે છે. તપ મહામંગળકારી છે. ઇંદ્ર દ્વારા પૂજિત છે, વ્યાધિમાત્રને હરનાર છે, કર્મરૂપ વૃક્ષને બાળવામાં અગ્નિ સમાન છે. મુક્તિના અર્થી, હિતાર્થની સ્પૃહાવાળા અને મદને જીતનારા ભવ્ય જીવોએ એવો તપ નિરંતર કરવા યોગ્ય છે.
વીરપ્રભુ કહે છે કે આ રીતે મેં ધર્મ રૂપ કલ્પવૃક્ષની તરૂપ ત્રીજી શાખાનું વર્ણન કર્યું. તે શુભકારી શાખા ઉત્તમ જનોને નિરંતર સેવન કરવા યોગ્ય છે.
આ પ્રમાણે શ્રી વીરપરમાત્માની દેશનામાં ધર્મરૂપ કલ્પવૃક્ષની ત્રીજી તપ નામની શાખા ઉપર પુરુષોત્તમ રાજાની કથારૂપ છઠ્ઠો પલ્લવ સમાપ્ત.