________________
૧૬૪
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય તડકો વિદુર્યો છે. તેથી કાયોત્સર્ગની મર્યાદા પૂરી થયા વિના હું કાઉસગ્ગ પારીશ નહીં.” આ પ્રમાણે વિચારીને મુનિ તો ચારે આહારના ત્યાગી હોવાથી કાયોત્સર્ગમાં જ સ્થિર રહ્યા. પછી દેવે વાઘ અને સર્પ વગેરે વિકર્વીને અનેક પ્રકારના પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા. તે ઉપસર્ગોથી પણ જયારે મુનિ યત્કિંચિત્ પણ ચલાયમાન થયા નહીં, ત્યારે દેવતા પોતાની મેળે જ અનુકૂળ, પ્રસન્ન મનવાળો અને હર્ષિત થઈને બોલ્યો કે-“હે પ્રભુ ! ઈંદ્ર આપની જેવી પ્રશંસા કરી તેવા જ આપ છો. એટલું જ નહીં પણ તેથી અધિક છો. હે મહામુનિ ! મેં આપની પરીક્ષા કરતાં આપને જે કંઈ કષ્ટ આપ્યું છે તે માટે મને ક્ષમા કરશો. શું આખા જગતના પ્રબળ પવનવડે પણ મેરુપર્વતના શિખર ચલિત થાય છે? નથી થતા.”
આ પ્રમાણે સ્તવના કરી, નમીને તથા પુષ્પવૃષ્ટિ કરી દેવ સ્વસ્થાને ગયો. છ માસને અંતે સંવરમુનિએ છમાસી તપનું પારણું કર્યું. ઉગ્ર તપવડે તેમને અણિમા વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થઈ. એ પ્રમાણે ચિરકાળ પર્યંત તીવ્ર તપ તપી સર્વકર્મ ખપાવી પ્રાંતે પંદર દિવસની સંલેખના કરી મરણ પામીને સંવરમુનિ સાતમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા.
સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકથી અવીને વૈતાઢ્ય પર્વત ઉપર દક્ષિણશ્રેણિમાં ક્ષેમંકરા નગરમાં રત્નચૂડ નામના રાજાની મદનવલ્લિકા નામની રાણીની કુક્ષિમાં અવતર્યા. યોગ્ય સમયે તેનો જન્મ થયો. તેનું રણચૂડ નામ રાખવામાં આવ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પણ વિદ્યાધર થયો. એક દિવસ આકાશમાર્ગે જતાં રત્નચૂડે વણારસી નગરમાં એક અત્યંત રૂપવાળી કોઈ યુવતિને જોઈ. તેની ઉપર રાગ ઉત્પન્ન થવાંથી તેનું અપહરણ કરીને તે તેને પોતાને સ્થાને લઈ ગયો અને વિષયાસક્ત ચિત્તથી તેને પોતાની પ્રિયતમા કરી. કામની તીવ્ર અભિલાષાવડે તેનું અત્યંત સેવન કરવાથી કેટલેક કાળે તેનું શરીર રોગગ્રસ્ત બન્યું. રાજલક્ષ્માદિ અનેક રોગો તેના શરીરમાં ઉત્પન્ન થયા. “અતિસંભોગથી અનેક પ્રકારની રોગોત્પતિ શરીરમાં થાય છે એ ચોક્કસ હકીકત છે.'
અત્યંતમૈથનસેવનથી કંપ, દ, શ્રમ,મૂચ્છ, ભમી, ગ્લાનિ, બળક્ષય, રાજક્ષયાદિ રોગો ઉત્પન્ન થાય છે. “રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી અત્યંત નજીક હોવાથી વિનાશ માટે થાય છે અને દૂર હોવાથી ફળ આપનાર થતા નથી, તેથી તે ચારે મધ્યમ ભાવે જ સેવવા યોગ્ય છે.” આજ કારણથી બુદ્ધિમાનોને શુભ સમતારૂપ સ્ત્રીની સેવા જ લાભકારી કહેલી છે. વિચક્ષણ પુરુષો પણ અત્યંત સ્ત્રીસેવનાને ક્ષય માટે જ કહે છે. અહીં રણચૂડ રોગાર્ટ થવાથી આર્તધ્યાનવડે મરણ પામીને વિંધ્યાચળની નજીકની ભૂમિમાં મદોન્મત હસ્તી થયો. કહ્યું છે કે-“મનુષ્ય આર્તધ્યાનથી તિર્યંચગતિ, રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુક્લધ્યાનથી સિદ્ધિગતિને પામે છે.”
તે હાથી પ્રચંડ શુંડાદંડવડે ઉગ્ર, દીર્ઘ દાંતો વડે દુર્દીત, વનના પ્રાણીઓને દુસહ, મહાબળવાનું અને દુઃખે જોવા યોગ્ય હતો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે હાથી જાણે બીજો વિંધ્યાચળ હોય તેવો દેખાવા લાગ્યો. તેમજ ઐરાવણ હસ્તી જેવો ઘણો ઊંચો તેમજ શોભાયમાન થયો.
રણચૂડની સ્ત્રી વૈધવ્યપણાના દુઃખથી પીડિત થતી ભરના વિયોગથી વિધુર બનેલી