SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય મંત્રીએ કહ્યું કે–“હે દેવ ! સ્વપ્નમાં જોયેલી વસ્તુની ચિંતા શા માટે કરવી ? સ્વપ્ન સારું જોયું હોય તો શુભ થાય છે. સ્વપ્નશાસ્ત્રમાં સ્વપ્નો અનેક પ્રકારના કહ્યા છે. સમધાતુવાળાને, પ્રશાંતને, ધાર્મિકને, નિરોગીને અને જિતેન્દ્રિયને શુભ કે અશુભ જે સ્વપ્ન આવે તે સાચું પડે છે. અનુભવેલું, સાંભળેલું, જોયેલું, પ્રકૃતિના વિકારથી આવેલું, સ્વભાવથી આવેલું, ચિંતાની શ્રેણિથી ઉદ્ભવેલું, દેવતાદિકના ઉપદેશથી આવેલું, ધર્મકાર્યના પ્રભાવથી આવેલું અને પાપના અતિશયથી આવેલું—એમ સ્વપ્ન નવ પ્રકારનું હોય છે. તેમાંના પ્રથમના છ કારણથી આવેલું સ્વપ્ન શુભ હોય કે અશુભ હોય તો પણ તે નિરર્થક સમજવું અને પાછલા ત્રણ કારણથી આવેલું સત્ય એટલે શુભાશુભ ફળ આપનારું સમજવું. રાત્રિના ચાર પહોર પૈકી પહેલે પ્રહરે આવેલું બાર મહિને, બીજા પ્રહોરમાં આવેલું છ મહિને, ત્રીજા પ્રહરમાં આવેલું ત્રણ મહિને અને ચોથા પ્રહરમાં આવેલું એક મહિને ફળે છે. બે ઘડી રાત્રી હોય ત્યારે આવેલું દશ દિવસે ફળ છે અને સૂર્યોદય વખતે જોયેલ સ્વપ્ન નિચે તરત જ ફળ આપે છે. ઉપરાઉપર જોયેલા સ્વપ્નો, આધિવ્યાધિના કારણથી આવેલ સ્વપ્નો અને મળમૂત્રાદિકની બાધાથી આવેલ સ્વપ્નો નિરર્થક હોય છે.” આ પ્રમાણે કહીને પ્રધાને કહ્યું કે –શું આપે સાંભળ્યું નથી કે જોયેલા સ્વપ્નની પાછળ દોડવું તે નકામું છે?” સ્વપ્નના સંબંધમાં હે રાજનું ! એક કથા કહું તે સાંભળો – સ્વનિલ જોગીની કથા * “કોઈ ગામની બહાર એક આશ્રમમાં એક જોગી રહેતો હતો. એકવખત તેણે સ્વપ્નમાં પોતાનો આખો આશ્રમ પકવાનોથી ભરેલો જોયો. તે જાગ્યા પછી સવારે વિચારવા લાગ્યો કે :-અહો ! મારા આશ્રમમાં આટલું બધું પકવાન ભર્યું છે તો આખું ગામ હું શા માટે ન જમાડું ?' આમ વિચારીને તેણે ગામમાં જઈ સર્વ લોકોને ભેગા કરીને આમંત્રણ આપ્યું, ગામના લોકો જમવા આવ્યા ત્યારે જોગી સૂઈ ગયો. લોકોએ તેને પૂછ્યું કે-“અમે બધાં જમવા આવ્યા છીએ કે તમે સૂઈ કેમ ગયા?” ત્યારે તે બોલ્યો કે–“મને કાલે રાત્રે સ્વપ્ન આવ્યું હતું તેમાં મેં આખો આશ્રમ લાડૂથી ભરેલો જોયો હતો, તેથી અત્યારે સૂઈ જાઉં છું કે જેથી કાલ જેવું સ્વપ્ન આવે કે તરત તે લાડુ લઈ લઈને તમને જમાડું.” જોગીની આવી વાત સાંભળીને લોકો બધા તેની મૂર્ખાઈ ઉપર હસતા હસતા સ્વસ્થાને ગયા. આ પ્રમાણે સ્વપ્નના વિશ્વાસથી તે જોગી વિડંબના પામ્યો.” હે સ્વામિનું માટે તમે ઊઠીને રાજકાર્ય કરો અને સ્વપ્નની ચિંતા ત્યજીને સુખી થાઓ.” રાજાએ કહ્યું કે–“હે મંત્રી ! મારા મનને કામદેવ અત્યંત બાધા કરે છે. તે દૈત્યની જેમ દુર્જય છે. કહ્યું છે કે– નીતિ, વિનીતપણું, બુદ્ધિ, શીલ, કુલીનતા, વિવેક, ઔચિત્ય, પાંડિત્ય, લજ્જા, તત્વનિર્ણય, તપ, જપ, શમ, દયા, દાન, સંસારથી ભય, સત્ય, તત્ત્વ અને સંતોષ–આ બધાં ત્યાં સુધી સ્થિત રહે છે કે જ્યાં સુધી કામદેવ પીડા કરતો નથી. કંદર્પ બીજાના દર્ય ન રહેવા દેવા માટે જ્યારે પોતાના બ્રહ્માસની વિસ્ફર્જના કરી ત્યારે પારાશરઋષિ માછણ (માછીમારની પત્ની)માં, ગાંધીપિ ચંડાળણીમાં, બ્રહ્મા પોતાની પુત્રીમાં, ચંદ્રમાં પોતાના ગુરુની
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy