SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ છઠ્ઠો પલ્લવઃ, આરાધના માટે ઉત્સુક થયો. પછી સ્વસ્થાને જઈ મુખ્યમંત્રીને બોલાવીને રાજાએ કહ્યું કેમંત્રિનું! હું સંસારથી ભય પામ્યો છું, તેથી વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું અને તમારા રાજા તરીકે પુરષોત્તમકુમારને સ્થાપન કરવા ઇચ્છું છું. “મંત્રીએ તે વાત કબૂલ કરી, તેથી રાજાએ પુરુષોત્તમકુમારને બોલાવી પોતાના આસન પર બેસાડી પોતાને હાથે શુભમુહૂર્ત રાજયતિલક કર્યું, મંત્રી વગેરેએ રાજયાભિષેક કર્યો, જયઢક્કા વગાડવામાં આવી અને પુરુષોત્તમરાજાની આજ્ઞા સર્વત્ર પ્રવર્તાવી. પૌોતરરાજાએ પુરુષોત્તમકુમારને શિક્ષા આપતાં કહ્યું કે “હે વત્સ ! જે પોતાની ભૂમિને સંભાળતો નથી–તેનું રક્ષણ કરતો નથી તે રાજા નકામો છે, જે ગુરુ પોતાના શિષ્યોને હિતોપદેશ કરતા નથી તે ગુરુ વૃથા છે, જે પોતાના અપત્યોને પાળતી નથી તે માતા નકામી છે અને તે પિતા પણ શા કામનો કે જે પુત્રનો હિતાર્થી કહેવાયા છતાં સારી શિક્ષા આપતો નથી? વળી પૂર્વે ઘણા રાજાઓ આ પૃથ્વીને મૂકીને ગયા છે, જાય છે અને જશે, પણ આ પૃથ્વી તેમાંના કોઈની સાથે ગઈ નથી, જતી નથી અને જવાની નથી. આ જગતમાં જે પદાર્થો છે તે બધા વિનાશી છે, સ્થાયી રહેનાર તો એક કીર્તિ જ છે, તેથી રાજાઓએ કોઈ પણ પ્રકારે પોતાની કીર્તિનો લોપ થવા દેવો નહીં. સગરાદિ ઘણા ચક્રવર્તી રાજાઓએ આ પૃથ્વીને ભોગવી છે. જ્યારે જયારે આ પૃથ્વી જેની હતી ત્યારે ત્યારે તેને ફળ આપતી હતી. તારે પ્રજાને વશ કરવા માટે તેની સાથે કોમળપણાથી વર્તવું. જુઓ ! આકાશમાં અસંખ્ય તારાઓ વગેરે શીતરશ્મીવાળા ચંદ્રની સેવા કરે છે, સૂર્યની સેવા કોઈ કરતું નથી.” આ પ્રમાણે પુત્રને શિક્ષા દઈ તેને રાજ્ય સોંપીને રાજા ગુરુમહારાજ પાસે આવ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. શુભ ભાવે નિરતિચાર ચારિત્ર પાળીને પ્રાંતે તેઓ મોક્ષે ગયા. - પુરુષોત્તમરાજા સામ્રાજ્યસંપદાને પામીને ગર્વ ધારણ ન કરતાં પિતાજીની શિક્ષા પ્રમાણે પોતાની પ્રજાનું પાલન કરવા લાગ્યો. “વરસાદની જેમ રાજા પ્રાણી માત્રનો આધાર છે. વરસાદના અભાવ વખતે રાજા આધારભૂત થાય છે.” એકવખત અલ્પ રાત્રી બાકી હતી તેવા સમયે ચોથા પ્રહરે પુરુષોત્તમ રાજા સુખશયામાં સુતા સુતા આ પ્રમાણે સ્વપ્ન જોયું–“પૃથ્વી પર ભમતાં રાજા કોઈક નગરે ગયો. ત્યાં નગરની નજીકના કોઈ દેવકુળમાં તેમણે એક તપસ્વીને જોઈ. તેની સમીપે રહેલા એક મહેલમાં એક સુરૂપ અને સુભગ એવી શ્રેષ્ઠ કન્યાને તેણે જોઈ. તેને જોતાં જ તે તેનો રાગી થયો.” ( આ પ્રમાણેનું સ્વપ્ન જોઈને તે જાગ્યો અને હૃદયમાં તે સ્વપ્નનું જ ચિંતવન કરવા લાગ્યો. ત્યારબાદ પ્રભાત સંબંધી કૃત્ય કરીને તે બેઠો તેટલામાં મુખ્યમંત્રીએ ત્યાં આવીને રાજાને પૂછ્યું કે- “હે સ્વામિન્ ! હજી સુધી સભામાં કેમ પધાર્યા નથી?” સ્વપ્નની ચિંતામાં મગ્ન થયેલા રાજાએ તેનો ઉત્તર આપ્યો નહીં, એટલે તે સુમતિ મંત્રીએ ફરી પૂછ્યું કે-“આજે તમે ચિંતાતુર કેમ દેખાઓ છો ?” રાજાએ કહ્યું કે-“હે મંત્રિનું ! આજે રાત્રીએ મેં આવું સ્વપ્ન જોયું છે અને તેમાં જોયેલી કન્યા ઉપર મોહિત થયો છું તેથી તે કેમ મળે ?' એની ચિંતા કરું છું.”
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy