________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ક્ષણે ક્ષણે ને *લવે લવે શુભ ધ્યાન કરવું અને પ્રમાદનું પરિવર્જન કરવું તે તેરમું સ્થાનક છે. (૧૩)
૧૪૦
શક્તિ પ્રમાણે બાહ્ય અત્યંતર બાર પ્રકારનો તપ કરવો અને અસમાધિનો ત્યાગ કરવો એ ચૌદમું સ્થાનક છે. (૧૪)
શુદ્ધ અન્નપાનવડે તપસ્વી એવા અતિથિ (મુનિ) વગેરેની ભક્તિ કરવી અર્થાત્ સુપાત્રદાન દેવું તે પંદરમું સ્થાનક છે. (૧૫)
ગચ્છની અંદર રહેલા બાળગ્લાનાદિક દશેનું અન્નપાન વડે તેમજ વિશ્રામણાદિ વડે વૈયાવૃત્ય કરવું તે સોળમું સ્થાનક છે. (૧૬)
સર્વ લોકોને તેની પીડાદિકના નિવારણવડે દ્રવ્ય સમાધિ અને ભાવ સમાધિ ઉપજાવવી તે સત્તરમું સ્થાનક છે. (૧૭)
સૂત્ર, અર્થ ઉભય એ ત્રણ ભેદથી અપૂર્વ જ્ઞાનનું જે ગ્રહણ કરવું તેને સર્વજ્ઞોએ અઢારમું સ્થાનક કહ્યું છે. (૧૮)
પુસ્તકો લખાવવા વગેરેથી તેમજ તેનું વ્યાખ્યાનાદિ કરવાથી શ્રુતની ભક્તિ કરવી તે ઓગણીસમું સ્થાનક કહ્યું છે. (૧૯)
વિદ્યા, વાદ, નિમિત્તાદિ વડે આઠ પ્રકારે પ્રવચનની પ્રભાવના કરવી તથા જૈનશાનની ઉન્નતિ કરવી તે વીસમું સ્થાનક કહેલું છે. (૨૦)
આ વીશ પૈકી એકેક સ્થાનનું આરાધન પણ જિનનામ કર્મના બંધનું કારણ છે. પૂર્વે થયેલા શ્રીતીર્થંકરોએ તે વીશપૈકી એક, બે, ત્રણનું તેમજ કોઈએ સર્વ સ્થાનકોનું આરાધન કરેલું છે. શ્રી ઋષભદેવ પ્રભુ અને શ્રીવીર પ્રભુએ વીશેવીશ પદની આરાધના કરી છે બાકીના પ્રભુએ એક-બે-ત્રણ ઇત્યાદિ પદોની આરાધના કરી છે. ‘જેમ તારાનું તેજ હરવામાં સૂર્ય, અંધકારને દૂર કરવામાં ચંદ્ર, વનની વેલડીઓના વિનાશમાં હાથી, શીતને દૂર કરવામાં અગ્નિ, વરસાદને દૂર લઈ જવામાં પવન, પર્વતોનો નાશ કરવામાં વજ, અપયશને દૂર કરવામાં દાન, ઝેરને દૂર કરવામાં મણિ અને વ્યાધિ માત્રને દૂર કરવામાં અમૃત અમોઘ ઉપાય રૂપ છે, તેમ વારંવાર સંસારમાં જન્મ લેનારા પ્રાણીઓના પાપને દૂર કરવામાં તપ અમોઘ ઉપાય છે. વિશુદ્ધિપૂર્વક કરાયેલો તપ ત્રિભુવનાધિપતિની પદવીનું સૌભાગ્ય આપે છે. અદ્ભુત રૂપ આપે છે. અનર્ગલ લક્ષ્મી આપે છે, (મચ-) કુંદના પુષ્ય જેવો ઉજ્જ્વળ યશ વિસ્તારે છે, દેવ અને મનુષ્યોના સુખભોગ આપે છે તેમજ પ્રાંતે મોક્ષ સુખ પણ આપે છે. આ જગતમાં એવું શું છે કે જે તપ દ્વારા પ્રાપ્ત થતું નથી. તપના મહાત્મ્યથી પ્રાણીઓને પુરુષોત્તમ રાજાની જેમ તમામ પ્રકારના વાંછિતાર્થની સિદ્ધિ થાય છે.
* લવ–એક પ્રકારના સયમનું નામ દા.ત. મિનીટ.