________________
. આ વાત મેં મારા પરમ કલ્યાણમિત્ર પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી હેમપ્રભવિજયજી મ.સા.ને જણાવતા તેઓશ્રીએ મારાવડીલગુરુબંધુ અધ્યાત્મયોગી નમસ્કારમહામંત્રારાધનાનિષ્ઠ સ્વ. પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર સાહેબના પરમકૃપાપાત્ર અને પોતાના વડીલ ગુરુ બંધુ સૌજન્યમૂર્તિ અજોડ સમતાધારક પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજયજી મ.સા. વાત જણાવતા. તેઓશ્રીએ મારા ઉપર મહાન ઉપકાર કરીને પોતાની નાદુરસ્ત તબીયતમાં અને શાસનના અનેકવિધકાર્યોની વ્યસ્તતામાં પણ પોતાના સહવત મહાત્માઓ તથા સાધ્વીજી ભગવંતો પાસે વાક્યરચનામાં સામાન્ય ફેરફાર આદિ સાથે પૂફ શુદ્ધિવગેરે કરાવી આપેલ. તે ઉપકાર તેઓશ્રીનો ભૂલાય તેવો નથી.
મારા. ભવોદધિતારક પરમારાથ્યપાદ પરમતારક ગુરુદેવ સ્વ. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા મારા જ્ઞાનદાતા ગુરુદેવ વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય નરચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા મારી દીક્ષાદાતા ગુરુદેવ પ્રસિદ્ધ પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ.સા.ની કૃપાબળે અને પ્રાચીન સાહિત્યોદ્ધારક પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા મારા પરમકલ્યાણમિત્રપૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી હેમપ્રભવિજયજી મ.સા.ના માર્ગદર્શનથી આ સંપાદન કાર્ય થયું છે. જોકે આમા હું તો નિમિત્તમાત્ર જ છું ખરેખરા યશના ભાગીદારનો મારા પરમકલ્યાણમિત્ર પંન્યાસજી મ.સા. છે. પ્રાન્ત આવા અનુપમ અદ્ભુત ગ્રંથના સંપાદન બદલ ભવવિરહપદની પ્રાપ્તિ થાયએ જ શુભાભિલાષા. આ.વદ-૭, વિ. સં. ૨૦૬૪
સુવિશાલગચ્છાધિપતિ પરમતારક ગુરુદેવ સુવિશાલગચ્છાધિપતિ પૂ.આ.ભ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી શ્રી વિજયહેમભૂષણસૂરીશ્વરજી મ.સા.ની મહારાજાનો વિનેય મુનિધર્મતિલકવિજય પ્રથમસ્વર્ગારોહણ માસિક તિથિ ભાભર .