________________
૧૨૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કરો. બાળરાજા આ વાત કેવી રીતે સમજે? અને રાજયનો ભાર ઉપાડવા સમર્થ કેમ થાય?”
રાજાએ કહ્યું કે-“હે સભ્યો ! તમે આ શું બોલો છો? શું લોકોક્તિ નથી સાંભળી કેગુણને માટે નાના મોટાનો નિરધાર નથી જુઓ ! હસ્તિ ઘણા સ્થૂળ શરીરવાળો હોય છે છતાં તે નાના સરખા અંકુશને વશ થાય છે, શું અંકુશ હાથી જેવડો હોય છે? નાના સરખા વજથી હણાયેલા પર્વતના શિખરો તુટી પડે છે, તો શું વજ પર્વતના શિખરો જેવું હોય છે? નાનો સરખો દીપક સળગાવતાં આખા ઓરડામાંથી અંધકાર નાશ પામે છે તો શું દીપક અંધકાર જેટલો હોય છે? માટે જેનામાં તેજ હોય તે જ બળવાનું ગણાય છે. એમાં મોટાનું મહત્વ નથી. નાના કે મોટા દેહમાં શું વિશ્વાસ કરવો ? કલિંગર મોટું હોય છે અને મરચું નાનું હોય છે પણ તેમાં તેજ વધારે હોય છે. વળી સાંભળો ! તમારા જેવા વૃદ્ધોથી પરિવરેલો તે બાળરાજા પણ સુપક્ષવાળો હોવાથી ગુણાગ્રણી થશે.' સારા પક્ષવાળો માર્ગણા ગુણહીન છતાં પણ લક્ષને પામે છે અને પક્ષહીન માર્ગણ ગુણપૂરિત છતાં વિલક્ષ થાય છે લક્ષ પામતો નથી. આ શ્લોક દ્વીઅર્થી હોવાથી માર્ગણ, પક્ષ અને ગુણ શબ્દની બાણ વગેરે સમજી તેને અનુસરતો પણ અર્થ કરવો. સારી પક્ષ (પાંખોવાળો પક્ષી વૃક્ષ પર રહીને સ્વાદુ ફળનું આસ્વાદન કરે છે અને પાંખ વિનાનો કેશરીસિંહ દૂર રહીને જોયા કરે છે.”
આ પ્રમાણે દષ્ટાંતો કહી મંત્રી વગેરેની અનુમતિ મેળવીને શુભ મુહૂર્ત રત્નપાળે પોતાના પુત્રને ત્યાંના રાજ્યપર સ્થાપન કર્યો અને “આજથી મહાનંદપુરમાં સિંહવિક્રમ રાજા થયેલ છે.' એવી સર્વત્ર ઉદ્દઘોષણા કરાવી. નવા રાજા થાય ત્યારે રાજસ્થિતિ પણ નવી થાય છે તે જ પ્રમાણે તે નવા રાજાએ મહાનંદપુરનું નામ રત્નપુર કરાવ્યું. મૂળ પ્રધાનોમાં જે મુખ્ય હતો તેને રત્નપાળ રાજાએ શિક્ષા આપી કે-“તમારે નિરંતર રાજ્યની ચિંતા કરવી અને મારા પુત્રની સંભાળ રાખવી. એ લઘુ હોવા છતાં તેની સારી રીતે સેવા કરજો. તેની આજ્ઞા સર્વદા મસ્તકપર ધારણ કરજો. હું પોતાને સ્થાને જવા છતાં પણ અહીંની કાળજી રાખ્યા કરીશ.” અમાત્યાદિને એ રીતે કહી, વસ્ત્રાભરણથી સારી રીતે સંતોષ પામડી, પ્રજાને અનેક રીતે પ્રસન્ન કરી. પછી જે નાવડી તેને અહીં લાવી હતી તે દેવીને યાદ કરી. દેવી પ્રગટ થઈને બોલી કે-“હે નૃપ “મને કેમ યાદ કરી છે?” રાજાએ કહ્યું કે-“હે શક્તિ ! મેં તારી ભક્તિ કરવા માટે અહીં મારા પુત્રને મૂક્યો છે તેની પ્રયત્નવડે સંભાળ રાખજે. તે રાજાની અહર્નિશ તારે સંભાળ લેવી. તે તારી નિરંતર સેવા કરશે અને તારો ભક્ત રહેશે. હવે મારે માટે એક આકાશગામી વિમાન તૈયાર કરી દે, કે જેથી હું એમાં બેસીને આનંદપૂર્વક મારે નગરે જાઉં.”
દેવીએ કહ્યું કે તમારા પુત્રની નિરંતર હું કાળજી રાખીશ, તમારે તે સંબંધી ચિંતા ન કરવી.” આ પ્રમાણે કહીને તેણે એક નવું વિમાન રચ્યું અને રત્નપાળને આપીને દેવી સ્વસ્થાને ગઈ. રત્નપાળે પ્રજાવર્ગને તેમજ પોતાના પુત્રાદિક સ્વજનોને જણાવીને વિમાનમાં બેસી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. હાથી ઘોડા, રથ અને પાયદળ વગેરે ચતુરગિણી સેના ભૂમિમાર્ગે તેનો તરફ ચાલી. તે વખતે અનેક વાજીંત્રોના નાદવડે આકાશ પૂરાઈ ગયું. અનેક મનુષ્યો તથા ખેચરોથી સ્તવાતો વિમાનમાં બેઠેલો રત્નપાળ રાજા દેવસમાન શોભવા લાગ્યો. વિમાનમાં બેઠેલો