SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૯ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ પાછળથી લોપ કર્યો. આથી જણાય છે કે, ઉચ્ચારણ કરવા દ્વારા વિદ્યમાન સ્વરૂપ બતાવ્યું અને લોપ કરવા દ્વારા અવિદ્યમાન સ્વરૂપ બતાવ્યું. આથી એક જ અધિકરણમાં ભાવ અને અભાવનું કથન કર્યું હોવાથી વિરોધ નામનો દોષ આવે છે. જેમ કોઈક, એક ભૂતલનાં સંબંધમાં કહે કે, “સત્ર પર સ્તિ” અને પાછો કહે કે “સત્ર ધટો નાસ્તિ” તો ત્યાં એક જ અધિકરણમાં ભાવ અને અભાવનો વિરોધ હોવાથી એવું શક્ય થઈ શકતું નથી. માટે અપ્રમાણ્યનો પ્રસંગ આવે છે. ઉત્તરપક્ષ - આ પ્રમાણે કહેવું જોઈએ નહિ. કારણ કે ક્યા અભિપ્રાયથી અનુબંધો જોડાયા છે? અને ક્યા અભિપ્રાયથી અનુબંધોની નિવૃત્તિ થાય છે? એ પ્રમાણેનો બોધ ન હોવાથી વિરોધની શંકા ઊભી થઈ છે. અનુબંધોનું વિદ્યમાન સ્વરૂપ એ કાર્યનાં પ્રયોજનથી છે. આથી હું કાર્ય કરીશ એવા અભિપ્રાયથી પ્રકૃતિ વગેરે સાથે અનુબંધો જોડાય છે તથા કાર્ય કરાઈ ગયા પછી બીજા કોઈ પ્રયોજનો ન હોવાથી લોપ થાય છે. તે તે કાર્યોથી અન્ય કંઈ પણ ન થાઓ. માટે લોપની અનુમતિ છે. અહીં ઉત્સર્ગ અપવાદ ન્યાય દ્વારા ભાવ અને અભાવ બંનેની સંગતિ કરાય છે. જે પ્રમાણે વર્ષો સન્ (પ/૧/૭૨) સૂત્રથી કર્મથી પર કોઈપણ ધાતુથી ગળું પ્રત્યય થાય છે આ ઉત્સર્ગ સૂત્ર છે તથા “ઝાતો ડોડહીં-વા-મ:” (૫/૧/૭૬) સૂત્રથી કર્મથી પર ઉપસર્ગ રહિત ગાકારાન્ત ધાતુથી “દુ" પ્રત્યય થાય છે. આ અપવાદ સૂત્ર છે. આથી અપવાદિત એવો “;" પ્રત્યય ઉત્સર્ગ એવા મ[ પ્રત્યયનો બાધ કરે છે. પાણિની વ્યાકરણમાં વ પ્રત્યયને અપવાદ સ્વરૂપ કહ્યો છે. બંને સૂત્રોનો ઉત્સર્ગ-અપવાદ-ભાવથી નિર્દેશ થયો હોવાથી “;" પ્રત્યય “મy”નો બાધ કરે છે. ખરેખર તો જે પ્રમાણે બધા ધાતુઓને મળું થાય છે એ જ પ્રમાણે બધા ધાતુઓમાં ગાકારાન્ત ધાતુઓ પણ આવતાં હોવાથી “”ની પ્રાપ્તિ આવે જ છે. આથી નાકારાન્ત ધાતુઓને જેમ “” પ્રત્યય થાય છે એમ પ્રત્યય પણ થવો જોઈએ, છતાં પણ ઉત્સર્ગ-અપવાદ ન્યાયથી (૩ત્સવાલો વતી:) “રુ" પ્રત્યય “ક”નો બાધ કરે છે અને આ ન્યાય જ “[" પ્રત્યયનો ભિન્ન વિષય કરે છે તેમજ “" પ્રત્યયનો પણ ભિન્ન વિષય કરે છે. “દુ" પ્રત્યય માટે ઉપસર્ગ રહિત એવા ગાકારાન્ત ધાતુઓ વિષયભૂત થશે તથા આના સિવાયના તમામ ધાતુઓ | પ્રત્યયના વિષયભૂત થશે. એ જ પ્રમાણે ધાતુ વગેરેમાં તે તે વર્ગોનું ઉચ્ચારણ અનુબંધ તરીકે કરવામાં આવ્યું છે. તે કાર્યના વિષયના પ્રયોજન માટે કરાયું છે અર્થાત્ કાર્યના વિષયમાં અનુબંધોનું ઉચ્ચારણ કરાયું છે. આથી કાર્યના નિમિત્તે અનુબંધોએ વિદ્યમાન એવું ભાવ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તથા જ્યાં કોઈ પ્રયોજન બાકી રહેતું નથી ત્યાં તે વર્ગોમાં લોપની અનુમતિ છે. આથી ઉચ્ચારણથી પ્રાપ્ત થયેલા ભાવને લોપની અનુમતિ બાધ કરે છે અર્થાત્ અભાવ ભાવનો
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy