SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૫૩ કે અડદ, સોંનાને તોલવા માટેનું એક વિશેષ માપ તથા મૂર્ખ. અહીં પણ જો અન્વયથી અર્થની વિચારણાં નક્કી કરવા જઈશું તો પ્રકૃતિનો સદ્ભાવ રહેવા છતાં પણ તે તે અર્થોની ગેરહાજરી થઈ જાય છે. આ પ્રમાણે આવા શબ્દોમાં પ્રકૃતિ અને પ્રત્યયના અર્થનું વિભાગીકરણ થઈ શકતું નથી. ભલે સમુદાયનું ત્યાં અર્થવાપણું સિદ્ધ થાય, પરંતુ આવા સ્થાનોમાં આ પ્રકૃતિનો આ અર્થ છે અને આ પ્રત્યયનો આ અર્થ છે એવું સિદ્ધ થતું નથી. કેટલાંક પદો એવા પણ હોય છે કે જેમાં પ્રકૃતિના જ બધા અર્થો જણાતાં હોય છે. દા.ત. વધિ + ત્તિ તથા વધુ + સિ અહીં પ્રથમા એકવચનનો નપુંસકલિંગમાં લોપ થતાં માત્ર ધિ અને મધુ શબ્દ બાકી રહે છે. એ જ પ્રમાણે અગ્નિમ્ વિનોતિ કૃતિ વિવર્ એ અર્થમાં વિવક્ પ્રત્યયનો લોપ થતાં “નિશ્વિત્” શબ્દ પ્રાપ્ત થાય છે. અહીં ત્રણેય ઉદાહરણોમાં પ્રકૃતિ અને પ્રત્યય ઉભયનો અર્થ માત્ર પ્રકૃતિ જ જણાવે છે. પ્રત્યય તો માત્ર કોઈક સ્થાનોમાં અર્થનો દ્યોતક બને છે. તથા ક્યાંક ક્યાંક પ્રત્યયોના જ બધા અર્થ જણાય છે. જેમ કે “અલ્ય અપત્યમ્” (વિષ્ણુનો દિકરો) અહીં અપત્ય અર્થમાં ‘“રૂ” પ્રત્યય થાય છે. આથી “ઞ” + “રૂ” આ અવસ્થામાં તદ્ધિતના પ્રત્યય પર છતાં અવર્ણનો લોપ થવાથી રૂઃ પ્રાપ્ત થાય છે. અહીં પ્રત્યય જ બધા અર્થને જણાવે છે. પ્રકૃતિ તો માત્ર અર્થનું કથન કરવા માટે સહાયક જ થાય છે. આ પરિસ્થિતિમાં કદાચ પ્રકૃતિ બધા અર્થોને જણાવે તો પ્રકૃતિનું અર્થવાપણું તો સિદ્ધ થાય છે. દા.ત. “વધિ” વગેરેમાં. પરંતુ જ્યારે પ્રત્યય જ બધા અર્થનું અભિધાન કરશે ત્યારે પ્રકૃતિનું અર્થવાપણું સિદ્ધ થતું નથી. આથી અહીં પણ પ્રકૃતિનો અર્થ સિદ્ધ ન થઈ શકતો હોવાથી આવી પ્રકૃતિઓમાં નામસંજ્ઞા કેવી રીતે થશે ? આ પ્રમાણે દોષ તો હજી ઊભો જ છે. કારણ કે તમે અન્વય વ્યતિરેકથી પ્રકૃતિનું અર્થવાપણું સિદ્ધ કર્યું છે. ઉત્તરપક્ષ :- આપના કહેવા પ્રમાણે પ્રકૃતિ જો બધા અર્થોને જણાવી દે અથવા તો પ્રત્યય જ બધા અર્થોને જણાવી દે તો પ્રકૃતિ અથવા તો પ્રત્યય બધાં જ અર્થોનાં વાચક બની જશે. અને એ પ્રમાણે તો આ બધા શબ્દો સામાન્ય શબ્દો બની જશે. જે જે સામાન્ય શબ્દો હોય છે તે તે કોઈક વિશેષ અર્થને જણાવનાર શબ્દ સમીપમાં ન રહ્યો હોય અથવા તો પ્રકરણાદિની ઉપસ્થિતિ ન હોય તો માત્ર સામાન્યથી જ અર્થને જણાવનારા થશે અર્થાત્ તેઓ સામાન્યથી સર્વ અર્થના વાચક બનશે. આમ જે શબ્દો પ્રકરણાદિને સાપેક્ષ રહીને જ વિશેષ અર્થનો બોધ કરાવી શકશે તે બધા જ શબ્દો સામાન્ય શબ્દો કહેવાશે. દા. ત. ‘“વધિ સ્વાતિ”. અહીં ‘“સ્વાતિ’ પદ જ “ધિ”માં કર્મત્વથી યુક્ત એવા અર્થનો બોધ થાય છે, એવું જણાવે છે, પરંતુ આવું વિશેષ વિદ્યમાન ન હોય તો ‘“વધિ” પદના અર્થનો વિશેષ બોધ થતો નથી. એ જ પ્રમાણે ‘“માષાન્
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy