SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ‘“પરમવિદ્ય’” વગેરે પ્રયોગોમાં કયા સૂત્રથી પદસંજ્ઞાની પ્રાપ્તિ થાય છે જેનો નિષેધ અહીં કરાય છે ? એ શંકાના અનુસંધાનમાં બૃહવૃત્તિમાં પંક્તિઓ લખી છે કે “અન્તવૃત્તિની” વિભક્તિનાં સ્થાનીવાવથી પદપણાંની પ્રાપ્તિ થતી હતી તેનો આ સૂત્રથી નિષેધ કરાય છે. સ્થાનીવભાવની પ્રાપ્તિ “સ્થાનીવાડવળવિદ્યૌ" (૭/૪/૧૦૯) સૂત્રથી થાય છે. એ સ્થાનીવદ્ભાવનો પ્રતિષેધ “ભુત્તિ અવૃત્−ત્ - નસ્' (૭/૪/૧૧૨) સૂત્રથી થાય છે. તે સૂત્ર પ્રમાણે નામને લાગેલા પ્રત્યયનો લોપ થતા કે લુફ્ થતાં લોપાયેલાં પ્રત્યયને માનીને જે કાર્ય લુની પૂર્વમાં થવાનું હોય, તે કાર્ય ન થાય. આ પ્રમાણે સ્થાનીવદ્ભાવનો પ્રતિષેધ પૂર્વ કાર્ય પ્રત્યે જ છે. પરંતુ સમુદાયકાર્ય પ્રત્યે નથી. આથી ૭-૪-૧૦૯ સૂત્રથી સ્થાનીવભાવ થવાથી ‘“પરમવિવો” પ્રયોગમાં પદપણાંની પ્રાપ્તિ થાય છે. ૨૯૨ પૂર્વપક્ષ :- “વિવ્” શબ્દમાં સ્થાનીવદ્ભાવથી ભલે પદસંજ્ઞાની પ્રાપ્તિ થાય, પરંતુ ‘ત્િ’ પ્રત્યય પર છતાં જ કોઈપણ નામ પદસંજ્ઞાવાળું થશે. એવા નિયમથી “સૌશ્રુતમ્” વગેરે પ્રયોગોની જેમ અહીં પણ સ્યાદિ પ્રત્યય પર છતાં પદપણાંનો પ્રતિષેધ થઈ જ જશે. માટે “વૃત્યન્તોસવે” દ્વારા તેમાં પદસંજ્ઞાનાં નિષેધની આવશ્યકતા નથી. ઉત્તરપક્ષ :- આ શંકાનાં અનુસંધાનમાં જ બૃહવૃત્તિ ટીકામાં “આચાર્ય ભગવંતે” પંક્તિઓ લખી છે કે “ન = સિત્યેવેતિ નિયમેન નિવર્તયિતું શક્યમ્... તવયવસ્યંતિ ।" જેનો અર્થ આ પ્રમાણે છે. “સિત્” પ્રત્યય પર છતાં જ એ પ્રમાણે નિયમથી અહીં અંતભાગમાં પદસંજ્ઞાનો નિષેધ કરવા સમર્થ થવાતું નથી. કારણ કે ૭-૪-૧૧૫ પરિભાષાથી જે સમુદાયથી પ્રત્યયનું વિધાન કરાય છે તે સમુદાયનું જ પદપણું નિયમથી દૂર કરાય છે. પરંતુ સમુદાયનાં અવયવનું પદપણું નિયમથી દૂર કરાતું નથી. સૂત્ર (૭/૪/૧૧૫)ની પરિભાષાથી પ્રત્યય પ્રકૃતિથી થાય છે. આથી “પરમવિૌ” વગેરે પ્રયોગોમાં “ઐ' વગેરે પ્રત્યય “પરમવિવું" આદિ સમુદાયને થાય છે, પરંતુ સમુદાયના અવયવ “વિ’થી નથી થતો. આમ, “” પ્રત્યય સમુદાયનું પદપણું નિવારી શકશે, પરંતુ ‘“વિક્”નું પદપણું નિવારી શકશે નહીં. માટે ‘વિ”માં તો અંતર્વર્તિની વિભક્તિની અપેક્ષાએ પદસંજ્ઞાની પ્રાપ્તિ છે જ, જેનો આ સૂત્રથી નિષેધ થાય છે. માટે આ સૂત્રની આવશ્યકતા છે જ. -: ન્યાસસારસમુદ્ધાર : वृत्त्यन्त इत्यादि-वर्तनं वृत्तिः क्तिः, वर्तनव्यापारवतीत्यर्थः, वर्तनं तु अवयवार्थापेक्षया परस्य समुदायार्थस्य प्रतिपादनम्; यद्वा 'वर्तिषीष्ट - परार्थमभिधेयाद्' इत्याशास्यमानावृत्तिः, कर्तरि तिक्; यद्वा वर्तन्ते स्वार्थपरित्यागेन पदान्यत्रेति आधारे क्तौ वृत्तिः पदसमुदायादिरूपा । सा त्रेधा-समासवृत्तिः १ तद्धितान्तवृत्तिः २ नामधातुवृत्तिश्चेति; 'राजपुरुषः, औपगवः, पुत्रकाम्यति' इत्यादि।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy