________________
૨૭૭
સૂ૦ ૧-૧-૨૩
पद्यमानमर्मु मत्वर्थवृत्तिं गमयतीत्युक्तम् - मतोरपि - मतुशब्दस्यापि मत्वर्थाव्यभिचारान्मत्वर्थशब्देन ग्रहणमिति ।
અનુવાદ :- જ્યાં અન્ય સ્વરૂપથી ઉપલક્ષણપણું હોય અને અન્ય સ્વરૂપથી કાર્યનો યોગ સ્વીકારાય છે ત્યાં ઉપલક્ષણમાં પણ ઉપલક્ષ્યનો સદ્ભાવ હોતે છતે કાર્યનો સંબંધ થાય છે. દા.ત. “દેવદત્તની શાળામાં બ્રાહ્મણો લવાય” એવું કહેવામાં આવે ત્યારે કાર્ય સ્વરૂપ ઉપલક્ષ્ય ‘શાળામાં બ્રાહ્મણોને લાવવાનું' અને ઉપલક્ષણ તરીકે ‘દેવદત્ત’ છે. હવે દેવદત્તમાં પણ જો બ્રાહ્મણત્વ સ્વરૂપ ધર્મ હોય તો દેવદત્તને પણ લાવવાનું કાર્ય થાય જ છે. અહીં ઉપલક્ષણમાં કાર્યનાં નિમિત્તનો સદ્ભાવ હતો. માટે ઉપલક્ષણમાં પણ કાર્યનો સંબંધ થઈ શક્યો. પરંતુ ઉપલક્ષણમાં કાર્યનાં નિમિત્તનો સદ્ભાવ ન હોય તો ઉપલક્ષણમાં કાર્યનાં નિમિત્તનો સંબંધ થઈ શકતો નથી. દા.ત. ‘તમારાવડે દેવદત્તની શાળાનો નાશ કરાય.' આવું કહેવાય ત્યારે નાશ કરવા સ્વરૂપ કાર્યનો સદ્ભાવ શાળામાં થઈ શકશે. પરંતુ દેવદત્તમાં થઈ શકશે નહીં. આમ, આવા સ્થળોમાં ઉપલક્ષણમાં કાર્યનો સંબંધ થઈ શકતો નથી.
ઉપલક્ષણમાં કાર્યનો યોગ થતો નથી એવું આપ કહો છો. પરંતુ ‘મત્વર્થે’માં ‘મતુ’ એ ઉપલક્ષણ સ્વરૂપે છે; છતાં એમાં કાર્યનો યોગ થાય છે, તો તે કેવી રીતે સિદ્ધ થઈ શકશે ? કારણ કે ‘મતુ’ શબ્દથી ઉપલક્ષિત ‘મતુ’ અર્થ છે. આથી ‘મતુ’ના અર્થવાળા પ્રત્યયોમાં જ પદસંજ્ઞાનો નિષેધ થઈ શકશે; પરંતુ ‘મતુ’ પ્રત્યય પર છતાં પદસંજ્ઞાનો નિષેધ થઈ શકશે નહીં. કારણ કે ‘મતુ’ એ ઉપલક્ષણ સ્વરૂપે છે. અહીં ‘મતુ’ શબ્દ જો ‘મત્વર્થ’ સ્વરૂપ થાય તો જ ‘મતુ’ પ્રત્યય પર છતાં ‘સ્’ અને ‘ત્’ અંતવાળા નામોમાં પદસંજ્ઞાનો નિષેધ થઈ શકે. આથી આચાર્ય ભગવંતશ્રી હવે ‘મતુ’ પણ ‘મતુ’ અર્થવાળો છે એ પ્રમાણે ‘તથાન્નિ-ષ્ટ્રો...' પંક્તિ દ્વારા જણાવે છે. ‘મત્વર્થે’ સ્વરૂપ સામાસિક શબ્દમાં ‘મતુ’નો અર્થ ‘મત્વર્થ:' થાય છે. અને ‘’ શબ્દ એ બીજું નામ છે. આથી સમાસનો વિગ્રહ આ પ્રમાણે છે : ‘મત્વર્થ: અર્થ: યસ્ય સઃ' અહીં ‘મત્વર્થ:’માં રહેલા ‘અર્થ’ શબ્દનો વૃત્તિમાં અપ્રયોગ થવાથી વૃત્તિમાં બે ‘અર્થ’ શબ્દ આવતાં નથી. માટે વૃત્તિ ‘મત્વર્થ:’ સ્વરૂપ જ થશે. જે પ્રમાણે ‘ષ્ટ્રમુદ્ધઃ' સામાસિક શબ્દમાં એક ‘મુવ’ શબ્દનો પ્રયોગ થતો નથી.
આમ તો ‘ઉષ્ટ્રમુદ્ઘ’ સ્વરૂપ સામાસિક શબ્દનો વિગ્રહ ‘ષ્ટ્રો મુલત્ યસ્ય સ:’ એ પ્રમાણે થશે, પરંતુ અહીં અર્થની સંગતિ થતી નથી. કારણ કે આ વિગ્રહનો ભાવાર્થ “ઊંટ છે મુખ જેનું” એ પ્રમાણે થશે. અહીં કોઈ પણ પ્રાણી ક્યારેય પણ બીજા પ્રાણીનાં મુખ સ્વરૂપ બની શકે નહીં. આથી ‘ઉષ્ટ્ર’ શબ્દનો સામર્થ્યથી ‘૩Çસ્ય વ’ એ પ્રમાણે સાદશ્ય અર્થ જણાશે. આથી અર્થ “ઊંટ જેવું મુખ જેનું છે એવી કોઈ વ્યક્તિ” એવો થશે. હવે આવો અર્થ કરીએ તો પણ અર્થ સંગત