________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
અનુવાદ :- આ સૂત્રમાં તમામ ઉદાહરણો નામધાતુ અને તદ્ધિતવૃત્તિનાં બતાવેલ છે. વળી આ સૂત્રથી ફરીથી પદસંજ્ઞાની પ્રાપ્તિ કરવી પડી એનું કારણ શું ? એ સંબંધમાં સંપૂર્ણ પ્રક્રિયા આ પંક્તિઓ દ્વારા “આચાર્ય ભગવંત” બતાવે છે.
૨૭૨
નામધાતુ અને તદ્ધિતવૃત્તિ હોવાથી અન્તર્વર્તિની વિભક્તિથી જ ‘તદ્દન્ત પદ્દમ્” (૧/૧/૨૦) સૂત્રથી પદપણાંની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ અન્તર્વર્તિની વિભક્તિવાળા નામોમાં ૧-૧-૨૧ સૂત્રથી માત્ર સિત્ પ્રત્યય પર છતાં જ પદસંજ્ઞાની પ્રાપ્તિનો અપવાદ કરાયો. આથી, અન્ય પ્રત્યય પર છતાં અન્તર્વર્તિની વિભક્તિની અપેક્ષાએ પણ પદસંજ્ઞા થશે નહીં. આમ છતાં પણ ૧-૧૨૧ સૂત્રમાં જ “વ્યંજનનું” નિમિત્ત લખવા દ્વારા જ ફરીથી પદસંજ્ઞાની પ્રાપ્તિ કરાવી. જે ફરીથી પ્રાપ્તિ કરાવી તેમાં પણ આ સૂત્રમાં “પ્”નો નિષેધ કરવા દ્વારા પદસંજ્ઞાની પ્રાપ્તિ અટકાવી. એ પ્રમાણે પ્રતિષિદ્ધ એવી પદસંજ્ઞાની પ્રાપ્તિ આ સૂત્રવડે ફરીથી ઉત્પન્ન કરાઈ.
-: ન્યાસસારસમુદ્ધાર :
( न्या०स० ) नं क्य इत्यादि - 'क्ये' इति सामान्यनिर्देशेऽपि क्य- क्यपोर्नामाधिकारेण व्यावर्तितत्वाद् अन्यस्य निरनुबन्धस्याभावाद् उत्सृष्टानुबन्धस्य क्यमात्रस्य ग्रहणमित्याह-क्य
ત્યાદ્રિ ।
-: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ :
ઉપરોક્ત તમામ પંક્તિઓનો અનુવાદ શબ્દમહાર્ણવન્યાસમાં આવી ગયો છે. (न्या०स० ) चर्मायतीति - चर्मणः प्रागतत्तत्त्वासंभवात् च्व्यर्थाभावे क्यङ्घ् न प्राप्नोतीति तद्वद्वृत्तेश्चर्मन् शब्दात् प्रत्ययः, अचर्मवान् चर्मवान् भवतीति यथा - निद्रायतीत्यादि ।
અનુવાદ :- ચામડાનું પહેલા ન હોવું એ તત્ત્વનો અસંભવ હોવાથી —િના અર્થનો અભાવ થાય છે. માટે “વડ્યું” પ્રત્યયની પ્રાપ્તિ આવતી નથી. કોઈક વ્યક્તિમાં પહેલા દુર્જનતાનો અભાવ હોઈ શકે છે ત્યારબાદ દુર્જનતા આવી શકે છે. એવું થઈ શકે છે. એ જ પ્રમાણે ચામડું પહેલા ન હતું અને પછી થયું તેવું કહી શકાતું નથી. આથી “યક્ષ્” પ્રત્યયનો અભાવ થાય છે. છતાં પણ અહીં ‘‘વયપ્’” પ્રત્યય થયો છે. તેથી અસંગતિને દૂર કરવા માટે “વર્મન્” શબ્દનો અર્થ કેવો લેવો એ સંબંધમાં અહીં જણાવે છે. “વર્મન્” શબ્દ અહીં “મ' અર્થવાળો સમજવો. આથી ધર્મવામાં વૃત્તિ એવો આ “ધર્મ” શબ્દ સમજવો. પહેલાં જે ચામડા વગરનું હતું તે ચામડાવાળું થાય છે. જે પ્રમાણે પહેલાં નિદ્રા વગરનો હતો તે નિદ્રાવાળો થાય છે. એ પ્રમાણે બોલી શકાય છે. આ પ્રમાણે મતુ અર્થવાળો “વર્મન્” શબ્દ સમજવાથી “ન્નિ” અર્થનો સંભવ થઈ શકે છે.