________________
૨૨૨
સૂ) ૬-૨-૨૦ આવશે. આમ અહીં પણ પ્રત્યય લક્ષણવાળું કાર્ય અર્થવાળું થવાથી “છ”, “ઉ” વગેરેની પણ નાસંજ્ઞા થશે.
પૂર્વપક્ષ :- તમે ન્યાયનું અર્થઘટન બરાબર સમજી શક્યા નથી માટે આ રીતે જવાબ આપો છો. એ ન્યાય તો એવું જણાવે છે કે પ્રત્યયનો લોપ થયે છતે પણ (માસ શબ્દના) પૂર્વ શબ્દમાં જે સવદિ નિમિત્તક કાર્ય હતું તેનો નિષેધ થશે. અર્થાત્ પ્રત્યયનો લોપ થયે છતે પ્રત્યય નિમિત્તક જે અન્ય કાર્યો છે, તેની વિધિ પ્રત્યયનો લોપ થયે છતે પણ કરાય જ છે. પરંતુ પ્રત્યયનું જ જે કાર્ય છે એ પ્રત્યયનો જ લોપ થયે છતે સંભવી શકે નહીં. અહીં તો વિવ૬ પ્રત્યયનો લોપ થયો છે. આથી “વિવ" પ્રત્યય નિમિત્તક અન્ય કોઈ કાર્ય હોય તો શક્ય થાત, પરંતુ અહીં તો વિવ૬ પ્રત્યય માનીને જ અર્થવાનનું નામ સંજ્ઞાનું કાર્ય તમે બતાવો છો તે તો શક્ય જ નથી. જ્યારે સ્થાની જ અસત્ થઈ જાય એવા અસત્ સ્થાનીને સેંકડો પ્રયત્નોથી પણ કાર્ય કરવા માટે ગ્રહણ કરી શકાતા નથી જ.
તે પ્રમાણે માત્ર તદ્ધિતની જ નામસંજ્ઞા પાડવામાં આવશે તો “પો: અપત્ય' આ વાક્યમાં મપત્ય અર્થમાં “" પ્રત્યય થતાં તદ્ધિતવૃત્તિને માનીને ૩-૨-૮ સૂત્રથી ષષ્ઠી વિભક્તિનો લોપ થઈ શકશે નહીં. અહીં સામર્થ્યનો સંબંધ વિશેષનો) અભાવ હોવાથી ૩-૨-૮ સૂત્રથી ષષ્ઠીનો લોપ થતો નથી.
અહીં તમારા (ઉત્તરપક્ષનાં) નિયમ પ્રમાણે માત્ર કૃત્ અને તદ્ધિત પ્રત્યયો જ અર્થવાળા થવાથી માત્ર તું અને તદ્ધિત પ્રત્યયોની જ નામસંજ્ઞા થાય છે. તેથી “૩૫ સપત્ય'માં “પત્ય” અર્થમાં “[” પ્રત્યય થતા તે જ “[" પ્રત્યયની નામસંજ્ઞા થતા ૩૫ + [ આ બંનેની તદ્ધિતવૃત્તિ થઈ શકશે નહીં. કારણ કે ૩૫. વિભક્તિ અન્તવાળું પદ છે અને મન્ નામસંજ્ઞાવાળો છે, આ પ્રમાણે બંનેના ભેગા થવા દ્વારા સામર્થ્યવિશેષનો સંબંધ વિશેષનો) સભાવ થતો નથી. આ પ્રમાણે પ્રાર્થનો અભાવ થવાથી જ ૩૫ શબ્દમાં રહેલી ષષ્ઠી વિભક્તિનો લોપ થઈ શકશે નહીં.
અહીં “કૈયટ” એમ કહે છે કે, પ્રાતિપદિકમાં (સિદ્ધહેમ પ્રમાણે નામસંજ્ઞા) “પણ”નો સમાવેશ થતો નથી. માટે ષષ્ઠી વિભક્તિનો લુફ થતો નથી.
જો તું અને તદ્ધિત પ્રત્યયોમાં તદન્તની નામસંજ્ઞા માનવામાં આવશે તો આ દોષનો અવકાશ રહેશે નહીં. માટે બધા પ્રત્યયોમાં તદન્તવિધિ માનવામાં આવશે તો નામસંજ્ઞા વગેરે સહેલાઈથી થઈ શકશે. તેથી દોષોનો અવકાશ રહેશે નહીં. (शन्या०) उच्यते-प्रत्ययस्य संज्ञिनस्तदन्तस्य संज्ञा न भवति, न तु प्रत्ययस्य या संज्ञा