SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ મત્.' અહીં કરાયેલાં પ્રત્યયવાળા ઇચ્છિત પ્રયોગો જણાય છે. દા.ત. “મરુત્ + સિ ‘“વીર્યચાવ્યઞનાત્ સે:” (૧/૪/૪૫) સૂત્રથી “સ”નો લોપ થવા દ્વારા “મત્” પ્રયોગ સાધુ પ્રયોગ છે એવું જણાવાય છે. અહીં “સંત”નો અર્થ આ પ્રમાણે થાય છે. વ્યાકરણ દ્વારા પ્રક્રિયા કરીને પ્રયોગ કરવા માટે શબ્દોને છોડવા એ પદોનો સંસ્કાર કહેવાય છે. આ સૂત્ર આ પ્રમાણે જગતમાં પ્રસિદ્ધ પ્રયોગોના સંસ્કાર કરવા માટેનું નથી. - આ સૂત્ર સ્થાની અને આદેશ પ્રયોજનવાળું પણ થતું નથી. જે પ્રમાણે ઉપર કહેલા (૧/૪ ૪૫) સૂત્રમાં ‘સિ” સ્થાની છે તથા “જી” થાય તે આદેશ છે. એવું આ સૂત્રમાં જણાતું નથી. “સિ ઔ - નસ્” વગેરે સ્થાની થાય અને પ્રથમા વગેરે આદેશ થાય એવું તો શક્ય નથી. કારણ કે જેમ “રૂ”નો “પ્” થાય છે ત્યારે “રૂ”નું અસ્તિત્વ જતું રહે છે. એવું અહીં થતું નથી. જો એવું જ થતું હોત તો “સિ”ની જગ્યાએ પ્રથમા આદેશ આવી જાત. માટે સ્થાનીનાં આદેશ માટે પણ આ સૂત્ર નથી. કદાચ સૂત્રમાં ષષ્ઠી અને પ્રથમા વિભક્તિ હોવાથી કોઈ કહે કે “સિ” વગેરેને સ્થાની માનો અને પ્રથમા વગેરેને આદેશ માનો તો એના જવાબમાં સમજવું કે આ સૂત્ર સંજ્ઞા પ્રકરણમાં ગ્રહણ કર્યું હોવાથી એ વિકલ્પ પણ (સ્થાનીના આદેશનો) શક્ય નથી. વળી, સંજ્ઞા પ્રકરણમાં જ ગ્રહણ કર્યું હોવાથી આ સૂત્ર આગમ-આગમી ભાવના પ્રયોજનવાળું પણ થતું નથી. જો આગમ હોય તો અન્ત શબ્દ અથવા તો આદિ શબ્દ ચિતૢ તરીકે જણાવેલો હશે. પરંતુ અહીં તો અન્ન અને આદિ સ્વરૂપ ચિન્હનો અભાવ જણાય છે માટે આ સૂત્ર આગમઆગમી ભાવ પ્રયોજનવાળું પણ નથી. “ત્રનામસ્વરે નોઽન્તઃ” (૧/૪/૬૪) સૂત્ર આગમ પ્રયોજનવાળું છે એવું અહીં જણાતું નથી. (श०न्या० ) नापि विशेषण - विशेष्यभावार्थम्, शब्दलक्षणे तदनुपयोगाद् । तस्मात् पारिशेष्यात् स्यादीनां प्रथमादिव्यवहाराभावात् पारम्पर्यात् संज्ञाप्रकरणे विधानाच्च संज्ञार्थमिदमित्याहस्यादीनामित्यादि । અનુવાદ :- આ સૂત્ર વિશેષણ-વિશેષ્યભાવ પ્રયોજનવાળું પણ નથી. જેમ કે વિદ્વાન પુરુષો ક્ષતિ કરતાં નથી. આ વાક્ય વિશેષણ વિશેષ્યભાવ પ્રયોજનવાળું છે. વિદ્વાન એ વિશેષણ છે અને પુરુષો એ વિશેષ્ય છે. એ પ્રમાણે અહીં વિશેષણ-વિશેષ્યભાવ જણાતો નથી. કારણ કે વ્યાકરણમાં માત્ર શબ્દોની સિદ્ધિ કરવાની હોય છે. આથી શબ્દ લક્ષણમાં વિશેષણ-વિશેષ્યભાવનો ઉપયોગ ન હોવાથી આ સૂત્ર વિશેષણ-વિશેષ્યભાવ પ્રયોજનવાળું પણ નથી. તેથી પારિશેષ ન્યાયથી આ સૂત્ર સંજ્ઞાના પ્રયોજનવાળું જ છે. જગતમાં પ્રથમા વગેરે વ્યવહારનો ‘‘સ્થાવિ’ વિભક્તિમાં અભાવ જણાતો હોવાથી તથા પૂર્વના મહાપુરુષોની પરંપરાથી
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy