SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧૬ ૧૯૭ અનુસ્વાર રહ્યો હોય અથવા તો બાજુમાં વિસર્ગ રહ્યો હોય તો અનુસ્વાર અને વિસર્ગ પૂર્વવર્ણ સંબંધિત જ થાય છે. દા. ત. ‘“દ્ધં ો” અહીં અનુસ્વાર ‘વ' વર્ણ સંબંધિત જ ઉચ્ચારવાળો થાય છે, પરંતુ ‘ત’ વર્ણ સંબંધિત ઉચ્ચારણવાળો થતો નથી. તથા ‘જ્ર પવૃતિ' પ્રયોગમાં વિસર્ગ ‘’ સંબંધિત ઉચ્ચારણવાળો જ થાય છે, પરંતુ ‘પ' વર્ણ સંબંધિત ઉચ્ચારણવાળો થતો નથી. આવું – અને ) વર્ણોમાં નથી. આ બંને વર્ણો પરવર્ણ સંબંધિત જ ઉચ્ચારણ-વાળા થાય છે. દા. ત. દ્વિ — ોતિ પ્રયોગમાં — (જિહ્વામૂલીય) વર્ણ – સંબંધિત જ ઉચ્ચારણવાળો થશે, પરંતુ દ્વિ વર્ણ સંબંધિત ઉચ્ચારણવાળો નહીં જ થાય. આથી આ બંને વર્ણો જ્યાં જ્યાં પ્રયોગમાં આવ્યા હશે ત્યાં ત્યાં બધે જ પરવર્ણ સંબંધિત જ ઉચ્ચારણવાળા થશે. અહીં સંજ્ઞી બહુવચનમાં છે અને સંજ્ઞા એકવચનમાં છે. આમ તો સંજ્ઞા અને સંજ્ઞીનું સમાનાધિકરપણું હોય છે. આથી બંનેમાં સમાન વચન થવું જોઈએ. છતાં ‘શિર્’ એ પ્રમાણે એકવચન કર્યું છે. એનું કારણ જણાવતાં “આચાર્ય ભગવંત” કહે છે ‘નાં આદેશ સ્વરૂપ ‘વપ્રાકૃતિ’ અને ‘“ગનમાકૃતિ’વાળા વર્ણો છે. તેમજ ‘, ‘વ’ અને ‘પ’, ‘ની સમીપમાં જ તે બંનેનો પ્રયોગ થાય છે. આથી આ બંને વર્ણોનું અલ્પ વિષયપણું છે. એ અલ્પ વિષયપણાંને જણાવવા માટે જ ‘શિર્’ એ પ્રમાણે એકવચન દ્વારા નિર્દેશ કરાયો છે. પૂર્વપક્ષ :- આ બંને વર્ણો ‘”નાં આદેશ સ્વરૂપ છે. આથી વર્ણનાં પાઠક્રમમાં જોવા મળશે નહીં. હવે જે જે વર્ણનાં પાઠક્રમમાં જોવા મળે તેનું જ વર્ણપણું થાય છે. આથી આ બે વર્ણનું વર્ણપણું કેવી રીતે થશે ? અર્થાત્ વર્ણપણું થશે નહીં. ઉત્તરપક્ષ :- આ બંને વર્ણો ‘પ્’નાં આદેશ સ્વરૂપ છે અને આદેશ આદેશી જેવો થાય એ ન્યાયથી જો ‘ર્માં (આદેશી) વર્ણપણું છે. તો આદેશમાં પણ વર્ણપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આ બંને વર્ણમાં વર્ણપણું સિદ્ધ થશે. પૂર્વપક્ષ :- આ રીતે જો આદેશમાં વર્ણપણું સિદ્ધ કરશો તો જ્યાં જ્યાં વર્ણનો લોપ થતો હશે ત્યાં ત્યાં લોપમાં પણ વર્ણપણું માનવું પડશે. દા.ત. મહત્ + fપ્ત અહીં (૧/૪/૪૫) સૂત્રથી ‘સિ’નો લોપ થતાં લોપમાં પણ વર્ણપણું માનવું પડશે. “સિ” જો વર્ણ સ્વરૂપ છે તો “ff”નો લોપ પણ આદેશ આદેશી જેવો થાય એવી પરિભાષાથી વર્ણ સ્વરૂપ જ થશે. આમ થશે તો મમાં પદને અંતે બે વ્યંજન સ્વરૂપ વર્ણો ઉપસ્થિત થશે. ઉત્તરપક્ષ :- વર્ણનો લોપ થતાં લોપમાં પણ વર્ણપણું થશે એવી શંકા કરવી જોઈએ નહીં. કારણ કે લોપ એ અભાવ સ્વરૂપ છે અને અભાવ ક્યારે પણ ભાવનાં આશ્રયભૂત થવા માટે સમર્થ નથી. જો અભાવ પણ ભાવનાં આશ્રય સ્વરૂપ થશે તો સર્વત્ર અભાવવાળા સ્થાનોમાં ભાવ સ્વરૂપ પદાર્થ માનવાની અતિવ્યાપ્તિ આવશે. દા.ત. મત્ + સિ. આ અવસ્થામાં
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy