SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૫ ૧૪૭ परिमाणमस्तिं; न च व्यक्तिद्वारकं जातेः परिमाणमाश्रीयते इति वक्तव्यम्, यत एकैकव्यक्तिव्यङ्ग्या हि जातिर्न समुदायव्यङ्ग्या;) न च मुख्ये सम्भवति गौणकल्पना ज्यायसीति भावः । તથા સંહિતાપાઠોડક્તિ , યથા-"ગૌત્તા: સ્વરા -દિ-ત્રિમાત્રા દૂર્વ-તીર્ષ-સ્તુતા:” રૂતિ | तत्राऽयमर्थः सम्पद्यते-हस्वादिसंज्ञया विधीयमाना औदन्ता वर्णाः स्वरस्य भवन्ति, 'स्वराः' इति षष्ठ्यर्थे प्रथमाविधानात्, “इन् ङीस्वरे०" [१.४.७९.] इतिवत्, एवं च स्थानिनियमार्था परिभाषेयं सम्पद्यते । અનુવાદ:- અહીં “વર્ણો” એ અન્ય પદાર્થ તરીકે છે. અને “પ-દિ-મિત્રા” એ વિશેષણ તરીકે છે. હવે એકમાત્રા, બે માત્રા અને ત્રણમાત્રા સ્વરૂપ વિશેષણનો આશ્રય કરાયો હોવાથી અહીં વ્યક્તિપક્ષનો આક્ષય કરાયો છે એવું માની શકાય છે. અર્થાત્ જુદા જુદા વર્ગોમાં પરિમાણ (સમયનું માપ) હોઈ શકે છે. જો જાતિપક્ષનો આશ્રય કરવામાં આવે, અર્થાત્ એકમાત્રાવાળો વગેરે સમુદાય હૃસ્વ, દીર્ઘ અને પ્લત થાય છે એવું કહેવામાં આવે તો એ શક્ય નથી. જાતિનું પરિમાણ ક્યારે પણ હોતું નથી. સમયનું માપ વ્યક્તિનાં સંબંધમાં હોઈ શકે છે, પરંતુ જાતિનાં સંબંધમાં હોતું નથી. દા.ત. “ ર”નો ઉચ્ચારણકાળ બતાવી શકાય છે. પરંતુ “સ્વ” જાતિનો ઉચ્ચારણકાળ બતાવી શકાતો નથી. વળી, જાતિનું પરિમાણ નથી. જાતિનું સ્વરૂપથી (આકૃતિથી) પરિમાણ નથી. જાતિની કલ્પના અનુચિત છે આ પ્રમાણે બૌદ્ધો કહે છે. કારણ કે જાતિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતી નથી. તેમજ લવાતી નથી. કદાચ એવું કહેવામાં આવે કે વ્યક્તિ દ્વારા જાતિનું પરિમાણ આશ્રય કરાય છે, તો એ પ્રમાણે કહેવું જોઈએ નહીં. કારણ કે એક એક વ્યક્તિ દ્વારા પ્રગટ થવા યોગ્ય એવી જાતિ સમુદાય દ્વારા પ્રગટ થઈ શકતી નથી. અર્થાત્ જાતિ સમુદાયથી વ્યક્ત થઈ શકતી નથી.વ્યક્તિપક્ષનો આશ્રય કરવાથી જો કાર્યની સંગતિ થઈ શકતી હોય તો ગૌણ પક્ષનો (જાતિપક્ષનો) આશ્રય કરવો યોગ્ય નથી. આ સૂત્રમાં હ્રસ્વ, દીર્ઘ અને પ્લત સંજ્ઞા જો વ્યક્તિપક્ષનો આશ્રય કરવાથી સંગત થઈ શકતી હોય તો જાતિપક્ષની (ગૌણ પક્ષની) કલ્પના કરવી યોગ્ય નથી. હવે આ સૂત્રને જો સંજ્ઞાસૂત્ર માનવામાં આવે તો એકમાત્રા,બે માત્રા અને ત્રણ માત્રાવાળાની અનુક્રમે હૃસ્વ, દીર્ઘ અને હુત સંજ્ઞા પ્રાપ્ત થાય. પરંતુ ત્યાં શંકા તો ઊભી જ રહે કે કયાં વર્ષોની હસ્વાદિ સંજ્ઞા કરવી? શું સ્વર સ્વરૂપ વર્ગોની કરવી કે વ્યંજન સ્વરૂપ વર્ગોની હૃસ્વાદિ સંજ્ઞાઓ કરવી? અથવા તો સ્વર અને વ્યંજનનાં સમુદાય સ્વરૂપ બધા જ વર્ણોની હૃસ્વાદિ સંજ્ઞાઓ કરવી? આ પ્રમાણે અહીં સ્થાનીનો નિર્ણય થઈ શકતો નથી. તેથી “સૌન્તા. સ્વર:” સૂત્રનો આ સૂત્ર સાથે અભેદ સંબંધ (સંહિતા) પણ છે એવું “આચાર્ય ભગવંત” કહે છે. આથી આખું સૂત્ર આ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy