________________
સૂ૦ ૧-૧-૩ तथा वर्णानां सम्यक्पाठक्रमोऽपि तत एव ज्ञातव्यः, नास्माभिर्नूतनोऽज्झलादिरूपो विधेयः, सर्वज्ञप्रणीतकैवलिकादिशास्त्रेषु ऐन्द्रादिपूर्वव्याकरणेषु च अज्झलादिरूपस्याप्रसिद्धः ।
અનુવાદ - અંતરંગ વગેરે ન્યાયો છે. હવે ન્યાયનો અર્થ બતાવે છે - સંદેહના (શંકાના) ત્રાજવા પર આરૂઢ થયેલો અર્થ જેના વડે નિશ્ચયને પ્રાપ્ત કરાવાય છે તે ન્યાય કહેવાય છે. અર્થાત્ જેનાથી અર્થ નિશ્ચિતપણાને પ્રાપ્ત કરે છે, તે ન્યાય કહેવાય છે. અહીં “પી” ધાતુને “ચાયાવાયાધ્યાય...” (૫/૩/૧૩૪) સૂત્રથી “વ” પ્રત્યય લાગતાં “ચાય” શબ્દ નિપાતન કરાય છે. આ ન્યાયનો અર્થ યુક્તિ થાય છે, પરંતુ વ્યાકરણશાસ્ત્ર થતો નથી. અહીં સંસ્કૃત શબ્દ સ્મૃતિશાસ્ત્ર છે છતાં અમે એનો અર્થ વ્યાકરણશાસ્ત્ર કરીએ છીએ. આ સંબંધમાં ભર્તુહરિવિરચિત વાક્યપદીય ગ્રન્થના પ્રથમ કાંડના ૧૫૮માં શ્લોકમાં આ અંગેની માહિતી છે. साधुत्वज्ञानविषया, सेयं व्याकरणस्मृतिः । अविच्छेदेन शिष्टानामिदं स्मृतिनिबन्धनम् ॥ १५८ ॥
સાધુ શબ્દોનું જ્ઞાન એ આ વ્યાકરણસ્મૃતિનો વિષય છે. શિષ્યોની અવિચ્છિન્ન સ્મૃતિ પરંપરાનું તે નિમિત્ત છે. અર્થાત્ વ્યાકરણ સંબંધી સ્મૃતિ એ પ્રમાણે પૂજ્ય ભર્તુહરિએ જ જણાવ્યું છે. તેનાથી ફલિત થાય છે કે વ્યાકરણ સ્મૃતિ એ જ સ્મૃતિ શાસ્ત્ર છે. જે વ્યાકરણ સંબંધી સ્મૃતિનું શાસ્ત્ર છે. શિષ્ટપુરુષો માટે નિરંતર સ્મૃતિ પરંપરાનું કારણ આ સાધુ શબ્દનું જ્ઞાન જ બનશે. તેઓ આગળ લખે છે કે, આ સ્મૃતિશાસ્ત્ર (વ્યાકરણ) વૈખરી, મધ્યમ અને પયંતી એમ અનેક ભિન્ન માર્ગોમાં વ્યાપ્ત વાણીનું અદ્ભુત અને ઉત્તમ સ્થાન છે.
હવે, ન્યાય એટલે યુક્તિ, પણ વ્યાકરણશાસ્ત્ર નહીં; એના સંદર્ભમાં ઉદાહરણ બતાવે છે ફળના પ્રયોજનથી અંદર રહેલા નિમિત્તો જેમને છે તે અંતરંગ કહેવાય છે તથા જેને બહાર નિમિત્તો છે તે બહિરંગ કહેવાય છે. જે કારણથી સ્વાર્થને વિશે પ્રયત્ન કરતો એવો લોક ઇષ્ટ અર્થ માટે જ પ્રયત્ન કરે છે. જ્યારે જ્યારે વ્યક્તિને અંતરંગ પ્રયોજન આવીને ઊભું રહે છે ત્યારે બહારના બધા જ કામો છોડી દઈને પોતાના કામમાં જ તે પ્રયત્નવાળો થાય છે. આ બધું યુક્તિથી સિદ્ધ થઈ શકે છે. વ્યાકરણકારોએ તો તેને પુનઃ કહ્યું છે અર્થાત્ વ્યાકરણકારોએ તેનું પુનરાવર્તન કર્યું છે.
તથા વણનો સમ્યફ એવો પાઠક્રમ પણ શિષ્ટપુરુષો પાસેથી જાણવા યોગ્ય છે. પાણિનીશિક્ષાકારે નવીન એવું (સ્વર) અને હેલ્ (વ્યંગન) વગેરેનું સ્વરૂપ સૂત્રો દ્વારા બતાવ્યું છે. એવું નવીન સ્વરૂપ અમારાવડે કહેવાયું નથી. કારણ કે સર્વજ્ઞ પ્રણીત કેવલિક વગેરે શાસ્ત્રોમાં અને ઇન્દ્ર વગેરે પૂર્વ વ્યાકરણમાં સત્ અને સૂત્ર વગેરે સ્વરૂપની અપ્રસિદ્ધિ છે. આપિશલિ, કાશ્યપ, ગાર્ગ્યુ, શાકટાયન, ગાલવ, ઇન્દ્ર, ચાક્રવર્મણ, ભારદ્વાજ, શાકલ્ય, સેનક, સ્ફોટાયન,