SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પરિમાણ, અપત્ય, વીપ્સા, લુગુ, અવર્ણ વગેરે સંજ્ઞાઓની તથા પતિ નિત્યમ્, નિત્યાન્તર, મારવ બનવમ્ વતી વગેરે ન્યાયોની સિદ્ધિ લોકથી થાય છે. અહીં લોકથી એટલે કયો અર્થ સમજવો ? એના જવાબમાં કહે છે વ્યાકરણશાસ્ત્રના જાણનારાઓ અને પ્રામાણિકો (તાર્કિકો) પાસેથી શાસ્ત્રની પ્રવૃત્તિ માટે સિદ્ધિ (પ્રાપ્તિ) થાય છે એ પ્રમાણે જાણવા યોગ્ય છે. અને વર્ણના સમ્યફ એવા પાઠક્રમની પણ વ્યાકરણને જાણનારાઓ અને તાર્કિકો પાસેથી જ સિદ્ધિ (પ્રાપ્તિ) થાય છે. : શબ્દમહાર્ણવન્યાસ :लोकादिति-"लोकृङ् दर्शने" लोक्यतेऽवलोक्यते निर्णयार्थमिति घञि लोकः, लोकते पश्यति सम्यक् पदार्थान् इत्यचि वा । उक्तेति-उक्ताः स्वरादिसंज्ञाः, ताभ्योऽतिरिक्ताः क्रियादिसंज्ञास्ताસમિતિ ! -: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ :લોક શબ્દનો અર્થ શું કરવો? તેના નિર્ણયને માટે આચાર્ય ભગવંત લોક શબ્દની વ્યુત્પત્તિને બતાવે છે - “નો ને” અહીં જોવા અર્થમાં “તો' ધાતુ પહેલા ગણનો છે. અહીં “નવચેતે” પ્રયોગ દ્વારા અર્થ બતાવાયો છે. નિર્ણયને માટે જે જોવાય છે તે લોક કહેવાય છે. “તો' ધાતુને ધમ્ પ્રત્યય લાગીને “તો' શબ્દ પ્રાપ્ત થાય છે. મવાલ્ગ (૫/૩/૧૮) સૂત્રથી પ્રત્યય ભાવ અને અકર્તા અર્થમાં લાગે છે. આથી જો કર્મ અર્થમાં પન્ પ્રત્યય લાગે તો અર્થ આ પ્રમાણે થશે – નિર્ણયને માટે જે જોવાય છે, તે લોક કહેવાશે. આમ થશે તો જગતના તમામ પદાર્થો લોક બની જવાની આપત્તિ આવશે. શું જડ પદાર્થો પાસેથી સંજ્ઞાથી અતિરિક્ત ક્રિયા વગેરેનો બોધ થઈ શકે ખરો? માટે જ કર્મ અર્થમાં ધમ્ પ્રત્યયનો ત્યાગ કરવામાં આવ્યો છે. હવે ભાવ અર્થમાં પન્ પ્રત્યય લાગે તો જેઓવડે જોવાય છે, તે લોક છે, એ પ્રમાણે અર્થ થશે. આમ થશે તો આસ્તિક, નાસ્તિક વગેરે બધાવડે જે જે જોવાય છે તે બધું લોક બની જશે. ટૂંકમાં જોવા સ્વરૂપ ક્રિયા જ લોક બની જશે. અહીં ક્રિયા પાસેથી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકશે નહીં. આમ, ભાવ અર્થમાં પણ ધન્ પ્રત્યય સંગત થતો નથી. આથી જ બંન્ પ્રત્યયવાળા તો શબ્દનો ત્યાગ કરીને મન્ પ્રત્યયવાળા નો શબ્દનો સ્વીકાર કરવામાં આવે છે. સમ્યફ એવા પદાર્થોને જેઓ જુએ છે એ અર્થમાં “તો' ધાતુને કર્તામાં સત્ પ્રત્યય લાગીને “તો' શબ્દ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં નો શબ્દનો અર્થ સમ્યફ એવા પદાર્થોને જોનારાઓ થશે. હવે સૂત્રમાં માત્ર “નોક” શબ્દથી પંચમી વિભક્તિ કરી છે, સ્થાનીનો તથા કાર્યનો નિર્દેશ કર્યો નથી. આથી સિદ્ધિઃ સ્વરૂપ કાર્યની અનુવૃત્તિ (૧/૧/૨) સૂત્રમાંથી આવશે અને ગ્રંથના
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy