SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૨ “अविवक्षितवाच्यो यस्तत्र वाच्यं भवेद् ध्वनौ । [અર્થાન્તરે સંમિતમત્યનું વા તિરસ્કૃતમ્' શ્॥ काव्यप्रकाशस्य चतुर्थोल्लासे सूत्रम् ॥३९॥ ૭૭ तद्वृत्तिः-लक्षणामूलगूढव्यङ्गयप्राधान्ये सत्येवाविवक्षितं वाच्यं यत्र स 'ध्वनौ' इत्यनुवादाद् ध्वनिरिति ज्ञेयः । तत्र च वाच्यं क्वचिदनुपयुज्यमानत्वादर्थान्तरे परिणतम्, क्वचिदनुपपद्यमानतयाऽत्यन्तं तिरस्कृतम् । कारिकार्थस्तु - अविवक्षितम्-अनुपयुक्तम् अन्वयायोग्यं वा वाच्यं वाच्योऽर्थो यत्र तादृशो यो ध्वनिः तत्र, तस्मिन् ध्वनौ 'उत्तमे काव्ये' वाच्यं वाच्योऽर्थः अर्थान्तरे वाच्यलक्ष्यसाधारणे-ऽर्थे संक्रमितं परिणमितम्, अत्यन्तं तिरस्कृतं त्यक्तं वा भवेदिति] इत्यत्र स ध्वनिरिति वदति, तेनाभिधेय - प्रयोजनयोः परता तन्निष्ठतापीत्यर्थः सिद्धो भवतीति ॥२॥ * અનુવાદ :- પૂર્વપક્ષ :- કોઈપણ વ્યક્તિને અભિલાષ ઉત્પન્ન કરવામાં પ્રયોજન જ કારણ બને છે. શબ્દાનુશાસન ગ્રન્થ સમ્યજ્ઞાન પ્રયોજનવાળો છે અને તેનું અભિધાન (કથન) કરવામાં આવ્યું તે જ પ્રમાણે અભિધેયનું (અર્થનું) કથન કરવા યોગ્ય છે. અભિધેયનું કથન કરવામાં આવે તો જ વ્યક્તિને જણાઈ શકે છે કે આ વસ્તુ મારા માટે શક્ય છે અથવા નથી. દા.ત. અહીંથી મારે અમદાવાદ જવું હોય તો સૌ પ્રથમ તો અમદાવાદ જવાનું પ્રયોજન બતાવવામાં આવે તો જ તે પ્રયોજનના રસવાળા વ્યક્તિને અમદાવાદ જવાની અભિલાષા થશે. જેમ કે સુતરાઉ કાપડ ખરીદવા જવાનું છે આવું કહેવામાં આવે ત્યારે તે ખરીદીના રસવાળાને અમદાવાદ જવાની અભિલાષા થશે, તે જ પ્રમાણે સુતરાઉ કાપડ સ્વરૂપ વાચક શબ્દનો પદાર્થ શું છે ? તે પણ જણાશે તો જ તે તે વ્યક્તિઓ ત્યાં જવાની ઉત્સાહવાળી થશે. આથી અભિધેયનું કથન પણ આવશ્યક છે. આ ગ્રન્થમાં પ્રયોજન બતાવાયું છે પરંતુ અભિધેય બતાવાયું નથી. અભિધેયનું ઉદ્દેશ્યપણું હોવાથી તેનું કથન અહીં થવું જોઈએ, પરંતુ તે અહીં નથી થયું. આ ગ્રન્થમાં (સૂત્રમાં) એવું કહેવામાં આવ્યું નથી કે હું શબ્દાનુશાસનનો આરંભ કરું છું. જે પ્રમાણે જીવવિચાર પ્રકરણમાં પહેલી જ ગાથામાં જીવના સ્વરૂપનું કથન મારાવડે કરાય છે, એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એ પ્રમાણે અહીં સૂત્રમાં શબ્દાનુશાસન સ્વરૂપ ઉદ્દેશપણાંનું કથન કરવામાં આવ્યું નથી. ઉત્તરપક્ષ :- આ ગ્રંથમાં શબ્દોની સિદ્ધિ આવવાની છે. દરેક ધાતુ અને નામોને કયાં-કયાં પ્રત્યયો લાગીને કેવી રીતે શબ્દોની સિદ્ધિ થશે ? તે બતાવવામાં આવશે. આમ, તેના અનુવાદથી પણ વિધિનો નિર્ણય થઈ શકશે. વિધેય સ્વરૂપ શબ્દાનુશાસન છે, જે અભિધેય સ્વરૂપે છે તેનું કથન અનુવાદથી થઈ શકશે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy