SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने प्रत्याख्यानानि ७४८ सूत्रम् ૪, સTI’ તિમાયિન્ત ત્યારે મર્યાદા છે તે આકારો (આગારો) વડે સહિત તે સાકાર ૫, 'VIPIS' તિનથી વિદ્યમાન આકારો–મહત્તરાકાર વગેરે છિન્ન પ્રયોજનપણાથી બીનજરૂરી હોવાથી સ્વીકારનારને જેમાં તે અનાકાર. તેમાં પણ અનાભોગ અને સહસાકાર-આ બે આગાર હોય જ; કારણ કે મુખમાં અંગુલિ વગેરેના પ્રક્ષેપનો સંભવ હોય છે. (અત્યારે એ પણ નથી.) ૬, 'પરિમા ” તિ પરિણામ-દત્તિ, કવલ, ઘર અને ભિક્ષા વગેરેની ગણના કરેલ છે જેમાં તે પરિમાણકૃત. યાદदत्तीहि व कवलेहिं व, घरेहिं भिक्खाहिं अहव दव्वेहिं । जो भत्तपरिच्चायं, करेइ परिमाणकडमेयं ।।५।। [આવશ્યક નિવૃત્તિ ૨૫૨૦ 7િ) અર્થ-દત્તિ વડે, કવલ વડે, ઘર વડે, ભિક્ષા વડે અને ઓદનાદિ દ્રવ્ય વડે જે ભક્તનો પરિત્યાગ કરે છે તે પરિમાણકૃત કહેવાય છે. (૫૫) ૭, 'નિરવલેસ' તિ નીકળેલ છે અવશેષ પણ અલ્પાલ્ય આહારનો પ્રકાર જેમાંથી તે નિરવશેષ અથવા સર્વ અશનાદિના ત્યાગ વડે તદ્વિષયપણાથી નિરવશેષ છે. કહ્યું છે કેसव्वं असणं सव्वं च, पाणगं सव्वखज्ज-पेज्जविहिं । परिहरइ सव्वभावेण, एयं भणियं निरवसेसं ॥५६।। [માવવા નિર્યુક્તિ ૫૬ ] અર્થ-સર્વ અશન, સર્વ પાનક (પાણી), સર્વ ખાદ્ય અને સર્વ પેયના વિધિને સર્વ ભાવ વડે પરિહરે છે તે પ્રત્યાખ્યાન નિરવશેષ જિતેંદ્રોએ કહેલું છે. (૫૬) ૮, સંયયં વેવ' તિ કેતન એટલે કેત-અંગૂઠો, મુષ્ટિ, ગાંઠ અને ઘર વગેરે ચિન્હ તે કેતક. કેતક વડે સહિત તે સકેતક અર્થાત્ ગ્રંથાદિ (ગાંઠ વગેરે) સહિત, કહ્યું છે કેअंगुट्ठ-मुढिगंठी-घरसेउस्सास-थिबुग-जोइक्खे । भणियं सकेयमेयं, धीरेहि अणंतणाणीहिं ।।५७।। [નાવવા નિર્યુક્તિ ૫૬૨ ]િ. અર્થ-અંગૂઠો, મૂઠ, ગાંઠ, ઘર, સ્વેદ (પરસેવો), ઉચ્છવાસ, સ્તિબુક એટલે પાણીનો પરપોટો અને જ્યોતિ-દીવો, તેને આશ્રયીને જે પ્રત્યાખ્યાન કરાય છે તે સંકેતનામા, અનંત જ્ઞાનવાળા ધીર પુરુષોએ કહેલું છે (૫૭) અર્થાત્ અંગૂઠો કે મૂઠ વાળીને ન ખોલું ત્યાંસુધી, ગાંઠ બાંધીને ન છોડું ત્યાંસુધી, આ ઘરમાં ન જાઉં ત્યાંસુધી, આ પરસેવો ન સૂકાય ત્યાંસુધી, આટલા શ્વાસોશ્વાસ લઉં ત્યાંસુધી, આ પરપોટા ન સૂકાય ત્યાંસુધી, આ દીવો બળે છે ત્યાંસુધી, આ મારે પ્રત્યાખ્યાન છે. આ નવકારસી કે પોરસી વગેરે પ્રત્યાખ્યાનના ઉપર થાય છે, કારણ કે બે ઘડીથી ઓછું અન્યથા પચ્ચખ્ખાણ ન થાય. ૯, 'ગદ્ધાપ' 7િ૦ ગદ્ધાવા –કાલનું અર્થાત્ પોરસી વગેરે કાલમાનને આશ્રયીને કરેલું પ્રત્યાખ્યાન. કહ્યું છે કે– अद्धापच्चक्खाणं, जंतं कालप्पमाणछेएणं । पुरिमढपोरसीहि, मुहुत्त-मासऽद्धमासेहिं ।।५८।। અર્થ-જે અદ્ધા અપ્રત્યાખ્યાન છે, તે કાલના છેદ (વિભાગ) વડે થાય છે પુરિમાદ્ધ-મધ્યાહ્નપર્યત, પોરસી મુહૂર્ત, માસાદ્ધ (પક્ષ) અને માસ (ઇત્યાદિ) ના પ્રમાણ વડે થાય છે. (૫૮) ૧૦, "VERવા સવિર્ષ સુ” ત્તિ, પ્રત્યાખ્યાન શબ્દ, સર્વત્ર અનાગતાદિમાં સંબંધ કરાય છે અને તે શબ્દ નિશ્ચયના અર્થવાળો છે તેથી દશ પ્રકારે જ પ્રત્યાખ્યાન છે. અહિં ઉપાધિના ભેદથી સ્પષ્ટ જ ભેદ છે માટે પુનરુક્તિપણાની શંકા કરવી નહીં. ૭૪૮ll પ્રત્યાખ્યાન તો સાધુની સામાચારીરૂપ છે, માટે તેના અધિકારથી બીજી પણ સામાચારીને નિરૂપણ કરતા થકા કહે છે 350.
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy