SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम् ઇતિ’ શબ્દ ઉપ પ્રદર્શનમાં, અને “ચ' શબ્દ સમુચ્ચયમાં છે. તે સામાન્ય શબ્દની અપેક્ષાએ એકાર્થિક નામવાળો શબ્દ, વિશેષ હોય છે, જેમ ઘટ' તથા અનેકાર્થવાળો શબ્દ જેમ ગૌઃ અથોતં–રિશિ ? શ ર વા િરૂ નન્ને ૪ મુવિ ધ રિવિ ૬ વન્ને ૭ ઠંશૌ ૮ પશૌ૧ જોશદ્રઃ દિશામાં ૧, નેત્રમાં ૨, વાણીમાં ૩, જલમાં ૪, પૃથ્વીમાં ૫, સ્વર્ગમાં ૬, વજમાં ૭, અંશુકાંતિમાં ૮ અને પશમાં ૯ આ નવ અર્થમાં ‘ગો’ શબ્દ છે. અહિં એકાર્થિક વિશેષના ગ્રહણ વડે અને કાર્થિક વિશેષ પણ ગ્રહણ કરેલ સમજવો, કેમ કે તેનું વિપરીતપણું છે, પરંતુ તે અહિં ગ્રહણ કરાય નહિ; કારણ કે અહીં દશ સ્થાનકનું વર્ણન છે. અથવા કથંચિત્ એકાર્થિક શબ્દના સમૂહમાં જે કથંચિત્ ભેદ છે તે વિશેષ થાય આ પ્રક્રમ છે. 'ય' 7િ૦ પૂરણમાં છે. જેમ શક્ર અને પુરંદર આ એકાર્થ (ઇદ્ર) વાચક બન્ને શબ્દમાં શક્રનકાલમાં જ શક્ર, અને પુરના દારણ (ભંગ) કાલમાં જ પુરંદર, એવંભૂત નયના આદેશ (મત) થી છે. અથવા દોષ શબ્દ, અહિં પણ સંબંધ કરાય છે, તેથી ન્યાયના પ્રાબલ્ય ગ્રહણમાં શબ્દાંતરની અપેક્ષાએ વિશેષ છે. ૪, કાર્ય અને કારણાત્મક વસ્તુના સમૂહમાં કારણ એ વિશેષ છે. કાર્ય પણ વિશેષ હોય છે પરંતુ તે અહિ કહ્યું નથી, કેમ કે દશ સ્થાનકનું વર્ણન છે. અથવા કારણના વિષયમાં વિશેષ-ભેદ યથા-પરિણામીકરણ માટીનો પિંડ છે. માટીનો બીજો પરિણામ જ ઘડો થાય છે] અપેક્ષાકારણ, દિશા, દેશ, કાલ, આકાશ, પુરુષ અને ચક્રાદિ. અથવા ઉપાદાનકારણ માટી વગેરે અને નિમિત્ત કારણ કુંભારાદિ, સહકારિ કારણ ચક્ર, ચીવરાદિ. એવી રીતે અનેકવિધ કારણ છે. અથવા દોષ શબ્દના સંબંધથી પૂર્વે વ્યાખ્યા કરેલ કારણદોષ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. “ચ” શબ્દ સમુચ્ચયમાં છે પ, પ્રત્યુત્પન્નવર્તમાન સંબંધી અર્થાત્ પૂર્વે નહિ થયેલ દોષ-ગુણથી વિપક્ષભૂત. તે અતીતાદિ સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ છે. અથવા "પ્રત્યુત્પન્ન’–સર્વથા વસ્તુનો (એકાંતે નિત્ય કે અનિત્યાદિ) સ્વીકાર કીધે છતે વિશેષ દોષ જે અકૃતાભાગમ-નહિ કરેલનું આવવું અને કૃતવિપ્રણાશ-કરેલનું નાશ થવું ઇત્યાદિ રૂપ સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ દોષ છે ૬, નિત્યદોષ-અભવ્યોનો જે મિથ્યાત્વાદિ, અનાદિ અપર્યવસિત હોવાથી તે દોષ, સામાન્યની અપેક્ષાએ વિશેષ છે અથવા સર્વથા વસ્તુમાં નિત્ય (પક્ષ) સ્વીકાર કીધે છતે જે દોષ–બાલ અને કુમારાદિ અવસ્થાના અભાવની પ્રાપ્તિ લક્ષણ, તે સામાન્યની અપેક્ષાએ વિશેષ દોષ છે ૭, 'હિમટ્ટમે' ત્તિ અકારના પ્રશ્લેષ (લુપ્ત) થી અધિક–વાદ કાલમાં જે અધિક દષ્ટાંત અને નિગમન વગેરે બીજોને જણાવવું તે અધિક દોષ છે કારણ કે તેના વિના જ પ્રતિપાદન કરવા યોગ્ય અર્થની પ્રતીતિ થવાથી તેના (અધિક) કથનનું નિરર્થકપણું છે. કહ્યું છે કેजिणवयणं सिद्धं चेव, भन्नए कत्थई उदाहरणं । आसज्ज उ सोयारं, हेऊ वि कर्हिचि भन्नेज्जा ॥३७।। " શિર્વાનિવનિ ૪૬ ]િ. અર્થ-રાગાદિ દોષ રહિત જિનેશ્વરોનું વચન સિદ્ધ એટલે સત્ય જ છે તોપણ તેવા પ્રકારના શ્રોતાની અપેક્ષાએ ક્યાંક ઉદાહરણ કહેવાય છે તથા તેવા પ્રકારના શ્રોતાને પામીને હેતુ પણ કહેવાય છે અર્થાત્ નિપુણ બુદ્ધિવાળો પુરુષ, હેતુ વડે બોધ કરાય છે અને મધ્યમ બુદ્ધિવાળો પુરુષ, ઉદાહરણ વડે બોધ કરાય છે પરંતુ મંદબુદ્ધિવાળો નહિં. (૩૭) તથા–"ત્ય પંપાવવું, સદા વા મળ્યાં ન પડિ' શિર્વતિ નિ ૫૦ ]િ અર્થાત્ શ્રોતાને આશ્રયીને ક્યાંક પંચાવયવ વાક્ય કહેવું અથવા ક્યાંક દશા વાક્ય કહેવું, પરંતુ ગુરુ અને શ્રોતાની અપેક્ષાએ સર્વથા નિષેધેલ નથી. અહિં પ્રતિજ્ઞા, હેત, ઉદાહરણ, ઉપનયન અને નિગમન આ પાંચ અવયવ છે. વળી દશ અવયવ તે પ્રતિજ્ઞા વિભક્ત વગેરે તેથી અધિક દોષ, દોષના વિશેષપણાથી વિશેષ છે. અથવા અધિક દૃષ્ટાંતાદિ હોતે છતે જેમ દોષ-વાદીનું દૂષણ, તે પણ દોષવિશેષ જ છે. આ શરુથી ગણત્રી કરતાં આઠમો છે ૮, 'અત્ત’ રિ૦ આત્માના–પોતાથી કરેલ આ શેષ વાક્ય છે. ઉપનીત–અપાયેલ બીજા વડે આ શેષ છે. સામાન્ય વસ્તુની અપેક્ષાએ આત્મકત વિશેષ છે અને બીજાએ આપેલતે 1. ઘટ શબ્દનો ઘડો આ એક જ અર્થ થાય છે. 342
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy