SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने सत्याद्या भाषाः ७४१ सूत्रम् ૫, श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સહકારી કારણના સમીપમાં તે તે રૂપને પ્રકાશે છે માટે સત્યતા છે ૬, 'વવહાર' ત્તિ વ્યવહાર વડે સત્ય તે વ્યવહાર સત્ય. જેમ પર્વત બળે છે, ભાજન ગળે છે. અહિં પર્વતમાં રહેલ તૃણાદિના બળવામાં અને (ભાજનગત) ઉદકના ગળવામાં આવા પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે. ૭, 'ભાવ' ત્તિ ભાવ-અધિક શુક્લાદિ પર્યાયને આશ્રયીને જે સત્ય તે ભાવસત્ય. જેમ બગલાઓ ધોળા છે. પાંચે વર્ણનો સંભવ બગલાઓમાં હોતે છતે પણ શુક્લ વર્ણના ઉત્કટ–અતિશયપણાથી શ્વેત કહેવાય છે ૮, 'નોને' ત્તિ યોગતઃ–સંબંધી સત્ય તે યોગસત્ય, જેમ દંડના યોગથી દંડી અને છત્રના યોગથી છત્રજ કહેવાય છે ૯, દસમું ઔપમ્ય સત્ય. ઉપમા એ જ ઔપમ્ય, તેના વડે જે સત્ય તે ઔપમ્ય સત્ય. જેમ સમુદ્રના જેવું તળાવ છે, આ દેવ છે, તું સિંહ છે ૧૦. અહિં , [ સર્વત્ર ‘એકાર’ પ્રથમા વિભક્તિના એકવચનના અર્થવાળો સમજવો. સત્યના વિપક્ષરૂપ મૃષાને કહે છે—'સે' ત્યાદ્િ 'મોસે' ત્તિ॰ પ્રાકૃતપણાથી મૃષા-અમૃત આ અર્થ છે. 'જોનેે' ગાહા॰ 'જોત્તે' ત્તિ ક્રોધમાં નીસરેલું આ સંબંધથી ક્રોધાશ્રિત અર્થાત્ કોપના આશ્રયવાળું મૃષા (જૂઠું) તે જેમ ક્રોધથી પરાભવ પામ્યો થકો દાસ ન છતાં પણ તેને દાસ કહે છે ૧, માનમાં નીસરેલું–જેમ માનથી ધમધમાયમાન કોઈક પુરુષ, કોઈ વડે પૂછાયો થકો અલ્પ ધનવાળો છતાં પણ હું મહાધનવાળો છું એમ કહે ૨, 'માય' ત્તિ॰ માયામાં નીસરેલું જેમ માયા કરનાર વગેરે કહે છે—'નષ્ટો ગોલઃ' ગોલક (પિંડ) નાશ થયો ૩, 'તોષે' ત્તિ॰ લોભમાં નીસરેલું-જેમ વણિક વગેરેનું વચન બીજી રીતે [ઓછા મૂલ્યે] ખરીદ્યું હોય છતાં આ પ્રમાણે (વધુ મૂલ્યે) ખરીદ્યું છે એમ કહે ઇત્યાદિ ૪, 'ગ્નિ' ત્તિ પ્રેમમાં નીસરેલું–અતિરક્ત પુરુષોનું વચન, જેમ હું તારો દાસ છું ઇત્યાદિ , 'તહેવ રોસે ય' ત્તિ॰ દ્વેષમાં નીસરેલું, મત્સરી–ઈર્ષ્યાવાળા પુરુષોનું વચન–ગુણવાન્ પુરુષોને વિષે પણ આ નિર્ગુણ છે ઇત્યાદિ ૬, 'હ્રાસે' જ઼િ હાસ્યમાં નીસરેલું જેમ કંદપ્પિક-કામી પુરુષોનું વચન-કોઈક પુરુષનો કોઈક સંબંધી ગ્રહણ કરાયે (પકડાયે) છતે પૂછવાથી તેને નથી જોયું એમ કહેવું ઇત્યાદિ ૭, 'મયે' ત્તિ ભયમાં નીસરેલું, પકડાયેલ ચોરાદિનું જેમ તેમ અસમંજસ (ઠેકાણા વગરનું) બોલવું ૮, 'અવાય' ત્તિ॰ આખ્યાયિકા-કથામાં નીસરેલું તે કથામાં પ્રતિબદ્ધ (રચાયેલ) અસપ્રલાપ ૯, 'વવાયનિસ્મિ' ત્તિ॰ ઉપઘાત-પ્રાણીના' વધમાં નિશ્રિત-આશ્રિત દશમું મૃખા છે, ચોર ન હોય તેને આ ચોર છે એવા પ્રકારનું અભ્યાખ્યાન-આળરૂપ વચન. મૃખા શબ્દ તો અવ્યય છે ૧૦. સત્ય અને અસત્ય બન્નેના યોગમાં મિશ્રવચન થાય છે માટે તે કહે છે—'સે' ત્યાવિ॰ સત્ય અને મૃષા તે પ્રાકૃતપણાથી 'સજ્વામોસ' એમ કહ્યું '૩પ્પન્નમીસ' ઉત્પન્ન વિષયવાળું મિશ્ર–સત્યમૃષા તે ઉત્પન્નમિશ્ર, તે જ ઉત્પન્નમિશ્રક જેમ એક નગરને આશ્રયીને આ નગરમાં આજે દશ બાળકો ઉત્પન્ન થયા છે એમ કહેતો થકો ન્યૂનાધિક ભાવમાં (જન્મમાં) વ્યવહારથી એનું સત્યમૃખાપણું હોવાથી. પ્રાતઃકાલે તને હું એક સો રૂપીઆ આપીશ એમ કહીને પચ્ચાશ રૂપીઆ પણ આપ્યું છતે લોકમાં પૃષાપણું નહિ જોવાથી અથવા નહિ ઉત્પન્ન થયેલને વિષે કે નહિ આપેલને વિષે મૃષાપણાની સિદ્ધિ થવાથી કેમ કે સર્વથા ક્રિયાના અભાવ વડે સર્વથા વિપરીતપણાથી. એવી રીતે વિગતાદિને વિષે પણ વિચારવું. ૧, 'વિજ્ઞતમીસ ્'—વિગત-નાશના વિષયવાળું મિશ્રક તે વિગતમિશ્રક. જેમ એક ગામને આશ્રયીને આ નગરમાં આજે દશ વૃદ્ધો મરણ પામ્યા. એવી રીતે કહેતો થકો ન્યૂનાધિક મરણમાં મિશ્ર વચન છે ૨, '૩પ્પન્નવિ।યમીસર્'—ઉત્પન્ન અને વિગત ઉભય વિષયવાળું જે મિશ્રક તે ઉત્પન્નવિગતમિશ્રક. જેમ એક પત્તનને આશ્રયીને આ પત્તનમાં આજે દશ બાળકો જન્મ્યા અને દશ વૃદ્ધો મરણ પામ્યા. એવી રીતે બોલતો થકો તેથી ન્યૂનાધિક ભાવ (જન્મમરણ) માં મિશ્ર વચન છે ૩, 'નીવમીસ' જીવ વિષયવાળું મિશ્ર–સત્યાસત્ય તે જીવમિશ્ર. જેમ જીવતાં અને મરેલાં કૃમિઓની રાશિમાં જીવરાશિ છે એમ કહેવું તે મિશ્ર છે જ, 'મનીવમીસ'—અજીવોને આશ્રયીને જે મિશ્ર તે જ અજીવમિશ્ર. જેમ તે જ ઘણી મરેલ કૃમિઓની રાશિને વિષે અજીવ રાશિ છે એમ કહેવું તે ૫, 'નીવાનીવમીસ્સ’—જીવ અને અજીવના વિષયવાળું મિશ્ર તે જીવાજીવમિશ્ર. જેમ તે જ જીવતાં અને મરેલાં કૃમિઓની રાશિને વિષે પ્રમાણના નિયમ વડે આટલાં 1. જે વચનથી પ્રાણીનો વધ થાય તેવું સત્ય વચન પણ અસત્ય જ છે. તે 337
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy