SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સાંભળે ૭, એક આચાર્ય પાસે આલોચીને પાછો તે જ અતિચાર અન્ય આચાર્ય પાસે આલોચે તે બહુજનદોષ ૮, અવ્યક્ત-અગીતાર્થ ગુરુની પાસે આલોચે ૯, તત્સવી-જે દોષો પોતાને આલોચના યોગ્ય છે તે જ દોષોને સેવનાર (સદોષી) ગુરુ પાસે આલોચે ૧૦. //// દશ સ્થાનક-ગુણ વડે સંપન્ન અણગાર, પોતાના દોષને આલોચવા માટે યોગ્ય છે, તે આ પ્રમાણે–જાતિસંપન્ન ૧, કુલસંપન્ન ૨, એવી રીતે જેમ આઠમા સ્થાનમાં કહ્યું છે તેમ કહેવું એટલે વિનયસંપન્ન ૩, જ્ઞાનસંપન્ન ૪, દર્શનસંપન્ન ૫, ચારિત્રસંપન્ન ૬, ક્ષમાવાળો ૭, ઇન્દ્રિયોને દમનારો ૮, માયા રહિત ૯ અને પાછળથી અનુતાપ (ધોખો) કરનારો નહિ ૧૦. દશ સ્થાનક (ગુણ) વડે સંપન્ન અણગાર (આચાર્ય) આલોયણને આપવા માટે યોગ્ય થાય છે, તે આ પ્રમાણે–આચારવાળો ૧, અવધારણવાળો ૨, યાવત્ શબ્દથી આગમાદિ પાંચ વ્યવહારવાળો ૩, લજ્જાને દૂર કરવાવાળો ૪, શુદ્ધિ કરવામાં સમર્થ ૫, અપરિશ્રાવી-કોઈની આગળ દોષને નહિ પ્રકાશવાવાળો ૭, અપાયદર્શી-આલોચના ન કરવાથી પરભવમાં થતા દોષોને બતાવવાળો ૮, પ્રિયધર્મા ૯, દેઢધર્મો ૧૦. I૭૩૨// 'દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે–આલોચનાને યોગ્ય ૧, વાવતુ શબ્દથી પ્રતિક્રમણને યોગ્ય ૨, આલોચન-પ્રતિક્રમણ ઉભયને યોગ્ય ૩, વિવેક-ત્યાગવાયોગ્ય ૪, કાયોત્સર્ગને યોગ્ય પ, તપને યોગ્ય ૬, પાંચ દિવસ વગેરે પર્યાયના છેદને યોગ્ય ૭, ફરીથી વ્રતની ઉપસ્થાપના (આરોપણા) ને યોગ્ય ૮, અનવસ્થાપ્યને યોગ્ય કેટલોક વખત વ્રતમાં નહિ સ્થાપીને તપનું આચરણ કીધા બાદ વ્રતને વિષે સ્થાપવાયોગ્ય ૯, લિંગ, ક્ષેત્ર, કાલ અને આ તપ વડે બાહેર કરાય છે તેવા પારાચિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ૧૦. /૭૩૭ll (ટી) 'વા' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે'વા' ત્તિ બાદરોને જ પરંતુ સૂક્ષ્મોને નહિ, કારણ કે તેઓની અંગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહના છે. એવી રીતે બાદરની જઘન્યથી પણ ન થાઓ, આ હેતુથી 'કોસે'—ઉત્કૃષ્ટથી એટલી છે એમ કહ્યું છે દશ સો (હજાર) યોજન ઉત્સધ-(અંગુલના) યોજન વડે પરંતુ પ્રમાણ યોજન વડે નહિ ઉદપમાળાd fો –ઉત્સધ અંગુલ વગેરેના પ્રમાણ વડે દેહનું માન કરવું આ વચનથી, શરીર અવગાહના-જે પ્રદેશોને વિષે શરીર અવગાહીને રહેલું છે તે શરીરની અવગાહના, તે તેવા પ્રકારની નદી, દ્રહ વગેરેમાં પદ્મનાલના વિષયમાં સમજવી. 'નવો' ત્યાદિ અહિં જલચર-મસ્યો, ગર્ભજ અને સંમૂચ્છિમ બન્ને જાણવા. મચ્છનુયત્વે સદસં'–મસ્યયુગલ–ગર્ભજ અને સંમૂછિમને વિષે હજાર યોજનની અવગાહના હોય છે ‘આ વચનથી” આ અવગાહના નિશ્ચયે સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે (બીજે નહિ): 'સર' ત્યાદ્રિ ઉરપરિસર્પો અહિં ગર્ભજ મહોરગો જાણવા " રામુ ય મનાક્ષુ” ગર્ભજ જાતિના ઉરગોને વિષે (હજાર યોજનની અવગાહના હોય છે) “આ વચનથી” આ ઉરગો નિશ્ચયે અઢી દ્વીપથી બહારના દ્વીપોને વિષે જલને આશ્રયે રહેલા હોય છે. આવું વેવ' ત્તિ 'સનો સિયારું સરીરોહ પન્નત્તે' ઉત્તર આ પ્રમાણે સૂત્ર કહેવું. 'I૭૨૮ - એવા પ્રકારના અર્થો જિનેશ્વરોએ બતાવેલા છે માટે પ્રાકૃત અધ્યયનમાં અવતરતું જિનના અંતરનું સુત્ર 'સંવે' ત્યાદિ છે તે સુગમ છે. I૭૨૯ * કહેલ પ્રમાણવાળી અવગાહનાદિ, અને બીજા પણ પદાર્થોને જિતેંદ્રોએ અનંતા જોયા છે માટે અનંતકને ભેદથી કહે છે'રવિ' ત્યાદ્રિ નામાનંતક-અનંતક એવી નામભૂત અક્ષરની અનુપૂર્વી છે જેને અથવા સચેતન વગેરે વસ્તુનું અનંતક અનંતક એવું જે નામ તે નામાનંતક ૧, સ્થાપનાનંતક-જે અક્ષરાદિમાં અનંતક સ્થપાય છે તે ૨, દ્રવ્યાનંતક-જીવદ્રવ્યોનું અથવા પુદ્ગલદ્રવ્યોનું અનંતપણું ૩, ગણનાનંતક-જે એક, બે, ત્રણ એવી રીતે સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા, એમ સંખ્યા 1. આ દેશ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ પ્રથમ આ સૂત્રમાં જ લખાઈ ગયું છે. | 327
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy