________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्था०] सूक्ष्माणि नद्यः राजधान्यः मेरुः रुचकादिः धातकौमेरुः वृतवैतादयः क्षेत्राणि मानुषोत्तरः अन्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७१६-७२५ सूत्राणि
चंपा महुरा वाणारसी य सावत्थिमेव साकेयं । हत्थिणपुर कंपिल्लं, मिहिला कोसंबि रायगिहं ।।१४।। संती कुंथू य अरो, तिन्निवि जिणचक्कि एक्कहिं जाया । तेण दस होंति जत्थ व, केसव जाया जणाइन्ना ।।१५।।
ચંપા ૧, મથુરા ૨, વારાણસી ૩, શ્રાવસ્તી ૪, સાકેતપુર પ, હસ્તિનાગપુર ૬, કાંપિલ્યપુર ૭, મિથિલા ૮, કૌશાંબી ૯ અને રાજગૃહ ૧૦. શાંતિ, કુંથુ અને અર આ ત્રણ તીર્થંકર ચક્રવર્તિઓ એક નગરીમાં થયા છે તેથી આ બારે ચક્રવર્તિઓની નગરી દશ થાય છે. આ દશ નગરીઓ સાધુને પ્રવેશ માટે વર્જ્ય છે. અથવા જે નગરીમાં કેશવ-વાસુદેવ ઉત્પન્ન થયા છે કે ઘણા લોકના સમુદાયથી વ્યાપ્ત એવી નગરી પણ વર્જવા યોગ્ય છે. I૧૪-૧૫ I૭૧૮॥
મંદર–મેરુ 'વ્વદેĪ'—ભૂમિમાં અવગાહઊંડાઈથી. વિખુંભ-પહોળાઇ વડે, ૩પરિ—પંડકવનના પ્રદેશમાં દશશતહજા૨, દશ દશક એટલે એકસો કોના? હજાર યોજનના અર્થાત્ એક લાખ. આવા પ્રકારની ભણિતિ–ઉક્તિ દશ સ્થાનકના અનુરોધથી છે 'સર્વાંગ્રેī' સર્વ પરિણામથી I૭૧૯
'વરિમહેકિìસુ'ત્તિ ઉપરિતન અને અધસ્તન ક્ષુલ્લક પ્રતરમાં, બધાય પ્રતરમાં તે બન્ને પ્રતો લઘુ છે. તે બન્ને પ્રતોની નીચે અને ઉપર પ્રદેશાંતરની વૃદ્ધિ વડે, લોકનું વર્ધમાન–વધવાપણું હોવાથી 'અટ્ટપત્તિ 'ત્તિ॰ આઠ પ્રદેશ છે જેમાં તે અષ્ટ પ્રદેશિક, સ્વાર્થિક પ્રત્યયના વિધાનથી. તેમાં ઉપરિતન (ઉપલા) પ્રતરમાં ચાર પ્રદેશો ગાયના સ્તનની માફક અને ` અધસ્તન (નીચલા) પ્રતરમાં પણ ચાર પ્રદેશો ગાયના સ્તનની માફક છે. 'મા'ત્તિ કહેવાતી 'જ્ઞ'ત્તિ ચાર દ્વિપ્રદેશાદિ દ્વિઉતરા અર્થાત્ આદિમાં બે પ્રદેશ, પછી બે બે પ્રદેશ વડે વધતી ગાડાની ઉર્દિ (ઉધ) ના જેવા આકારવાળી મહાદિશા (પૂર્વાદ) ચાર જ છે. એક પ્રદેશની શરુઆતવાળી, અનુત્તરા (પ્રદેશો વડે વૃદ્ધિ નહિ પામતી) મોતીના હાર જેવા આકારવાળી ચાર વિદિશાઓ છે તથા ચાર પ્રદેશની શરુઆતવાળી અનુત્તર-પ્રદેશો વડે નહિ વધતી એવી ઊર્ધ્વ અને અધો એ બે દિશા 'પવદંતિ'ત્તિ ઉત્પન્ન થાય છે. 'વા'હા, ઇંદ્ર છે દેવતા જેણીનો તે અઁદ્રી, એવી રીતે આગ્નેયી, યામ્યા ઇત્યાદિ, તિમિર રહિત હોવાથી ઊર્ધ્વ દિશાનું વિમલા નામ છે તથા અંધકાર યુક્તપણાને લઈને રાત્રિ તુલ્ય હોવાથી અધો દિશાનું તમા નામ 9.1192011
'તવાસે' ત્યાદ્રિ પવાં તીર્થં—તળાવ વગેરેમાં ઉતરવાનો માર્ગ તે ગોતીર્થ, તેથી ગોતીર્થની જેમ ગોતીર્થ-અવતારવાળી ભૂમિ, તેથી રહિત અર્થાત્ સમભૂમિ. આ ભૂમિ, પંચાણું હજાર યોજન પૂર્વ ભાગથી અને તેટલી જ પશ્ચિમ ભાગથી ગોતીર્થરૂપ ભૂમિને છોડીને મધ્યમાં હોય છે. '૩માતા'—ઉદકની શિખા અર્થાત્ વેલા, દશ હજાર યોજન વિષ્લેભતઃ (પહોળાઈથી) છે ઊંચ૫ણે સોળ હજાર યોજન છે, સમુદ્રના મધ્ય ભાગથી જ ઉઠેલ છે [એક હજાર યોજન ઊંડી છે] 'સન્નેવી'ત્યાદ્રિ બધીય પણ પૂર્વાદિ દિશાઓમાં, તેના ભાવથી ચારે પણ મહાપાતાલકલશાઓ–વલયામુખ, કેઊર, જૂયક અને ઈશ્વરનામા ચતુર્થ સ્થાનમાં કહેલા છે. ક્ષુલ્લક પાતાલકલશાઓનો નિષેધ કરવા માટે મહાશબ્દનું ગ્રહણ છે. દર્શદશક એટલે એક સો હજાર યોજનના અર્થાત્ એક લાખ યોજનના ઉદ્દેધ-ઊંડાઈ વડે કહેલા છે. 'મૂì'—તળીયામાં દશ હજાર યોજનના પહોળા, મધ્યપેટાળમાં એક લાખ યોજનના પહોળા છે. કેવી રીતે? મૂલ (તળીયા)ના વિખંભથી બન્ને પડખાએ એક એક પ્રદેશની વૃદ્ધિએ વિસ્તાર પામતાં કલશોની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે તેના વડે. આ કથનથી પ્રદેશની વૃદ્ધિ બતાવી અથવા એક પ્રદેશવાળી શ્રેણીના અત્યંત મધ્યમાં, તેથી નીચે અને ઉપર પ્રદેશન્સૂન લક્ષ યોજન વિધ્યુંભ છે. તથા ઉપરે શું તાત્પર્ય છે? આ હેતુથી કહે છે—મુહમૂì અર્થાત્ મુખ પ્રદેશમાં ' 'ત્તિ—ભીંતો, તે સર્વ ભીંતો (ઠીકરી) વજ્રમય છે 'સર્વેઽપી' તિ॰ સાત હજાર આઠસો ને ચોર્યાશી ૭૮૮૪ આ સંખ્યાએ ક્ષુલ્લક પાતાલકલશાઓ, મહાપાતલકલશાઓની અપેક્ષાએ છે તે ઊંડાઈ વડે અને મધ્યના વિખુંભ વડે સહસ્ર યોજન તથા એક સો યોજન છે. ભીંતના બાહુલ્ય (જાડાઈ) વડે દશ યોજન છે. II૭૨૧
'ધાયફ' ફત્યાવિ॰ 'મંવર' ત્તિ॰ પૂર્વ અને પશ્ચિમ સંબંધી મેરુ, તેનું સ્વરૂપ સૂત્રસિદ્ધ છે. વિશેષ કહેવાય છે—
320