SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने अनुत्तराः देवाः सूर्यचाराः प्रमर्दयोगः द्वीपद्वाराणि कर्मस्थितिः कुलकोटीपुद्गलादि ६५३-६६० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જંબલીપનામા દ્વીપના દ્વારો આઠ યોજનના ધ્વ ચાઈથી કહેલા છે ૧, બધાય દ્વીપ, સમુદ્રોના દરવાજાઓ આઠ યોજનના ઊર્ધ્વ ઊંચાઈથી કહેલા છે ૩. //૬પ૭ પુરુષવેદનીય કર્મની જઘન્યથી આઠ વર્ષની બંધસ્થિતિ છે ૧,યશ-કીર્તિ નામકર્મની જઘન્યથી આઠ મુહૂર્ત પ્રમાણ બંધની સ્થિતિ કહેલી છે , ઉચ્ચ ગોત્ર કર્મની પણ એમ જ આઠ મુહૂર્તની બંધસ્થિતિ કહેલી છે ૩. //૬૫૮. તેઈદ્રિય જીવોની, જાતિ, કુલકોટિયોનિ પ્રમુખની સંખ્યા આઠ લાખ કહેલી છે. /૬૫૯ll જીવો, આઠ સ્થાન વડે નિવર્તિત-ઉપાર્જેલા પુદ્ગલોને પાપકર્મપણાએ વૃદ્ધિ કરેલ છે, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ કરશે, - તે આ પ્રમાણે—પ્રથમ સમય નૈરયિક લક્ષણ સ્થાન વડે નિવર્તિત કાવત્ અપ્રથમ સમય દેવલક્ષણ સ્થાન વડે નિવર્તિત. એવી રીતે ચય, ઉપચય યાવત્ નિર્જરાને કરેલ છે, કરે છે અને કરશે. આઠ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે. આઠ પ્રદેશ (ક્ષત્ર) માં અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે યાવતું આઠ ગુણ ઋક્ષ પુદ્ગલો અનંતા કહેલા છે. //૬૬oll (ટી) સુગમ છે. વિશેષ એ કે-અનુત્તર-વિજયાદિ વિમાનોની મથે ઉપજવું છે જેઓનું તે અનુત્તરોપપાતિકો. તેવા સાધુઓની તથા દેવગતિલક્ષણ કલ્યાણસ્વરૂપ ગતિ છે જેમની એવી રીતે સ્થિતિ પણ કલ્યાણરૂપ છે જેમની તથા ભવિષ્યતુમાં મોક્ષ લક્ષણ ભદ્ર છે જેઓને તે ગતિકલ્યાણા યાવતું આગમિષ્યતુ ભદ્રા. એવા આઠસો સાધુઓની સંપદા હતી ૧. ||૬પ૩ો. ચૈત્યવૃક્ષો, મણિપીઠિકાની ઉપર રહેલા સર્વરત્નમય અને ઉપર છત્ર ધ્વજ વગેરેથી શોભિત સુધર્માદિ સભાની આગળ જે સંભળાય છે તે આ હોય એમ સંભવે છે. પરન્તુ જે– चिंधाई कलंबझए, सूलस वडे तहय होइ खटुंगे । असोय चंपए या नागे तह तुंबरु चेव ।।५८।। [ब्रहत्सं० ६१] મુકુટમાં રહેલા ચિન્હો કદંબવૃક્ષ, સુલસવૃક્ષ, વડવૃક્ષ, ખટ્વાંગ (ત્રિકાદિક એવું તાપસનું ઉપકરણ), અશોક વૃક્ષ, ચંપકવૃક્ષ, નાગવૃક્ષ અને તુંબવૃક્ષ, આ ક્રમશઃ પિશાચાદિને છે. (૫૮) તે ચિહ્નભૂત વૃક્ષો આનાથી જૂદા જાણવા. 'સંવો' ઇત્યાદિ બે શ્લોક સુગમ છે. વિશેષ એ કે અર્થ' તિ મહોરગોને જાણવું. ૬પ૪| 'વારં વરૂ’ તિ–ગતિને કરે છે, ફરે છે. II૬૫૫l 'પમ’ તિ–પ્રમર્દ ચંદ્ર સાથે સ્પર્શવાપણું, તેવા લક્ષણવાળા યોગ પ્રત્યે પોતાને ચંદ્રની સાથે આઠ નક્ષત્રો જોડે છે, તે - યોગ ક્યારેક હોય છે પરંતુ હમેશાં હોતા નથી. કહ્યું છે કે"पुणव्वसु-रोहिणि-चित्ता मह-जेट्ठऽणुराह कित्तिविसाहा । चंदस्स उभयजोग" इति પુનર્વસુ ૧, રોહિણી ૨, ચિત્રા ૩, મઘા ૪, અનુરાધા પ, જ્યેષ્ઠા , કૃત્તિકા ૭, અને વિશાખા ૮. આ આઠ નક્ષત્રોનો ચંદ્રની સાથે ઉભયથા-દક્ષિણ અને ઉત્તરમાં યોગ હોય છે” જે નક્ષત્રો દક્ષિણ અને ઉત્તરમાં યોગવાળા હોય છે તે નક્ષત્રો પ્રમર્દ યોગી પણ ક્યારેક હોય છે. જેથી લોકશ્રી ગ્રંથના ટીકાકારે કહ્યું છે કે–“આ આઠ નક્ષત્રો ઉભય યોગવાળા છે એટલે ચંદ્રને દક્ષિણમાં તથા ઉત્તરમાં જોડાય છે અને કથંચિત્ ચંદ્ર સાથે ભેદને પણ પામે છે–ચંદ્રથી જૂદા હોય છે.” તેનું ફળ આ છે-આ નક્ષત્રોના ઉત્તર તરફવાળા ગ્રહો સુભિક્ષને માટે છે અને ચંદ્રમાં અત્યંત સુભિક્ષને માટે છે. I૬પ૬/l દેવોના નિવાસના અધિકારથી દેવોના નિવાસભૂત જંબૂદ્વીપાદિના દ્વાર વિષયક બે સૂત્ર છે. II૬પ૭ી. દેવોના અધિકારથી જ દેવપણાએ થનાર કર્મવિશેષરૂપ ત્રણ સૂત્રો છે. ||૬૫૮ 1. પુરુષવેદનામા મોહનીય કર્મની પ્રકૃતિ સમજવી, તેનો જઘન્યબંધ નવમા ગુણસ્થાનના પ્રથમ ભાગમાં હોય છે. 2. યશ-કીર્તિ અને ઉચૈત્ર એ બે પ્રકૃતિનો જઘન્ય બંધ દશમા ગુણસ્થાનકમાં હોય છે. 259
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy