SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તેની નિંદાદિકેવી રીતે મુક્ત થાય ૧, તથા 'રેમિ વા' હમણાં પણ તે અતિચારને હું કરું છું તો પછી નિવૃત્ત નહિ થયેલાને આલોચનાદિ ક્રિયા કેવી? ૨, તથા (ભવિષ્યમાં) હું કરીશ તો પછી આલોચનાદિ કરવું યુક્ત નથી ૩, શેષ સ્પષ્ટ છે. વિશેષ એ કે અકીર્તિ-એક દિશામાં વિસ્તારની અપ્રસિદ્ધિ, અવર્ણ—અયશ અર્થાત્ સર્વ દિશામાં વિસ્તરનારી અપ્રસિદ્ધિ, આ બે અવિદ્યમાન મારે થશે ૪-૫, મનિયો વા—પૂજા સકારાદિનું દૂર થવું મારે થશે. ૬, તથા વિદ્યમાન કીર્તિ અથવા યશની માટે હાનિ થશે ૭-૮, ઉક્ત અર્થના વિપર્યયને કહે છે–'મદી' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–'માયી તિ, આસેવા-દોષ કરવાના જ અવસરમાં, પરંતુ આલોચનાદિ અવસરમાં નહિ, કારણ કે માયાવીની આલોચનાદિમાં પ્રવૃત્તિ હોતી નથી. માયા-અપરાધલક્ષણ કપટ કરીને આલોચે ઈત્યાદિ, માયાવીને જ આલોચના ન કરવામાં આ અનર્થ છે તે બતાવે છે 'સ્મિ' તિ. આ લોક(જન્મ) ગર્ણિત થાય છે. અતિચાર સહિતપણાને લઈને નિંદિતપણું છે. કહ્યું છે કે भीउव्विग्गनिलुक्को, पायडपच्छन्नदोससयकारी । अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ॥२॥ [૩૫શમાના ૪૭૮ ]િ. પ્રગટ અને ગુપ્ત સેંકડો દોષને કરનારો પ્રાણી, મને ગુરુ વગેરે શું કહેશે એવા ભયથી ઉગવાળો-અધર્યવાળો, અને | નિલક્ક-સંઘ અને પુરુષાદિના ભયથી પોતાના આત્માને છુપાવનારો હોય છે. આથી જડ લોકોને અવિશ્વાસને ઉત્પન્ન કરતો થકો તે પ્રાણી, ધિક્કારવા યોગ્ય જીવન વડે જીવે છે. (૨) આ એક ૧ તથા ઉપપાત-દેવજન્યગહિંત-કિલ્બિષિકાદિપણાથી, કહ્યું છે કેतवतेणे वइतेणे, रूवतेण य जे नरे । आयारभावतेणे य, कुव्वई देवकिब्बिसं ॥३॥ [दशवैकालिक ५।२।४६ त्ति] તપચોર, વચનચોર, રૂપચર, આચારચોર અને ભાવચોર જે સાધુ હોય છે તે કિલ્બિષદેવનું આયુષ્ય બાંધે છે (દેવાયુષ્ય બાંધતો હોય તો). (૩) તપનો ચોર-તપ કર્યા સિવાય દુર્બલ શરીર જોઈને કોઈ પૂછે કે તમે ઘણું તપ કરો છો? ત્યારે કહે કે સાધુ તો તપસ્વી હોય અથવા મૌન ધારે પરંતુ સ્પષ્ટ કહે નહિ ૧, શાસ્ત્રના રહસ્યને ન જાણે, પરંતુ વચનની કળા વડે લોકોને રીઝવે, શાસ્ત્રાર્થનો ખોટો ઉપદેશ કરે તે વચનનો ચોર ૨, તથા રાજકુમાર સરખો રૂપાળો જોઈને કોઈ પૂછે કે તમે રાજકુમાર છો? ત્યારે હા કહે તે રૂપનો ચોર ૩, તથા પોતે ક્રિયાપાત્ર ન હોય છતાં બાહ્ય આડંબર દેખાડી ક્રિયાપાત્રનો ડોળ કરે તે આચાર ચોર ૪, તથા સૂત્રાર્થમાં સંદેહ પડવાથી કોઈ ગીતાર્થને પૂછે તેમની પાસેથી ઉત્તર સાંભળીને કહે કે-હું પણ એ જાણું છું પણ તમારી પરીક્ષા કરવા સારુ પૂછ્યું હતું એમ પ્રપંચયુક્ત કહે તે ભાવનો ચોર ૫, આવો જે સાધુ હોય તે દેવકિબિષિકના કર્મને કરે છે અર્થાત્ દિવાયુષ્ય બાંધતો હોય તો] કિલ્બિષિકદેવ સંબંધી આયુષ્યને બાંધે છે. આ બીજું ૨. આજાતિ-ત્યાંથી ચ્યવીને તેનું મનુષ્ય જન્મ, જાતિ, ઐશ્વર્ય, રૂપાદિ રહિતપણાને લઈને ગર્ણિત થાય છે. કહ્યું છે કેतत्तो वि से चइत्ताणं, लब्भिही एलमूयगं । नरगं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥४॥ શિર્વાતિ ધારા૪૮ ત્તિ. - દેવલોકથી ચ્યવીને તે મનુષ્યપણામાં પણ એલ મૂકતા-બકરીની જેમ મૂંગાપણું પામે અર્થાત્ અવ્યક્ત ભાષાવાળો થાય, અને પરંપરાએ નરક અને તિર્યંચની યોનિને પામે અથવા જ્યાં બોધિ–જૈનધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ હોય તેવે સ્થળે ઉત્પન્ન થાય. (૪) આ ત્રીજું ૩. તથા માયાવી, એક અતિચારરૂપ માયાને કરીને પણ જે આલોચે નહિ ઇત્યાદિ, તેને મોક્ષમાર્ગની આરાધના નથી. આ અનર્થ (હાનિ) છે. કહ્યું છે કે 219
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy