SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने सप्तधा विभङ्गज्ञानं વડે તેનો નિષેધ કરવાથી એની વિભંગતા છે ૧, પાંચ દિશાઓમાં લોકનો અભિગમ (બોધ) છે પરંતુ કોઈ પણ એક દિશામાં નહિ, અહિં પણ એક દિશામાં લોકનો નિષેધ કરવાથી વિભંગતા છે ૨, જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયા માત્રને જ જોવાથી અને તેના હેતુભૂત કર્મને નહિ જોવાથી ક્રિયા જ આવરણ-કર્મ છે જેને તે ક્રિયાવરણ-કોણ આ? જીવ છે અર્થાત્ ક્રિયાવરણ જીવ છે એવી રીતના નિશ્ચયમાં તત્પર જે વિભંગ તે ત્રીજું. કર્મને નહિ જોવા વડે નહિ સ્વીકારવાથી જ એની વિભંગતા છે. એવી રીતે આગળના ભેદોમાં પણ વિભંગતા સમજવી ૩, મુદ્દો' ત્તિ બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવા અવખંભ-નિશ્ચયવાળું, કારણ કે ભવનપતિ વગેરે દેવોને બાહ્ય અત્યંતર પુલના ગ્રહણપૂર્વક વૈક્રિયનું કરવું જોવાય છે–આ ચોથું ૪, 'સમુદ્ર નીવેરિ૦ બાહ્ય અત્યંતર પુદ્ગલના ગ્રહણ સિવાય વૈક્રિયવાળા દેવોને જોવાથી બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચાયેલ અવયવયુક્ત શરીરવાળો જીવ છે એવા નિશ્ચયવાળું પાંચમું વિર્ભાગજ્ઞાન ૫, 'વી નીવે"ત્તિ દેવોને વૈક્રિય શરીરવાળા જોવાથી રૂપી જ જીવ છે એવા નિશ્ચયવાળું છઠું ૬, 'સર્વામિvi નીવ’ ત્તિ વાયુ વડે કંપતા પુદ્ગલકાયને જોવાથી આ બધી વસ્તુઓ જીવો જ છે કેમ કે તે ચલન ધર્મયુક્ત છે, એવા નિશ્ચયવાળું સાતમું વિર્ભાગજ્ઞાન છે, આ સંગ્રહ-સંક્ષેપ વચન છે ૭, 'તલ્થ” ત્યકિ તે જ વિર્ભાગજ્ઞાનવાળો 'પાસ' ઉત્તઉપલક્ષણપણાથી જાણે છે. અન્યથા વિભંગનું જ્ઞાનપણું નહિ થાય. 'પાપ વે' ત્યાદ્રિ “વા’ શબ્દ વિકલ્પાર્થવાળા છે. '૩૪ નાવ સહિષ્પો છો', આ વચનથી સૌધર્મ દેવલોકથી ઉપર પ્રાયઃ બાલતપસ્વીઓ જોતા નથી એમ બતાવ્યું તથા મનુષ્યલોકમાં રહેલા અવધિવાળાને પણ અધોલોક દુઃખે જાણવા યોગ્ય છે તો પછી વિર્ભાગજ્ઞાનીના સંબંધમાં તો કહેવું જ શું? અર્થાત્ દુર્બોધ હોય જ માટે અધોદિશાનો બોધ અહિં કહેલ નથી. અધોલોકની દુર્બોધિતા તો ત્રીજા સ્થાનકમાં કહેલી છે. 'વં મવરૂ' તિઆવા પ્રકારનો વિકલ્પ થાય છે તે આવી રીતે–મને અતિશેષ–શેષજ્ઞાનોને ઉલ્લંધી ગયેલું અર્થાતુ અતિશયવાળું જ્ઞાન, દર્શન અથવા જ્ઞાન વડે, દર્શન તે જ્ઞાનદર્શન થયેલ છે; તેથી એક દિશાને જોવા વડે તેમાં જ લોકનો ઉપલંભ (સાક્ષાત્કાર) થવાથી કહે છે કે-એક દિશામાં લોકનો અભિગમ (બોધ) છે અર્થાતુ એક દિશા માત્ર જ લોક છે. “સન્તિ–કેટલાએક શ્રમણો અથવા માહણો વિદ્યમાન છે, તે આ પ્રમાણે કહે છે–અન્ય પાંચ દિશાઓમાં પણ લોકનો અભિગમ છે કેમ કે તે દિશાઓમાં પણ લોકના અભિગમનું વિદ્યમાનપણું છે. શ્રમણાદિ એમ કહે છે કે-પાંચ દિશાઓમાં પણ લોકનો અભિગમ છે, તે શ્રમણાદિ મિથ્યાવચન કહે છે. આ પહેલું વિભંગશાન ૧, હવે અપર (બીજું) 'પાઇ વા' ત્યાર૦ વા શબ્દ ચકાર (અને) અર્થમાં જાણવો. વિકલ્પ (અથવા) અર્થપણામાં તો પાંચ દિશાની પશ્યતા (જોવાપણું) પ્રાપ્ત નહિ થાય, પરંતુ એક દિશાની જ પ્રાપ્તિ થાય છે અને તેમ થવાથી પ્રથમ અને દ્વિતીય ભંગનો ભેદ નહિ થાય. ક્યાંક “વા’ શબ્દો દેખાતા નથી ૨, પ્રાણોને હણતા થકા ઇત્યાદિને વિષે જોવાને આ અર્થ પ્રાપ્ત થાય છે. નો વિશ્વરિયાવરને' રિ૦ ક્રિયાવરણ નહિ પરંતુ કર્યાવરણ એવો અર્થ છે ૩, 'રેવાનેવ' ઉત્ત ભવનવાસી વગેરે દેવોને જ 'વાદિમંતરે ઉત્ત. શરીરના અવગાહ ક્ષેત્રથી બહારના અને અત્યંતર-અવગાહન ક્ષેત્રમાં રહેલા, વૈક્રિયવણાના પુદ્ગલોને પર્યાલા' સમસ્તપણે વૈક્રિય સમુદ્યાત વડે ગ્રહણ કરીને 'પુનત્ત' તિદેશકાળના ભેદ વડે પૃથક્ (જુદા) અર્થાત્ કદાચિત્-કોઈક એકત્વ-એકરૂપપણું, અનેકરૂપપણું ઉત્તરવૈક્રિયપણા વડે વિકુવને 'વિત્ત રહેવા માટે પ્રવર્તેલાને, આ શેષ વાક્યનો સંબંધ છે. કેવી રીતે વિકર્થીને? તે કહે છે. 'સિત્તા' આત્મા વડે વીર્યને ફોરવીને અથવા પગલોને ચલાવીને, 'ક્યુટિવ્વા' પ્રકાશીભૂત થઈને અથવા પુદ્ગલોને પ્રગટ કરાવીને, વાચનાંતરમાં તો બીજા બે પદ દેખાય છે તેમાં ‘સંવર્ચ” સાર પુદગલોને એકત્ર કરીને અને 'નિવર્ચ–અસાર પગલોને જુદા કરીને (છોડીને) અથવા સમસ્ત પ્રાપ્ત પુદ્ગલો વડે ઉત્તરવૈક્રિય શરીરના એકપણા અને અનેકપરા પ્રત્યે સ્પર્શીને-પ્રારંભીને તથા ફુરણ કરીને-પ્રગટ કરીને સમૂ-એકીભાવ વડે વર્તિત-સામાન્યતઃ નિષ્પન્ન કરીને, નિવર્તિત-સર્વથા પરિપૂર્ણ કરીને, શું થાય છે? વૈક્રિય કરીને 1. પાસઇ શબ્દનો અર્થ પશ્યતિ-દેખે અને દેખવું તે દર્શનપણું છે, માટે અહિં ઉપલક્ષણથી જાણવું એવો અર્થ કરવો.. 158 - -
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy