SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઉત્તરપ્રકૃતિવિશેષ અથવા જીવનો પરિણામ, તેની સાથે નિધત્ત (નિષેક કરેલ) જે આયુ તે જાતિનામનિધત્તાયુ. નિષેક એટલે કર્મપુદ્ગલોની પ્રતિસમય અનુભવનરૂપ રચના. કહ્યું છે કે___मोत्तूण सगमबाहं, पढमाए ठिइए बहुतरं दव्वं । सेसे विसेसहीणं, जावुक्कस्संति सव्वासि ।।८८।। Hિપ્રવૃતિવન્યનકરને ૮૩ તમી થા] અનુદય કાળરૂપ પોતાની અબાધાને મૂકીને પ્રથમ સ્થિતિમાં બહુત દ્રવ્ય-ઘણા કર્મ પરમાણુ અને શેષ સ્થિતિઓને વિષે વિશેષથી હીન, હીનતર યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત કર્મપુલોની પ્રતિસમય અનુભવરૂપ રચના થાય છે અર્થાત્ બધી કર્મપ્રકૃતિઓની રચના એ પ્રમાણે થાય છે. સ્થાપના આ પ્રમાણે– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ તથા ગતિ-નરકાદિ ચાર પ્રકારે, શેષ તેમજ જાણવું. કૃતિ વિનામનિધત્તા, સ્થિતિ એટલે કોઈક વિવક્ષિત ભાવ વડે અથવા આયુષ્યકર્મ વડે જે સ્થિર રહેવું તે સ્થિતિ. તે જ નામ-પરિણામ (ધર્મ) તે સ્થિતિનામ, તે વડે વિશિષ્ટ નિધત્ત જે દલિકરૂપ આયુ તે સ્થિતિનામનિધત્તાયુ. અથવા આ સૂત્રમાં જાતિનામ, ગતિનામ અને અવગાહના નામના ગ્રહણથી જાતિ, ગતિ અને અવગાહનાને પ્રકૃતિ માત્ર કહ્યું અને સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ નામના ગ્રહણથી તેઓની જ સ્થિતિ વગેરે કહ્યા. અને તે સ્થિતિ વગેરે, જાતિ વગેરે નામના સંબંધીપણાથી નામકર્મરૂપ જ છે. એવી રીતે નામ શબ્દ સર્વત્ર કર્મના અર્થમાં ઘટે છે, માટે સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ, તેની સાથે નિધત્ત જે આયુ તે સ્થિતિના નિધત્તાયુંજેમાં જીવ અવગાહે છે (રહે છે) તે અવગાહના-દારિકાદિ શરીર, તેણીનું નામ તે ઔદારિકાદિ શરીરનામકર્મ તે અવગાહનાનામ, તેની સાથે જે નિધત્તાયુ તે અવગાહનાનામનિધત્તાયુ. આયુઃકર્મ દ્રવ્યરૂપ પ્રદેશોનું નામ–તેવા પ્રકારની પરિણતિ તે પ્રદેશનામ અથવા પ્રદેશરૂપ નામકર્મવિશેષ તે પ્રદેશનામ, તેની સાથે જે નિધત્તાયુ તે પ્રદેશનામનિધત્તાયુ. અનુભોગ-આયુના દ્રવ્યોનો જ વિપાક-રસ, તસ્વરૂપ જ નામપરિણામ તે અનુભાગનામ અથવા અનુભાગરૂપ નામકર્મ તે અનુભાગનામ, તેની સાથે જે નિધત્તાયુ તે અનુભાગના નિધત્તાયુ. પ્રશ્ન-શા માટે જાત્યાદિ નામકર્મ વડે આયુઃ વિશેષાય છે? ઉત્તર-આયુષ્યનું પ્રધાનપણું બતાવવા માટે. જે કારણથી નારકાદિ આયુનો ઉદય થયે છતે જાતિ વગેરે નામકર્મનો ઉદય થાય છે અને નારકાદિ ભવનો ઉપગ્રાહક આયુષ્ય જ છે. પ્રજ્ઞપ્તિ (શ્રી . ભગવતીસૂત્ર) માં કહ્યું છે કે—''તેરા જ ખંતો નેરસવવજ્ઞ? મનેફા નેરા સવવજ્ઞ? ગોયમાં નેરા, તેરી ૩વવન" [માવતી સૂત્ર ૪૨ 7િ] પ્રશ્ન-હે ભદન્ત! નરયિક, નરયિકોને વિષે ઉપજે કે અનૈરયિક ઉપજે? ઉત્તર-હે ગૌતમ! નૈરયિક (નારકાયુના ઉદયવાળો જીવ) નૈરયિકોને વિષે ઉપજે છે. તાત્પર્યાર્થિ એ છે કે નારકાયુના અનુભવરૂપ પ્રથમ સમયમાં જ નારક કહેવાય છે અને તેના સહચારી પંચેન્દ્રિય જાતિ વગેરે નામકર્મોનો પણ ઉદય થાય છે. અહિં આયુનાબંધનો નિક્ષેપ કીધે છતે જે પવિધપણું કહ્યું, તે આયુષ્યબંધના અભિન્નપણાથી અને બંધાયેલને જ આયુષ્યનો વ્યપદેશ છે. નિયમ' તિ અવશ્ય ભાવથી છHસાવડિય' ત્તિ છ મહિના અવશેષ (બાકી) છે જેઓને તે છ માસ અવશેષા. તે આયુ છે જેઓને તે છમ્મા અવશેષાયુષ્કા. પરભવ વિદ્યમાન છે 147
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy