SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने बाह्यान्तरतपसीविवादाः ५११-५१२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નિશ્રિત, અનિશ્ચિત તે સંદિગ્ધ-સંદેહવાળું અને કદાચિતું જાણે તે અધુવ (કોઈક વ્યક્તિ ક્યારેક બહુ આદિ રૂપે જાણે અને કોઈક વખતે અબહુ, આદિ રૂપે જાણે તે અધૂવ) અથવા નિશ્રિત અને અનિશ્રિતમાં બીજી રીતે આ વિશેષ છે. નિશ્રિતને ગ્રહણ કરે છે અર્થાત્ મૃગ વગેરેના ધર્મવિશિષ્ટ ગવાદિક પદાર્થને ગ્રહણ કરે છે જાણે છે (આ પરધર્મ વડે વિપરીત ઉપલબ્ધિરૂપે નિશ્રિત છે) ગાયના ધર્મો વડે વિશિષ્ટ ગાયને જાણે છે (યથાર્થ ઉપલબ્ધિ) તે અનિશ્રિત છે.' અહિં જેના અને અર્થ નથી કર્યા તે સ્પષ્ટ જ છે. આપ૧૦/ - હમણાં જ મતિ કહી અને વિશિષ્ટ મતિવાળા તપશ્ચર્યા કરે છે, માટે તપના ભેદોને કહેવા માટે બે સૂત્રને સૂત્રકાર કહે છે. . छविहे बाहिरते तवे पन्नत्ते, तंजहा–अणसणं, ओमोदरिता, भिक्खातरिता, रसपरिच्चाते. कायकिलेसो. पडिसलीणता । छव्विधे अब्भंतरते तवे पन्नत्ते, तंजहा–पायच्छित्तं, विणओ, यावच्चं, [तहेव] सज्झाओ, ફા, વિકસ્સો સૂ૦ ૧TI. छविहे विवादे पन्नत्ते, तंजहा–ओसक्कतित्ता, उस्सक्कइत्ता, अणुलोमइत्ता, पडिलोमतित्ता, भइत्ता, भेलतित्ता // સૂ૦ ૧૨.! . (મૂળ) છ પ્રકારે બાહ્ય તપ કહેલ છે, તે આ પ્રમાણે-અનશન-આહારના ત્યાગરૂપ, એક ઉપવાસથી માંડીને છ માસ પર્યત ઊનોદરિકો-ન્યૂન કવલાદિ ગ્રહણરૂપ, ભિક્ષાચર્યા-વિચિત્ર અભિગ્રહયુક્ત વૃત્તિસંક્ષેપરૂપ, રસપરિત્યાગ-સીર વગેરે રસના ત્યાગરૂપ, કાયક્લેશ-આસન વગેરે કરવારૂપ અને પ્રતિસલીનતા-ઇન્દ્રિયાદિને વશ કરવારૂપ છ પ્રકારે અત્યંતરઆંતરિક તપ કહેલ છે, તે આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય તેમજ સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ-દ્રવ્યથી અને ભાવથી પરિત્યાગરૂપ. //૫૧૧// છ પ્રકારે વિવાદ-પોતાના મતનું વિશેષ સ્થાપન કરવું કહેલ છે, તે આ પ્રમાણે—સમયની રાહ જોવા માટે કાળક્ષેપ ' કરીને જે વિવાદ કરાય છે તે અવqક્ય ૧, અવસર મેળવીને જયને માટે ઉત્સાહવાળો થઈને જે વિવાદ કરાય છે તે ઉqક્ય ૨, વિવાદમાં રહેલ અધ્યક્ષ વગેરેને અનુકૂળ કરીને જે વિવાદ કરાય છે તે અનુલોમ કરીને ૩, સર્વથા સામર્થ્ય હોવાથી અધ્યક્ષાદિને પ્રતિકૂળ કરીને જે વિવાદ કરાય છે તે પ્રતિલોમ કરીને ૪, અધ્યક્ષોની સેવા કરીને જે વિવાદ કરાય છે તે ભક્તા ૫, પોતાના પક્ષપાતીઓદ્વારા કારણિકો (અધ્યક્ષો) ને ભેળવીને અર્થાત્ પોતાના પક્ષમાં લઈને જે વિવાદ કરાય છે તે ભેળવિત્તા ૬. //પ૧૨// - (ટી૦) 'છવિ' ત્યાર આ સૂત્ર ઉક્તાર્થ છે, તો પણ કિંચિત્ સ્વરૂપ કહેવાય છે. વાહિર ત’ ત્તિ બાહ્ય એટલે તપ પ્રત્યે આચરનારને લૌકિકો વડે પણ તારૂપે જણાતું હોવાથી પ્રાયઃ બાહ્ય છે, શરીરને તપાવનાર હોવાથી અથવા તપતિ–શરીર તથા કર્મને જે તપાવે છે તે તપ, તેમાં અનશન–અભોજન અર્થાત્ આહારનો ત્યાગ, તે બે પ્રકારે ઇવર (અલ્પકાલીન) અને પાવકથિત. આ તીર્થને આશ્રયીને ઇતર તે એક ઉપવાસથી આરંભીને છ માસ પર્વત છે, યાવસ્કથિક તો આજન્મભાવીજીવનપર્યત, તે ત્રણ પ્રકારે છે-પાદપોગમન, ઇંગિતમરણ અને ભક્તપરિજ્ઞા, જેનું વ્યાખ્યાન પૂર્વે કરેલું છે ૧, 'મોરિય' ત્તિ સવા–ઊણું ઉદર-જઠર તે અવમોદર, તેનું કરવું તે અવમોદરિકા, તે દ્રવ્યથી ઉપકરણ અને ભક્તાનના વિષયવાળી પ્રતીત છે અને ભાવથી તો ક્રોધાદિના ત્યાગરૂપ છે ૨, ભિક્ષાને અર્થે ચર્યા (કરવું) તે ભિક્ષાચર્યા, તે જ તપ નિર્જરાના અંગભૂત હોવાથી અનશનવત્ અથવા સામાન્યથી ગ્રહણમાં પણ વિચિત્ર અભિગ્રહ યુક્તપણાને લીધે વિશિષ્ટવૃત્તિસંક્ષેપરૂપ આ ભિક્ષાચય) ગ્રહણ કરવી. જે માટે અહિં આગળ કહે છે કે—'છવિહી રવરિષ' ત્તિઆ અત્યંત ભિન્ન નથી. ભિક્ષાચાર્યમાં અભિગ્રહો. 1, અવગ્રહમતિ વગેરેનું વિશેષ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસુએ ભાગમાં જોવું. 125
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy