SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने प्रमादाप्रमादप्रतिलेखनाः लेश्याः शक्रसोमयमाग्रमहिष्यः ईशनामध्यपर्षत्स्थितिः धरणाद्यग्रमहिष्यः ५०३-५०९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મૂળ) છ પ્રકારે પ્રમાદયુક્ત પડિલેહણા કહેલી છે, તે આ પ્રમાણે—આરભટા–વિપરીત કરવી અથવા ઉતાવળથી કરવી ૧, સંમર્દા–જેમાં વસ્ત્રના મધ્ય પ્રદેશને વિષે સળ પડેલા ચાર ખૂણાઓ થાય છે તે ૨, મોસલી-પડિલેહણ કરાતા વસ્ત્રના ભાગ વડે તિર્યંગ, ઊર્ધ્વ કે નીચે સંઘટ્ટો કરવારૂપ ૩, પ્રસ્ફોટના-૨જ વડે મિશ્રિત વસ્રની જેમ અત્યંત કંપાવવારૂપ ૪, વિક્ષિપ્તા–પડિલેહણ કરેલ વસ્ત્રને નહિ પડિલેહણ કરેલ વસ્ત્રમાં મૂકવારૂપ ૫, અને ૬ વેદિકા-ઊર્ધ્વ વેદિકાદિ પાંચ પ્રકારે છે. આ છ પ્રકા૨ે પ્રમાદયુક્ત પ્રતિલેખના વર્જવા યોગ્ય છે. ।।૧। છ પ્રકારે અપ્રમાદયુક્ત પડિલેહણા કહેલી છે, તે આ પ્રમાણે—વસ્ત્ર અને શરીરને જેમાં નચાવે (કંપાવે) નહિ તે અનર્જિત ૧, વસ્ત્ર અથવા શરીર જેમાં વળે નહિ તે અવલિત ૨, જેમાં અત્યંત ઝાટકવું નથી તે અનનુબંધી ૩, જેમાં વસ્ત્રના સંઘટ્ટારૂપ મોસલી નથી તે અમોસલી ૪, વસ્ત્રને પહોળું કરી આંખ વડે જોઈને તેના આગલા ભાગને ઉથલાવી અને જોઈને ત્રણ પ્રસ્ફોટક કરવા તેથી તેને ઉથલાવીને ચક્ષુથી જોઈ ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટક કરવા તે છપુરિમા પ તથા નવ ખોટકા તે ત્રણ ત્રણ ખોટકા ત્રણ ત્રણ પ્રમાર્જનાથી અંતરિત ત્રણ વાર હાથ ઉપર કરવારૂપ પાંચમી ૫ અને હાથ ઉપર કુંથું વગેરે જીવોનું શોધન કરવું તે છઠ્ઠી ।।૨। ।૫૦૩|| છ લેશ્યાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કૃષ્ણ લેશ્યા યાવત્ શુક્લલેશ્યા. પંચેન્દ્રિયતિર્યંચયોનિકોને છ લેશ્યાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. એવી રીતે મનુષ્ય અને દેવોને પણ છ વેશ્યાઓ કહેલી છે.।૫૦૪ શક્ર નામના દેવેન્દ્ર, દેવના રાજાના સોમ નામના મહારાજા (લોકપાળ)ની છ અગ્રમહિષીઓ કહેલી છે. એમ જ યમ નામના લોકપાળની છ અગ્રમહિષીઓ કહેલી છે. ૫૦૫ ઈશાન નામના દેવેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની છ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ૫૦૬ દિશાકુમારિકામાં છ મહત્તેરિકા-શ્રેષ્ઠ દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપાવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. વિદ્યુત્ક્રુમારિકામાં છ મહત્તરિકા-શ્રેષ્ઠ દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે—આલા, શક્રા, શતેરા, સૌદામિની, ઇંદ્રા અને ધનવિદ્યુતા I૫૦૭ ધરણેન્દ્ર નામના નાગકુમા૨ેન્દ્ર-નાગકુમારના રાજાની છ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—આલા, શક્રા, શહેરા, સૌદામિની, ઇંદ્રા અને ધનવિદ્યુતા. ભૂતાનંદ નામના નાગકુમારેન્દ્ર-નાગકુમારના રાજાની છ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. જેમ ધરણેન્દ્રની અગ્રમહિષીઓના નામો કહ્યા, તેમ બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓના નામો કહેવા, યાવત્ ઘોષ નામના સ્તનિતકુમા૨ેન્દ્રની ઇન્દ્રાણીઓના નામો એ પ્રમાણે જ જાણવા. જેમ ભૂતાનંદ નામના ઇન્દ્રની અગ્રમહિષીઓના નામો કહ્યા, તેમ બધાય ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓના નામો કહેવા, યાવત્ મહાઘોષ નામના સ્તનિતકુમારેન્દ્રની ઇન્દ્રાણીઓના નામો એ પ્રમાણે જાણવા. ૫૦૮ ધરણ નામા નાગકુમા૨ેન્દ્ર-નાગકુમારના રાજાના છ હજાર સામાનિક દેવો કહેલા છે, એવી રીતે ભૂતાનંદના યાવત્ મહાઘોષ નામના ઇન્દ્રના પણ સમજવા. I૫૦૯૫ (ટી0) 'ઇન્નિદે' ત્યાદ્રિ છ પ્રકારે ઉક્ત લક્ષણ પ્રમાદ વડે પ્રત્યુપ્રેક્ષા તે પ્રમાદપ્રત્યુપેક્ષા કહેલી છે, તે આ પ્રમાણે— वितहकरणंमि तुरियं, अन्नं अन्नं च गिण्ह आरभडा । अंतो व होज्ज कोणा, निसियण तत्थेव संमद्दा ||२७|| गुरुउग्गहादठाणं, पप्फोडण रेणुगुंडिए चेव । विक्खेवं तुक्खेवो, वेइयपणगं च छद्दोसा ||२८|| [પવ॰ ૨૪૬-૭ fi] 'આર્મડા॰' આરભટા-અયથાર્થ કરવારૂપ અથવા શીઘ્ર બધુંય શરૂ કરનારની અથવા એક વસ્ત્ર અર્ધું પડિલેહણ કીધે છતે જે અન્ય અન્ય વસ્ત્રને ગ્રહણ કરવું તે આરભટા, તે સદોષ હોવાથી વર્જનીય છે. આ પ્રમાણે સર્વત્ર સંબંધ ક૨વા યોગ્ય છે ૧. સમ્મ–િજેમાં વસ્રના મધ્ય ભાગને વિષે સળ પડેલા ખૂણા થાય છે, અથવા જેમાં પ્રત્યુપેક્ષણીય ઉપધિના વીંટલા ઉપર 121
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy