________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने छमस्थेतरज्ञेयाज्ञेयानि षड्शक्तयः निकायाः तारग्रहाः संसारिणः सर्वजीवाः अग्रबीजाद्याः ४७८-४८४ सूत्राणि
સ્થાનકોમાં ઉત્પન્ન થયેલ જ્ઞાન દર્શનને ધરનાર અહંત (તીર્થકર), જિન (સામાન્ય કેવલી) યાવત્ સર્વ ભાવ વડે જાણે છે, દેખે છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને યાવતુ શબ્દને. //૪૭૮ છ સ્થાનકોને વિષે સર્વ જીવોને એવી ઋદ્ધિ નથી, ધૃતિ નથી, યશ નથી, શારીરિક બલ નથી, આત્મિક વીર્ય નથી, પરિષકાર (અભિમાન) નથી અને યાવતું પરાક્રમ નથી, તે આ પ્રમાણે–જીવને અજીવ કરવાની શક્તિ નથી ૧, અજીવને જીવ કરવાની શક્તિ નથી ૨, એક સમયમાં બે ભાષા બોલવાની શક્તિ નથી ૩, સ્વયં કરેલ કર્મને હું વેદું અથવા ન વેદું એમ કરવાની શક્તિ નથી ૪, પરમાણપદુગલને છેદવા માટે, ભેદવા માટે અથવા અગ્નિકાય વડે ! બાળવા માટે શક્તિ નથી ૫, લોકના અંતથી બહાર અલોકમાં જવા માટે શક્તિ નથી ૬. //૪૭૯ો. જીવોની રાશિરૂપ છ જીવનિકાયો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથિવીકાયિકો યાવતું ત્રસકાયિકો. //૪૮ll તારકના જેવા આકારવાળા છ તારક ગ્રહો કહેલા છે, તે આ પ્રમાણે—શુક્ર, બુધ, બૃહસ્પતિ (ગુરુ), અંગારક-મંગળ, શનૈશ્ચર (શનિ) અને કેતુ. //૪૮૧// છ પ્રકારના સંસારમાં રહેલા જીવો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો યાવત્ ત્રસકાયિક જીવો. પૃથ્વીકાયિકો, છ ગતિવાળા અને છ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક સંબંધી આયુષ્યનો ઉદયવાળા જીવ, પૃથ્વીકાયિકોને વિષે ઉપજતો થકો, પૃથ્વીકાયિકોમાંથી યાવત્ ત્રસકાયિકોમાંથી ઉત્પન્ન થાય. તે જ પૃથ્વીકાયિક જીવ, તે પૃથ્વીકાયિકપણાને છોડતો થકો પૃથ્વીકાયિકપણાએ યાવત્ ત્રસકાયિકપણાએ જાય-ઉત્પન્ન થાય. અકાયિકો પણ છ ગતિવાળા અને છ આગતિવાળો કહેલા છે, એ પ્રમાણે યવત્ ત્રસકાયિકો પણ જાણવા. //૪૮૨// છ પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–આભિનિબોધિક (મતિ) જ્ઞાની યાવતું કેવલજ્ઞાની અને અજ્ઞાની અથવા છ પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—એકેન્દ્રિયો યાવત્ પંચેન્દ્રિયો અને અનિન્દ્રિયો અથવા છ પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—ઔદારિકશરીરી, વૈક્રિયશરીરી, આહારકશરીરી, તૈજસશરીરી, કાર્મણશરીર અને અશરીરી (સિદ્ધ). //૪૮૩/l છ પ્રકારે તૃણ (બાદર) વનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે–અગ્રમાં બીજ વાળા, મૂળમાં બીજવાળા, પર્વમાં બીજવાળા, સ્કંધમાં બીજવાળા, બીજથી ઊગનારા અને સંમૂછિમો-બળેલ જમીનમાં બીજ વિના ઊગનારા ઘાસ
વગેરે. //૪૮૪ll (ટી0) 'છદી' ત્ય િઅહિં પ્રસ્થ એટલે વિશિષ્ટ અવધિ વગેરેથી રહિત પરંતુ અકેવલી' નહિં. જોકે ધર્મ, અધર્મ, આકાશ અને શરીરથી ભિન્ન થયેલ જીવને પરમાવધિવાળો નથી જાણતો, તો પણ પરમાણુ અને શબ્દને જાણે છે જ; કારણ તે બન્નેનું રૂપીપણું છે અને અવધિજ્ઞાનનો રૂપીપદાર્થ જાણવાનો વિષય છે. આ સૂત્ર અને એનાથી વિપર્યયભૂત સૂત્ર પૂર્વે (પંચમસ્થાનમાં) પ્રાયઃ વ્યાખ્યા કરાયેલ છે. ૪૭૮ ' છદ્મસ્થની ધર્માસ્તિકાયાદિને જાણવાની શક્તિ નથી એમ કહ્યું, હવે સર્વ જીવોની જે વસ્તુઓને વિષે જેવી રીતે શક્તિ નથી, તે વસ્તુઓને તે પ્રમાણે કહે છે—'છદી’ ત્યા૦િ છ સ્થાનોને વિષે સંસારી અને મુક્ત સ્વરૂપ સર્વ જીવોની શક્તિ નથી. ઋદ્ધિ-વિભૂતિ, ઇતિ એટલે આવા પ્રકારની વિભૂતિ વડે જીવાદિ અજીવાદરૂપે ન કરાય અર્થાત્ જીવો જે વિભૂતિથી જીવાદિકને અજીવરૂપે કરી શકે તેવી શક્તિ નથી. ‘વા” શબ્દ વિકલ્પમાં છે. એવી રીતે ધુત-પ્રભા અર્થાત્ માહાભ્ય. યાવત્ શબ્દથી 'નસે હુ વા વને ટુ વા વીgિ વા પરિસારપુરામે રૂ 4' ત્તિઆ સુત્રની અનેક વખત વ્યાખ્યાન કરાયેલ છે માટે અહિ વ્યાખ્યા કરતા નથી. નીવં વે’ ત્યાર જીવને અજીવની કરણતામાં અર્થાત્ જીવને અજીવ કરવા માટે ૧, અથવા અજીવને
1. છદ્મસ્થનો અકેવલી અર્થ કરવાથી વિશિષ્ટ અવધિજ્ઞાની વગેરેનો પણ અકેવલીમાં સમાવેશ થાય છે, પરંતુ અહિં તે ઇષ્ટ નથી કારણ કે
પરમાણુ અને શબ્દ રૂપી હોવાથી તેઓને તેનો સાક્ષાત્કાર થાય છે. 108