________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७ - ४४९ सूत्राणि સંથાર-પાય-દંડળ-હોમિયપ્પા ય પી-તારૂં । ઓસહ-મેસન્માનિ ય, માફ પોયાં તસુ ॥૧૬॥ [ओघनिर्युक्ति ३६४ पिण्ड नि० ४६ त्ति ] સંથારો, પાત્રા, દાંડો, ક્ષૌમિક-શણ વગેરેનું વસ્ત્ર, કપાસ, પીઠ, ફલક વગેરે, ઔષધ અને ભૈષજ્ય ઇત્યાદિ અચિત્ત વનસ્પતિનું પ્રયોજન હોય છે. (૧૯૯)
ત્રસકાયમાં પંચેન્દ્રિય તિર્યંચને આશ્રયીને કહ્યું છે કે—
ધમ્મદ્ધિ વંત-નહ-રોમ-સિન-અમિતાછળ-ગોમુત્તે । સ્ત્રી-હિમાવાન, પં નિયતિરિયપરિમોનો ૨૦૦॥ [ओघनिर्युक्ति ३६८ पिण्ड नि० ५० त्ति ] ચર્મ, હાડકાં, દાંત, નખ, રોમ, શીંગડાં વગેરે, અમ્લાન છાણ, ગોમૂત્રાદિ, દૂધ, દહિં વગેરે, પંચેન્દ્રિય તિર્યંચોના અચિત્ત અવયવો સાધુઓના ઉપયોગમાં આવે છે. (૨૦૦) કેટલાએક રોગોમાં દાંત, નખાદિનો ઉપયોગ પણ કરાય છે.
એવી રીતે વિકલેન્દ્રિય, મનુષ્ય અને દેવાદિની સહાયતા કહેવા યોગ્ય છે તથા ગણ-ગચ્છની ઉપકારિતા ''H ઓ ધમ્મો'' [પરેશમાના ૬-૬ ત્તિ] [એકલાને ધર્મ ક્યાંથી હોય?] ઇત્યાદિ ગાથાના સમૂહથી જાણવી. गुरु परिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला । विणयाउ तहा सारणमाईहिं न दोसपडिवत्ती ||२०१ ॥
[પદ્મવસ્તુ ૬૬૬ fi]
ગુરુનો પરિવાર–સાધુ સમુદાય તે ગચ્છ, તેમાં વસતાં થકાં ઘણી નિર્જરા થાય છે કેમ કે ગુણવાનનો વિનય ક૨વાથી તથા સારણા વગેરેથી ક્યારે પણ દોષની પ્રતિપત્તિ થતી નથી, પરંતુ[સુ]ગુરુકુળવાસમાં વસવાથી ગુણની વૃદ્ધિ જ થાય છે. (૨૦૧)
अन्नोन्नावेक्खाए, जोगंमि तहिं तहिं पयट्टंतो । नियमेण गच्छवासी, असंगपयसाहगो नेयो || २०२ ।।
[પદ્મવસ્તુ ૬૧૬ ત્તિ] પરસ્પરની અપેક્ષાએ–એક બીજાને જોઈને તે તે વિનયાદિ યોગને વિષે પ્રવર્તતો થકો ગચ્છવાસી મુનિ, નિશ્ચયથી અસંગપદનો (મોક્ષપદનો) સાધક જાણવો. (૨૦૨)
દુષ્ટ મનુષ્યોથકી સાધુનું રક્ષણ કરવાથી રાજાનું ધર્મમાં સહાયકપણું છે. લૌકિકોએ કહ્યું છે કે— क्षुद्रलोकाकुले लोके, धर्मं कुर्युः कथं हि ते । क्षान्ता दान्ता अहन्तारश्चेद्राजा तान्न रक्षति ।।२०३ ।। अराजके हि लोकेऽस्मिन् सर्वतो विद्रुते भयात्। रक्षार्थमस्य सर्वस्य, राजानमसृजत् प्रभुः || २०४ ।।
ક્ષુદ્ર લોકો વડે વ્યાકુળ લોકને વિષે જો રાજા સાધુઓની રક્ષા ન કરે તો શાંતિવાળા, ઇન્દ્રિયોને દમનારા અને હિંસા નહિ કરનારા સાધુઓ કેવી રીતે ધર્મ કરી શકે? (૨૦૩)
વળી રાજા વગરના આ જગતમાં સર્વથા ઉપદ્રવ થયે છતે આ બધાની ભયથી રક્ષા કરવાને માટે જ ઈશ્વરે રાજાને ઉત્પન્ન કર્યો છે. (૨૦૪)
ગૃહપતિ તે શય્યા–વસતિનો આપનાર (શય્યાત૨), તે પણ નિશ્રાનું સ્થાન છે. તે સ્થાનના દાન વડે સંયમમાં ઉપકાર કરનાર છે. કહ્યું છે કે—
धृतिस्तेन दत्ता मतिस्तेन दत्ता गतिस्तेन दत्ता सुखं तेन दत्तम् ।
गुणश्रीसमालिङ्गितेभ्यो वरेभ्यो मुनिभ्यो मुदा येन दत्तो निवासः । । २०५ ।।
ગુણરૂપ લક્ષ્મીને આલિંગન કરનાર પ્રધાન મુનિઓને જેણે પ્રેમથી નિવાસ-સ્થાન આપ્યું, તેણે ધૈર્ય આપ્યું, મતિ આપી, ગતિ આપી અને સુખ પણ આપ્યું. (૨૦૫)
84