SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः १ शरीरस्वरूपम् ७५ सूत्रम् तसकाए दुविहे पन्नत्ते, तंजहा- भवसिद्धिए चेव, अभवसिद्धिए चेव। एवं थावरकाए वि' (३) ।। सू० ७५।। .. (મૂ4) નરયિકોને બે શરીર કહેલ છે, તે આ પ્રમાણે–અત્યંતર શરીર અને બાહ્ય શરીર, અત્યંતર તે કાર્પણ અને તૈજસ શરીર અને બાહ્ય તે વૈક્રિય શરીર. એવી રીતે દેવોને પણ બે શરીર જાણવા. પૃથ્વીકાયિકોને બે શરીર કહેલ છે, તે આ પ્રમાણે—અત્યંતર અને બાહ્ય. અત્યંતર તે કામણ શરીર અને બાહ્ય તે ઔદારિક શરીર, યાવત્ વનસ્પતિકાયિકોને બે શરીર જાણવા (૧), બેઈદ્રિયોને બે શરીર કહેલ છે, તે આ પ્રમાણે—અત્યંતર અને બાહ્ય. અત્યંતર તે કાર્પણ શરીર, બાહ્ય તે અસ્થિ (હાડકા), માંસ અને રુધિર વડે જોડાયેલ દારિક શરીર, એવી રીતે યાવતું ચતુરિંદ્રિયોને બે શરીર જાણવા. પંચેદ્રિય તિર્યંચ યોનિકોને બે શરીર કહ્યા છે, તે આ પ્રમાણે—અત્યંતર અને બાહ્ય, અત્યંતર તે કાર્પણ અને બાહ્ય તે અસ્થિ, માંસ, શોણિત, સ્નાયુ (નાડી), શિરા (નસો) થી જોડાયેલ ઔદારિક શરીર, મનુષ્યોને પણ એવી રીતે બે શરીર જાણવા (૨), વિગ્રહ (વક્ર) ગતિને પ્રાપ્ત થયેલા નૈરયિકોને બે શરીર કહ્યા છે. તે આ પ્રમાણે—તૈજસ અને કાર્મણ. એવી રીતે આંતરા રહિત (સર્વ દંડકમાં) યાવતું વૈમાનિકોને બે શરીર જાણવા. નરયિકો બે સ્થાન (કારણ) વડે શરીરની ઉત્પત્તિનો પ્રારંભ કરે છે, તે આ પ્રમાણે–રાગ અને દ્વેષથી, યાવત્ વૈમાનિકના દંડક પર્યત એમ જ જાણવું. નરયિકોને બે સ્થાન વડે શરીરની નિવર્નના–પરિપૂર્ણતા થાય છે, તે આ પ્રમાણે–રાગ વડે નિર્વના અને દ્વેષ વડે નિર્વના કરાય છે, યાવત્ વૈમાનિક દંડક પયત એમ જ જાણવું. બે કાયર (રાશિ) કહેલ છે, તે આ પ્રમાણે–ત્રસકાય અને સ્થાવરકાય. ત્રસકાય બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક. તેવી જ રીતે સ્થાવરકાયના પણ ભવ્ય અને અભવ્ય બે ભેદ જાણવા (૩). I૭પી/ (ટી0) રામ'ત્યાદ્રિ પ્રાયઃ સુગમ છે, વિશેષ કહે છે—શર્યતે–પ્રત્યેક ક્ષણે ચય (વૃદ્ધિ) અને અપચય(હાનિ) વડે નાશ પામે છે તે શરીર, તેમજ સડવા વગેરેના સ્વભાવ વડે અનુકંપનપણું હોવાથી શરીર. જિનેશ્વરોએ તે શરીર બે પ્રકારનાં કહેલ છે, તે આ પ્રમાણે—અત્યંતર તથા બાહ્ય. અત્યંતર-મધ્યમાં થયેલું તે અત્યંતરે. આ શરીરનું અત્યંતરપણું જીવના પ્રદેશો સાથે ક્ષીરનીરના ન્યાય વડે એકીભૂત થવાથી અને ભવાંતરમાં ગયે છતે પણ જીવની સાથે ગતિમાં તેનું મુખ્યપણું હોવાથી તેમજ ઘર વગેરેની અંદરમાં રહેલ પુરુષની જેમ અનતિશય–જ્ઞાનવાળાને અપ્રત્યક્ષપણું હોવાથી અત્યંતરપણું છે. તથા બાહેરમાં થયેલું તે બાહ્ય. એનું બાહ્યપણું તો જીવના પ્રદેશો વડે કોઈપણ શરીરના કેટલાક અવયવોને વિષે અવ્યાસપણું હોવાથી અને ભવાંતરમાં સાથે ન જવાથી અતિશયજ્ઞાન વગરના જીવોને પણ પ્રાયઃ પ્રત્યક્ષ હોવાથી તે બાહ્ય શરીર છે. 'મ'ત્તિ અત્યંતર કાર્મણશરીરનામકર્મના ઉદયથી થવા યોગ્ય સઘળા કર્મોની ઉત્પન્ન થવાની ભૂમિઆધારરૂપ છે. તથા સંસારી જીવોને બીજી ગતિને વિષે જવામાં અતિશય સહાયક તે શરીર કામણવર્ગણાસ્વરૂપ છે, કર્મ એ જ કર્મક-કાશ્મણ છે. કાશ્મણ શબ્દનું ગ્રહણ કરવામાં તૈજસશરીર પણ ગ્રહણ કરાયેલ છે એમ સમજી લેવું, કારણ કે કાર્પણ અને તૈજસ એકના વિના બીજું હોતું નથી અર્થાત્ તે બન્ને સદા સાથે રહે છે માટે એકપણાની વિવક્ષા કરી છે. પર્વ ટેવાઈi મળિયā'ત્તિ જેમ નરયિકોને બે શરીર કાર્પણ અને વૈક્રિય કહેલ છે તેમ અસુરકુમાર દેવોથી આરંભીને વૈમાનિક પર્યત દેવોને બે શરીર હોય છે. કાર્પણ અને વૈક્રિય શરીરનો તેઓને સદ્ભાવ હોય છે. અહીં ચોવીશ દંડકોની 1. अत्र भा. मध्ये एकस्मिन् खण्डिते पत्रे ईदृशः पाठ उपलभ्यते-जीवकाए चेव अरूविअजीवकाए चेव। कप्पइ निग्गंथाण वा दो दिसाओ अभिगिज्झ..... उवट्ठावित्तए भुंजित्तए संवसित्तए कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा दो दिसाओ अभि....... पडिक्कमित्तए निंदित्तए गरहित्तए विसोहित्तए अकरणयाए अब्भुद्वित्तए अ...... निग्गंथीण वा दो दिसाओ अभिगिज्झ अपच्छिममारणतियसंलेहणाझूसणा સિયાન બત્ત...... વરિત્તા તંનદ –પાનું વેવ ૩ીનું વેવાછા વીચાને મો સમો સમ- માં.... આ રીતનો પાઠ તુટેલો છે એમ સમજવું. [શ્રી જેબવિજયજી સંપાદિત સ્થાનાંગ સૂત્રમાં]. 2. એક નારકનો દડક અને દેવોના ૧૩ દેડકમાં બે શરીર કાર્પણ અને વૈક્રિય હોય છે. શેષ પૃથ્વી વગેરે ૧૦ દંડકમાં કાર્પણ અને ઔદારિક શરીર હોય છે. 84
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy