SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः १ प्रत्यक्ष-परोक्षज्ञानम् ७१ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ કેવલજ્ઞાન (૮૪), સયોગિભવસ્થકેવલજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે–પ્રથમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન અને અપ્રથમ–સમયસયોગીભવસ્થકેવલજ્ઞાન (૫), અથવા ચરમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન અને અચરમસમયસયોગિભવસ્થ-કેવલજ્ઞાન (૬), એવી રીતે અયોગિભવસ્થ કેવલજ્ઞાનના પણ બે ભેદો જાણવા (૭-૮), સિદ્ધકેવલજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે—અનંતર (આંતરારહિત) સિદ્ધકેવલજ્ઞાન અને પરંપરસિદ્ધકેવલજ્ઞાન (૯), અનંતરસિદ્ધકેવલજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે—એકઅનંતરસિદ્ધકેવલજ્ઞાન અને અનેકઅનંતરસિદ્ધકેવલજ્ઞાન (૧૦), પરંપરસિદ્ધકેવલજ્ઞાન બે પ્રકારે છે, તે આ પ્રમાણે—એક પરંપરસિદ્ધકેવલજ્ઞાન અને અનેકપરંપરસિદ્ધકેવલજ્ઞાન (૧૧), નોકેવલજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે—અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન (૧૨), અવધિજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે—ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક (૧૩), ભવપ્રત્યયિકઅવધિજ્ઞાન બેને હોય છે, તે આ પ્રમાણે –દેવોને અને નૈરયિકોને (૧૪), ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બેને હોય છે, તે આ પ્રમાણે—મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોને (૧૫), મન:પર્યવજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે–ઋજુમતિ અને વિપુલમતિ (૧૬), પરોક્ષ જ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે–આભિનિબોધિક (મતિ)જ્ઞાન અને શ્રુતજ્ઞાન (૧૭), આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આં પ્રમાણે–ચુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત (૧૮), કૃતનિશ્રિતમતિજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ (૧૯), અશ્રુતનિશ્ચિતમતિજ્ઞાનના પણ એવી રીતે બે ભેદ જાણવા (૨૦), શ્રુતજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે—અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય (૨૧), અંગબાહ્યકૃત બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે–આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત (૨૨), આવશ્યક વ્યતિરિક્ત શ્રુત બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે -કાલિક અને ઉત્કાલિક શ્રત છે (૨૩). I૭૧// (ટી) 'રો ના' રૂલ્ય—િસૂત્રો સુગમ છે. વિશેષ બોધ તે જ્ઞાન. અશ્રાતિ (ત્રિભુવનની ઋદ્ધિ પ્રત્યે) ભોગવે છે અથવા જ્ઞાન વડે પદાર્થો પ્રત્યે વ્યાપ્તિ કરે છે, તે કારણથી અક્ષ–આત્મા, તે પ્રત્યે જે ઇંદ્રિય અને મનની અપેક્ષા વિના વર્તે છે તે પ્રત્યક્ષ જ્ઞાન અર્થાત્ અંતર (વ્યવધાન) રહિતપણાએ પદાર્થને સાક્ષાત્ કરવામાં ચતુર છે. ભાષ્યકાર કહે છે– अक्खो जीवो अत्थव्वावण-भोयणगुणण्णिओजेण । तं पइ वट्टइ नाणं,जंपच्चक्खं तमिह[तय] तिविहं ।।१२।।[वि.आ०८९] જીવ અર્થની વ્યાપ્તિ અને ભોજન (ભોગ) સહિત હોવાથી અક્ષ કહેવાય છે. એવા તે જીવ પ્રત્યે જે જ્ઞાન સાક્ષાત્ વર્તે છે તે જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષજ્ઞાન અવધિ વગેરે ત્રણ પ્રકારે છે. (૧૨) - પરેષ્યઃ—બીજાથી જીવની અપેક્ષાએ પુદ્ગલમય હોવાથી દ્રવ્યંદ્રિય અને રાક્ષસ્થ જીવને જે જ્ઞાન થાય તે ધારાએ નિરુક્તિવશથી પરોક્ષજ્ઞાન. ભાષ્યકાર કહે છે – अक्खस्स पोग्गलकया, जंदव्विंदिय-मणा परा तेण । तेहिंतो जं नाणं, परोक्खमिह तमणुमाणं व ॥१३॥[वि.आ०९०] દ્રલેંદ્રિય અને મન પુદ્ગલમય છે તેથી તે આત્માથી ભિન્ન છે, માટે ઇંદ્રિયો અને મનથી થતું જે મતિ અને શ્રુત જ્ઞાન તે અહિં અનુમાન પ્રમાણની માફક પરોક્ષ જ્ઞાન કહેલું છે. (૧૩). અથવા પર ઇંદ્રિયો અને મનની સાથે કક્ષા–જન્યજનક-ભાવરૂપ છે માટે પરોક્ષ સંબંધ છે. અર્થાત્ જીવને પરોક્ષ જ્ઞાન, ઇંદ્રિયો અને મનના વ્યવધાન (અંતર) વડે પદાર્થને જણાવનારું છે, પરંતુ સાક્ષાત્કાર કરાવનાર નથી (૧), 'પર્વ'ત્યાદિ, જેવાં—એક જ્ઞાન તે કેવલજ્ઞાન, તેથી જુદું તે નોકેવલજ્ઞાન તે અવધિ, મન:પર્યવરૂપ (૨), 'વને'ત્યાર બવત્થ વેવ'તિ સંસારમાં રહેલ કેવલીનું જે જ્ઞાન તે ભવસ્થકેવલજ્ઞાન, એવી રીતે સિદ્ધનું જે કેવલજ્ઞાન તે સિદ્ધકેવલજ્ઞાન (૩), "વત્થ’ત્યાતિ, જે કાયવ્યાપારાદિ યોગે સહિત છે તે સયોગી. અહિં સમાસાંત પ્રકરણથી રૂર્ પ્રત્યય થયેલ છે. સયોગીરૂપ 1. કેવલજ્ઞાનમાં વાસ્તવિક ભેદ નથી પરંતુ સ્વામિની અપેક્ષાએ ભેદ છે. જેમ પાણીમાં ભેદ નથી તથાપિ પાત્ર ભેદે પાણીનો ઉપચાર થાય – 73
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy