SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः १ सम्यग्मिथ्यादर्शनं ७० सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ શુદ્ધ, અમૃદ્ધ અને અદ્ધવિશુદ્ધરૂપ મિથ્યાત્વપુગલના ત્રણ પંજ જેણે, વળી નથી ખપાવેલ મિથ્યાદર્શન જેણે એવો જે જીવ. સમ્યક્તને પ્રાપ્ત કરે છે તેને પથમિક સમ્યક્ત હોય છે. તે કેવી રીતે? અહિં આ જીવને જે મિથ્યાદર્શન મોહનીય કર્મ ઉદયમાં આવેલું તે અનુભવ વડે જ નાશ પામ્યું, અન્ય મિથ્યાત્વ મોહનીય કર્મ મંદ પરિણામપણાએ ઉદયમાં નહિં આવેલું, આ કારણથી અંતર્મુહૂર્ત કાલમાત્ર ઉપશાંત રહે છે. વિખંભિતોદય (ઉદયનો અટકાવ) તેટલા કાલ સુધી જીવને ઔપશમિક સમ્યક્તનો લાભ હોય છે. ભાષ્યકારે કહ્યું છે કેउवसामगसेढिगयस्स, होइ उवसामिअंतु सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ।।८।। खीणम्मि उदिन्नम्मी, अणुदिज्जते य सेसमिच्छत्ते। अंतोमुत्तकालं, उवसमसम्म लहइ जीवो। विशेषा० ५२६-३०] ' ઉપશમશ્રેણિ પામેલાને ઉપશમ સમ્યકત્વ હોય છે. અથવા જેણે ત્રણ પુંજ ન કર્યા હોય અને મિથ્યાત્વનો ક્ષય પણ ન કર્યો હોય તે ઉપશમ સમ્યકત્વ પામે છે. ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય થયો હોય અને શેષ મિથ્યાત્વ અનુદિત છતે અન્તર્મુહર્ત માત્ર સુધી જીવ ઉપશમ સમકિત પામે છે. (૮-૯) અંતર્મુહૂર્ત માત્ર કાલ હોવાથી જ ઉપશમ સમકિતનું પ્રતિપાતીપણું છે. અનંતાનુબંધી કષાયનો ઉદય થયે છતે ઉપશમ સમ્યક્તથી પડતાં જીવને જે સાસ્વાદન સમ્યક્ત કહેવાય છે તે ઔપશમિક' જ છે. તે સાસ્વાદન પણ પ્રતિપાતી જ છે, કારણ કે સાસ્વાદનનો કાલ જઘન્યથી સમય માત્ર અને ઉત્કૃષ્ટથી તો છ આવલિકા પ્રમાણ છે. તથા અહિં જે મિથ્યાદર્શનના જે દલિક ઉદયમાં આવેલ તે ક્ષય પામેલ અને જે ઉદયમાં ન આવેલ તે ઉપશાંત થયેલ. ઉપશાંત-સ્તંભીભૂત ઉદયવિશિષ્ટ અને મિથ્યા સ્વભાવ દૂર કરેલું હોય તે અહિં અનુભવમાં આવેલ એવા ક્ષયોપશમ સ્વભાવને ક્ષાયોપથમિક સમ્યક્ત કહેવાય છે. શંકા-ઉપશમ સમકિતમાં પણ ક્ષય અને ઉપશમ બન્ને સ્વભાવ હોય છે તેવી જ રીતે ક્ષાયોપથમિકમાં પણ બન્ને છે, તો આ બે સમકિતમાં ભેદ શો? સમાધાન–આ જ વિશેષ છે. અહિં ક્ષાયોપથમિકમાં જે દલિક (શુદ્ધપુંજરૂપ) વેદાય છે તે દલિક ઔપશમિકમાં વેદાતા નથી. વળી અહિં ક્ષાયોપથમિકમાં પૂર્વે જે દલિક ઉપશાંત કરેલ છે તે સમય સમય પ્રત્યે ઉદયમાં આવે છે, વેદાય છે અને ક્ષય થાય છે. ઔપશમિકમાં તો ઉદયનો અટકાવ માત્ર છે. ભાષ્યકાર કહે છે– मिच्छतं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जतं खओवसमं ॥१०॥ [वि.आ० ५३२] જે ઉદય પામેલું મિથ્યાત્વ હોય તેને ક્ષય કર્યું હોય અને નહીં ઉદય પામેલું (સત્તામાં) હોય તેને ઉપશમાવ્યું હોય, એવા મિશ્રભાવે પરિણામ પામીને, જે અનુભવાતું હોય તે ક્ષયોપશમ સમકિત કહેવાય છે. (૧૦) લાયોપથમિક સમ્યક્ત પણ જધન્યથી અંતર્મુહૂર્ત સ્થિતિવાળું હોવાથી અને ઉત્કૃષ્ટથી છાશઠ સાગરોપમથી કંઈક અધિક સ્થિતિવાળું હોવાથી પ્રતિપાતી છે. જો કે ક્ષપક (સાયિક સમ્યક્તના પ્રારંભક)ને સમ્યગ્દર્શનના દલિક છેલ્લા પુદ્ગલના અનુભવરૂપ (એક સમયની સ્થિતિવાળુ) વેદક કહેવાય છે, તે (વેદક) પણ ક્ષાયોપશમિકનો ભેદ હોવાથી પ્રતિપાતી જ છે. તથા મિથ્યાત્વ, સમ્યગૃમિથ્યાત્વ અને સમ્યક્વમોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. ભાષ્યકાર કહે છે– खीणे दंसणमोहे, तिविहमि वि भवनियाणभूयंमि ॥ निप्पच्चवायमउलं, सम्मत्तं खाइयं होइ ॥११।। અનંતાનુબંધી ચતુષ્કના ક્ષય કર્યા બાદ સંસારના મૂલ કારણભૂત ત્રણ પ્રકારનો દર્શનમોહ ક્ષય થયે છતે અત્યંત વિશુદ્ધ, અતુલ્ય, ક્ષાયિક સમ્યકત્વ હોય છે. (૧૧) 1. ઉપશમસમકિતથી પડતા જીવને જે સમ્યક્તનો આસ્વાદ હોય છે તે ઉપશમના જ વમન સદૃશ હોવાથી ઉપશમનો જ ભેદ છે. 2. મિથ્યાત્વ અને મિશ્રપુજની અપેક્ષાએ ઉદયનો અટકાવ. 3. સમ્યક્તપુંજની અપેક્ષાએ મિથ્યાસ્વભાવ દૂર કરાય છે. 4. લાયોપથમિકમાં સમ્યક્ત પુજના દલિક, વિપાકોદયથી અને મિથ્યાત્વદલિક પ્રદેશોદયથી વેદાય છે. ઔપશમિકમાં કશું વદન થતું નથી. 5. અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ક્ષય કરી, છેલ્લે સમ્યકત્વમોહનીયને ખપાવતા એક સમય સ્થિતિક ચરમ પુદ્ગલના વેદનરૂપ અંશ તે જ વેદકસમ્યક્ત કહેવાય છે. * - 71.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy