SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने अजीवबन्धादिक्रियाणां द्वैविध्यम् ५८-६० सूत्राणि તેના પચ્ચખાણ ન કરવાથી જે કર્મનો બંધ તે અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા (૧૨). વળી બીજી રીતે બે ક્રિયા કહેલી છે– આમિયા જેવત્તિ–આરંભવં તે આરંભ, તેમાં થયેલી જે ક્રિયા તે આરંભિકી ક્રિયા, તથા 'પરિમાદિયા વેવ'ત્તિ—પરિગ્રહને વિષે જે થયેલી ક્રિયા તે પારિગ્રહિતી (૧૩). આરંભિકી બે પ્રકારે છે–'નીવરામિયા વેવ'ત્તિ–જીવોના ઉપમર્દન કરનારને જે કર્મબંધન તે જીવઆરંભિકી ક્રિયા, તથા અનીવામિયા વેવ'ત્તિ—અજીવોને, જીવોના કલેવરોને, પિષ્ટ (લોટ) વગેરેથી બનાવેલી જીવતી આકૃતિઓને1 અથવા વસ્ત્રાદિ પ્રત્યે આરંભ કરનારની જે ક્રિયા તે અજીવઆરંભિકી (૧૪). 'પારિજાદિયા વેવ'ત્તિ આ પારિગ્રહિક ક્રિયા આરંભિકી ક્રિયાની જેમ બે પ્રકારે જાણવી, કારણ કે તે ક્રિયા જીવપરિગ્રહ અને અજીવપરિગ્રહથી. થાય છે (૧૫). વળી બીજી રીતે બે ક્રિયા માયાવરિયા વેવ'ત્તિ–શઠપણું છે નિમિત્ત જે કર્મબંધની ક્રિયાનું અથવા જે વ્યાપારનું તે માયાપ્રત્યયા, 'મિચ્છી કંસ વરિયા વેવ'ત્તિ–મિથ્યાત્વ છે નિમિત્ત જે ક્રિયાનું) તે મિથ્યાદર્શનપ્રત્યયા (૧૬). માયા પ્રત્યયા બે પ્રકારે—'સાયમાવવંvયા વેવ'ત્તિ–અપ્રશસ્ત આત્મભાવનું જે વક્રીકરણપ્રશસ્તપણાનું દેખાડવું તે આત્મભાવવંકનતા ક્રિયા, વંકન (વાંકાઈ)ના બહુપણાની વિવક્ષામાં (તલુરૂપ) ભાવ પ્રત્યય વિરુદ્ધ નથી. તે વંકનતા, વ્યાપારરૂપ હોવાથી ક્રિયા છે, તથા 'પરમાવવંયા વેવ'ત્તિ–જૂઠા લેખ કરવા વગેરેથી બીજાના અભિપ્રાયને ઠગવા રૂપ ક્રિયા તે પરભાવવંકનતા, કારણ કે વૃદ્ધવ્યાખ્યા આવી છે–“તું તે ભાવમાય ને પરો વરિષ્ન ફૂડનેદારદ્ધિ 'રિ" (૧૭). બીજી પણ બે પ્રકારે–VIરિમિચ્છરંસગવત્તિયા વેવ'ત્તિ–આત્માદિ વસ્તુના પ્રમાણથી હીન અથવા અધિક કહેવા રૂપ જે મિથ્યાદર્શન, તે જ છે નિમિત્ત જે ક્રિયાનું તે ઊનાતિરિક્તમિથ્યાદર્શનપ્રત્યયા, તે આ પ્રમાણે-શરીર વ્યાપક આત્મા છે, તો પણ આત્માને કોઈપણ મિથ્યાદૃષ્ટિ, અંગુષ્ઠ પર્વ માત્ર યવમાત્ર] અથવા શ્યામાક નામા ચોખામાત્ર એમ હીનપણાએ માને છે. વળી અન્ય કોઈક પાંચશે ધનુષ્ય પ્રમાણ અથવા સર્વવ્યાપક છે એમ અધિકપણાએ સ્વીકારે છે, તથા ‘તધ્વરિત્તનછાવંસળવત્તા વેવ'ત્તિ-ઊનાતિરિક્તમિથ્યાદર્શનથી ભિન્ન જે મિથ્યાદર્શન–આત્મા નથી ઇત્યાદિ મતરૂપ નિમિત્ત છે જે ક્રિયાનું તે તદ્ગતિરિક્તમિથ્યા-દર્શનપ્રત્યયા (૧૮). વળી બીજી રીતે બે ક્રિયા છે–રિક્રિયા વેવ'ત્તિ–દૃષ્ટિથી થયેલી તે દૃષ્ટિજા અથવા દર્શન (જોવું) અથવા વસ્તુ નિમિત્તપણે છે જે ક્રિયામાં તે દૃષ્ટિકા-જોવા માટે જે ગતિક્રિયા. અથવા જોવાથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે દૃષ્ટિજા અથવા દૃષ્ટિકા ક્રિયા, તથા પુકિયા વેવ'ત્તિ-વૃષ્ટિ-પૂછવાથી થયેલી તે પૃષ્ટિજાપ્રશ્નથી ઉત્પન્ન થયેલ વ્યાપાર, અથવા પૃષ્ટ-પ્રશ્ન અથવા વસ્તુ તે છે કારણપણાએ જે ક્રિયામાં તે પૃષ્ટિકા, અથવા સ્મૃષ્ટિસ્પર્શ કરવાથી જે થયેલી ક્રિયા તે સ્મૃષ્ટિજો તેવી જ રીતે સ્મૃષ્ટિકા પણ જાણવી (૧૯). દૃષ્ટિકા બે પ્રકારે–'નીતિક્રિયા વેવત્તિ –અશ્વ વગેરે જોવા માટે જનારની જે ક્રિયા તે જીવદૃષ્ટિકા, અથવા નીતિક્રિયા વેવ'ત્તિ—અજીવ ચિત્રકર્મ વગેરેને જોવા માટે જનારની જે ક્રિયા તે અજીવદૃષ્ટિકા (૨૦). "ક્રિયા વેવ'ત્તિ-એવી રીતે પૃષ્ટિકા જીવ અને અજીવના ભેદ વડે બે પ્રકારે છે, તે આ પ્રમાણે જીવને અથવા અજીવને રાગ-દ્વેષ વડે પૂછનારની અથવા સ્પર્શ કરનારની જે ક્રિયા તે જીવપૃષ્ટિકા અથવા જીવસ્મૃષ્ટિકા તથા અજીવપૃષ્ટિકા અથવા અજવસ્મૃષ્ટિકા (૨૧). વળી બીજી રીતે બે ક્રિયા છે– 'પશ્વિયા રેવ'ત્તિ–બાહ્ય વસ્તુ પ્રત્યે પ્રતીત કરીને આશ્રય કરીને જે થયેલી ક્રિયા તે પ્રાતીત્યિકી, તથા 'સામંતોવળવારૂ વેવ'ત્તિ–સમંતાતુ (ચોતરફથી) ઉપનિપાત (મનુષ્યનો સમુદાય) તેમાં થયેલી જે ક્રિયા તે સામંતોપનિપાતિકી (૨૨). પ્રાતીત્યિકી બે પ્રકારે નવપકુન્નિયા વેવ'રિ–જીવને આશ્રયીને જે કર્મબંધ તે જીવપ્રાહિત્યિકી, તથા નીવપાન્નિયા વેવ'ત્તિ-અજીવને આશ્રયીને રાગદ્વેષ ઉત્પન્ન થયેલ અને તેનાથી થયેલ જે કર્મબંધ તે અજીવપ્રાહિત્યિક ક્રિયા (૨૩). અતિદેશથી બીજી પણ બે પ્રકારે દેખાડતાં થકાં કહે છે–vā સામંતોવળવાફયાવિ'ત્તિ-કોઈપણ મનુષ્યનો બળદ રૂપાળો છે, તેને બીજો મનુષ્ય જેમ જેમ વિશેષ જૂવે છે અને પ્રશંસા કરે છે તેમ તેમ તેનો માલીક આનંદ પામે છે, તે (રાગ)થી થયેલી ક્રિયા તે જીવસામંતોપનિપાતિકી, તથા રથ વગેરેને વિષે (રથાદિને જોનાર પ્રશંસે તેથી) હર્ષ થવાથી થયેલી જે ક્રિયા તે 1. વર્તમાનમાં વદિ ઉપર જે ચિત્રો હોય છે, સ્ટેમ્પ ઉપર જે ચિત્રો હોય છે તેને ફાડવાથી પણ આ ક્રિયા લાગે છે. 2. વર્તમાનમાં મોટર, સ્કુટર, મકાન, ટી.વી., વીડિયો આદિની પ્રશંસા સાંભળવાથી જે રાગ ઉત્પન્ન થાય છે તે. * 62
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy