SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने १५ सिद्धभेदाः ५१ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ જેટલી દૃષ્ટિઓ હોય તેઓને તેટલી દૃષ્ટિઓ કહેવી. તેમાં એકેંદ્રિયોને મિથ્યાત્વ જ છે, ત્રણ વિકસેંદ્રિયોને સમ્યકત્વ અને મિથ્યાત્વ છે અને શેષ સોળ દંડકમાં ત્રણે દૃષ્ટિઓ હોય છે ૭. લેશ્યાદંડક જ કૃષ્ણ અને શુક્લપક્ષવિશિષ્ટ અન્ય દંડક છે. Vદનેસાઈ પદક્ષિા [મિ' ત્યાઃિ ૮. આ આઠ પદ વડે ચોવીશ દંડકમાં એકેક વર્ગણા કહેવી. તે આઠ પદ આ પ્રમાણે ओहो १ भव्वाईहिं, विसेसिओ २ दसणेहिं ३ पक्खेहिं ४ । लेसाहिं ५ भव्व ६ दंसण ७ पक्खेहिं ८ विसिट्ठलेसाहिं ॥११५।। ૧. ઓઘ–સામાન્ય દંડક વર્ગણા, ૨. ભવ્યાદિથી વિશિષ્ટ પદવાળી વર્ગણા, ૩. દર્શન-દૃષ્ટિ સમ્યકત્વાદિ વિશિષ્ટ પદવાળી, ૪. કૃષ્ણાદિ પક્ષવિશિષ્ટ પદવાળી, ૫. કૃષ્ણાદિ વેશ્યાવિશિષ્ટ પદવાળી, ૬. ભવ્યવિશિષ્ટ વેશ્યા પદવાળી, ૭. દર્શનવિશિષ્ટ વેશ્યાવાળી અને ૮. પક્ષવિશિષ્ટ વેશ્યાવાળી વર્ગણા જાણવી. (૧૧૫). આની પછી હવે સિદ્ધની વર્ગણા કહેવાય છે. તેમાં સિદ્ધ બે પ્રકારના છે : ૧ અનંતરસિદ્ધ અને ૨ પરંપરસિદ્ધ. તેમાં અનંતરસિદ્ધો પંદર પ્રકારે છે. હવે તેઓની વર્ગણાનું એકપણું કહે છે...' તિલ્થ” ત્યવિના-તેમાં જેના વડે તરાય છે તે તીર્થ, દ્રવ્યથી નદી વગેરેના સમ અને નિર્દોષ ભૂમિભાગ હોય તે, અથવા બૌદ્ધાદિનું પ્રવચન-શાસન તે દ્રવ્યતીર્થ, દ્રવ્યતીર્થપણું, નદી વગેરેનું અપ્રધાનપણું હોવાથી છે અને ભાવથી તરવા યોગ્ય સંસારસાગરને દ્રવ્યતીર્થ વડે તરવા માટે અશક્ય હોવાથી તેમજ આ તીર્થનું સાવદ્યપણું હોવાથી અપ્રધાનપણું છે. ભાવતીર્થ તો સંઘ છે, જે કારણથી જ્ઞાનાદિ ભાવ વડે તેના (જ્ઞાનાદિના) પ્રતિપક્ષરૂપ અજ્ઞાનાદિથી અને ભાવભૂત સંસાર થકી તારે છે. ભાષ્યકાર કહે છેजंणाण-दसण-चरित्तभावओ तव्विवक्खभावाओ । भवभावओ य तारेइ, तेण तं भावओ तित्थं ॥११६।। [विशेशावश्यक० १०३३] જ્ઞાન-દર્શન–ચારિત્ર ભાવ વડે, તેના વિપક્ષભૂત અજ્ઞાનાદિ થકી અને સંસારભાવથી તરી જવાય માટે તે ભાવતીર્થ કહેવાય છે. (૧૧૬). અથવા ત્રિષ-ક્રોધરૂપી અગ્નિદાહનો ઉપશમ, લોભરૂપી તૃષ્ણાનો નિરાસ અને કર્મમલને દૂર કરવારૂપ આ ત્રણ લક્ષણમાં અથવા જ્ઞાનાદિલક્ષણરૂપ ત્રણ અર્થમાં જ રહે છે તે ત્રિસ્થ’ પ્રાકૃતશૈલીથી તિલ્થ' કહેવાય છે. ભાષ્યકાર કહે છેदाहोवसमादिसु वा, जं तिसु थियमहव दंसणाईसुं । तो तित्थं सङ्घो च्चिय, उभयं च विसेसणविसेस्सं ॥११७।। [विशेषावश्यक० १०३५] દાહોપશમાદિ અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્થમાં જે રહેલ હોય અથવા ત્રણમાં સ્થિતિરૂપ વિશેષણના વિશેષ્ય રૂપ જે રહેલ હોય, તે શ્રીસંઘ તીર્થ કહેવાય છે. (૧૧૭) તીર્થ તે સંઘ અથવા સંઘ તે તીર્થ. અહિં સંઘ વિશેષ્ય અને તીર્થ વિશેષણ અથવા તીર્થ વિશેષ્ય અને સંઘ વિશેષણ છે, અર્થાત્ બન્ને વિશેષણ અને વિશેષ્યભાવવાળા છે. ક્રોધરૂપી અગ્નિદાહનો ઉપશમ આદિ ત્રણ અર્થો-ફળો છે જેને તે “વ્યર્થ છે. પ્રાકૃત ભાષાથી તિત્ય' શબ્દ છે. ભાષ્યકાર કહે છે– कोहग्गिदाहसमणादओ व ते चेव तिनि जस्सऽत्था । होइ तियत्थं तित्थं, तमत्थसंदो फलत्थोऽयं ॥११८।। [विशेषावश्यक० १०३६] ક્રોધાગ્નિનો દાહ શમાવવાદિ રૂપે પૂર્વે કહેલા ત્રણ અર્થ જેના હોય તે ત્રિ અર્થ કહેવાય અથવા જ્ઞાનાદિ ત્રણ અર્થ જેનાથી અભિન્ન હોય તે ત્રિ અર્થ કહેવાય અને તે શ્રીસંઘ છે. (૧૧૮) અહિં અર્થ શબ્દ લવાચક છે, અથવા જ્ઞાનાદિ ત્રણ અર્થો-વસ્તુઓ છે જેને તે વ્યર્થ. વળી ભાષ્યકાર કહે છે - 49
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy