SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने नारकदेवसिद्धिः ५१ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ (ટી૦) પ્રસ્તુત વિષયમાં નેરા 'તિ–અવિદ્યમાનમય–નીકળી ગયું છે. ઇચ્છિત ફલરૂપ કર્મ જેનાથી તે નિરયો (નરકાવાસો), તેમાં ઉત્પન્ન થયેલા નૈરયિકો-ક્લેશવિશિષ્ટ જીવો. તે જીવો ભૂમિ, પાથડા, નરકાવાસ, સ્થિતિ અને ભવ્યત્વાદિ ભેદથી અનેક પ્રકારે છે. તે બધાઓની વર્ગણા-વર્ગ-સમુદાયરૂપ છે. સર્વત્ર નારકત્વાદિ પર્યાયો વડે સમાનપણું હોવાથી વર્ગણાનું એકપણું છે. તથા અસુરા-અસુરો તે નવીન યૌવનપણાએ કુમારોની માફક કુમારો હોવાથી અસુરકુમારો, તેઓની વર્ગણા એક છે. “વીસતંડ'ત્તિ ચોવીશ પદ વડે બંધાયેલ જે દંડક એટલે વાક્યની રીતિ ને ચોવીશ દંડક. તે અહિં કહેવા યોગ્ય છે. તે આ— नेरइया १ असुरादी १०, पुढवाइ ५ बेइंदियादयो चेव । नर १ वंतर १ जोतिसिया १, वेमाणी १ दंडओ एवं ।।९१।। સાત નૈરયિકોનો ૧ દંડક, અસુરાદિના ૧૦ દંડક, પૃથ્વી આદિના ૫ દંડક, બેઇઢિયાદિ તિર્યંચના ૪ દંડક, મનુષ્યનો ૧ દંડક, વ્યંતરનો ૧ દંડક, જ્યોતિષ્કનો ૧ દંડક અને વૈમાનિકનો ૧ દંડક. (૯૧) આ પ્રમાણે ચોવીશ દંડક કહેલા છે. ભવનપતિઓ દશ પ્રકારે છે– असुरा नाग सुवण्णा, विज्जू अग्गी य दीव उदही य । दिसि पवण थणियनामा, दसहा एए भवणवासि ।।१२।। [પ્રજ્ઞા ૩૭ ]િ ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિદ્યુતકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશિકુમાર, ૯ પવનકુમાર, ૧૦ સ્વનિતકુમાર એ દશ ભવનવાસી દેવોના નામ છે. (૯૨) - આ ગાથાના ક્રમ વડે આ સૂત્રો કહેવા. વેમાળિયા" વITTr'ત્તિ યાવત્ ચોવીશમા વૈમાનિક દંડક પર્વતની વર્ગણા એક છે. આ સામાન્ય (ઘ) દંડક છે. શંકા–નારકોની સત્તા (અસ્તિત્વ) જ દુઃસાધ્ય છે તો તેના ધર્મરૂપ વર્ગણાનું એકપણું વા અનેકપણું દૂર રહો (અર્થાત્ તે ક્યાંથી હોય?) કારણ કે-નારકો નથી, તો પછી આકાશના ફૂલની માફક નારકોના સાધક પ્રમાણનો અભાવ છે. સમાધાન–પ્રમાણનો અભાવ” જે તમે કહેલ તે હેતુ અસિદ્ધ છે, કારણ કે તેઓના સાધક અનુમાન પ્રમાણનો સદ્ભાવ છે. તે આ પ્રમાણે–અત્યંત પાપકર્મનું ફળ વિદ્યમાન ભોગવનાર વિશિષ્ટ છે. કર્મનું ફળ હોવાથી પુન્ય કર્મના ફળની જેમ. તિર્યંચ અને મનુષ્યો જ ઉત્કૃષ્ટ પાપલના ભોગવનારા નથી, કારણ કે ઔદારિક શરીરવાળા વડે ઉત્કૃષ્ટ પાપલનું વિશિષ્ટ દેવ જન્મના કારણભૂત પ્રકૃષ્ટ પુન્યના ફલની જેમ અશક્ય છે. કહ્યું છે કેपावफलस्स पगिठ्ठस्स, भोइणो कम्मओऽवसेस व्व । संति धुवं तेऽभिमया, नेरइया अह मई होज्जा ।।१३।। 'अच्चत्थदुक्खिया जे, तिरिय-नरा नारग-त्ति तेऽभिमया। तं नजओ सुरसोक्खप्पगरिससरिसं न तं दुक्ख।।१४।। युग्मम् વિશેષાવસ્થ૦ ૧૮૬૧-૨૬૦૦]. જેમ અવશેષ-જઘન્ય મધ્યમ પાપના ફલને ભોગવનારા તિર્યંચ અને મનુષ્યો છે તે પ્રત્યક્ષ જોવાય છે તેમ ઉત્કૃષ્ટ પાપના ફલને ભોગવનારા કોઈક ચોક્કસ છે; માટે તેવા પાપનું ફલ ભોગવનારા જે કોઈ છે તે નારકો છે, એમ સ્વીકારવું જોઈએ. અહિં કદાચ તમે એમ કહેશો કે (શંકા)–અત્યંત દુઃખી જે તિર્યંચ અને મનુષ્યો છે. તે જ ઉત્કૃષ્ટ પાપના ફલને ભોગવનારા હોવાથી તેઓને જ નારકો કહેવા જોઈએ. અદૃષ્ટની કલ્પના કરવાથી શો ફાયદો? સમાધાન–આ તમારી માન્યતા અયોગ્ય છે, કારણ કે જે એવા ઉત્કૃષ્ટ પાપના ફલને ભોગવનારા હોય તે સર્વથા પ્રકારે દુઃખી જ હોવા જોઈએ. જેવું દુખ નરકભૂમિમાં પ્રસિદ્ધ છે તેવું દુઃખ તિર્યંચ અને મનુષ્યોને હોતું નથી. દેવના ઉત્કૃષ્ટ સુખની માફક તિર્યંચ અને મનુષ્યોને જેમ ઉત્કૃષ્ટ સુખ નથી તેમ દુ:ખ પણ ઉત્કૃષ્ટ નથી. (૯૩-૯૪) શંકા–દેવો પણ વિવાદાસ્પદ હોવાથી, અર્થાત્ દેવો છે કે નહિં એ સંદેહ હોવાથી ‘વિશિષ્ટ દેવજન્મના કારણભૂત પ્રકૃષ્ટ પુન્ય લવતું’ એમ સિદ્ધાન્તીએ આપેલું જે દૃષ્ટાંત તે અસિદ્ધ છે. સમાધાન–અર્થસહિત દેવ' પદ શુદ્ધ પદ હોવાથી ઘટ નામની જેમ વ્યુત્પત્તિવાળું છે. તે કારણથી દેવો છે એમ પ્રતીતિ કરવી 1, સમાસ અને તદ્ધિતરહિત જે પદ તે શુદ્ધ પદ, કેવલ ક્રિયાપદથી બનેલું હોય તે. 43
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy