________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने नारकदेवसिद्धिः ५१ सूत्रम् એક છે, અભવ્યસિદ્ધિક નરયિકોની વર્ગણા એક છે. એવી રીતે યાવતું ભવ્ય સિદ્ધિક વૈમાનિકોની વર્ગણા એક છે અને અભવ્યસિદ્ધિક વૈમાનિકોની વર્ગણા એક છે. સમ્યગુદૃષ્ટિ જીવોની વર્ગણા એક છે, મિથ્યાદૃષ્ટિ જીવોની વર્ગણા એક છે, મિશ્રદૃષ્ટિ જીવોની વર્ગણા એક છે, સમ્યગુદૃષ્ટિ નૈરયિકોની વર્ગણા એક છે, મિથ્યાદ્રષ્ટિ નરયિકોની વર્ગણા એક છે, મિશ્રદૃષ્ટિ નરયિકોની વર્ગણા એક છે, એવી રીતે યાવત્ સ્વનિતકુમારની એક વર્ગણા કહેવી. મિથ્યાદૃષ્ટિ પૃથવીકાયિકોની વર્ગણા એક છે, એવી રીતે યાવત્ વનસ્પતિકાયિકોની વર્ગીણા એક છે, સમ્યગુદૃષ્ટિ બેઈદ્રિયોની વર્ગણા એક છે, મિથ્યાદૃષ્ટિ બેઈદ્રિયોની વર્ગણા એક છે, એવી રીતે તેઈદ્રિય, ચૌરિંદ્રિયોની પણ એક વણા જાણવી. શેષ (પંચેદ્રિયના) પાંચ દડકો નારકોની માફક જાણવા. યાવત્ મિશ્રદૃષ્ટિ વૈમાનિકોની એક વર્ગણા છે. કૃષ્ણપાક્ષિક જીવોની વર્ગણા એક છે, શુક્લપાક્ષિક જીવોની વર્ગણા એક છે, કૃષ્ણપાક્ષિક નરયિકોની વર્ગણા એક છે, શુક્લપાક્ષિક નિરયિકોની વર્ગણા એક છે, એવી રીતે ચોવીશ દંડકો કહેવા. કૃષ્ણલેશ્યાની વર્ગણા એક છે, નીલલેશ્યાની વર્ગણા એક છે, એમ યાવત્ શુક્લલશ્યાની વર્ગણા એક છે, કૃષ્ણલેશ્યાવાળા નરયિકોની વર્ગણા એક છે, યાવતું કાપોતલેશ્યાવાળા નિરયિકોની વર્ગણા એક છે. એવી રીતે જેને જેટલી વેશ્યાઓ છે તે કહે છે–ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકાયિકોને પહેલી ચાર લેશ્યા છે. તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિયોને પહેલી ત્રણ વેશ્યા છે, પંચેદ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોને છ વેશ્યા છે, જ્યોતિષ્ઠોને એક તેજોલેશ્યા છે, વૈમાનિકોને ઉપરની ત્રણ વેશ્યા છે. કુષ્ણલેશ્યાવાળા ભવ્યસિદ્ધિકોની વર્ગણા એક છે, કૃષ્ણલેશ્યાવાળા અભવ્યસિદ્ધિકોની વર્ગણા એક છે. એવી રીતે છે વેશ્યાને વિષે પણ બે બે પદો કહેવા. કુષ્ણલેશ્યાવાળા ભવ્યસિદ્ધિક રયિકોની વર્ગણા એક છે. કૃષ્ણલેશ્યાવાળા અભવ્યસિદ્ધિક નરયિકોની વર્ગણા એક છે, એવી રીતે (જે દંડકમાં) જેને જેટલી વેશ્યાઓ હોય તેને તેટલી વેશ્યાઓ કહેવી. કુષ્ણલેશ્યાવાળા સમ્યગુદૃષ્ટિકોની વર્ગણા એક છે, કષ્ણલેશ્યાવાળા મિથ્યાષ્ટિકોની વર્ગણા એક છે, કૃષ્ણલેશ્યાવાળા મિશ્રદૃષ્ટિકોની વર્ગણા એક છે, એવી રીતે છે વેશ્યાઓને વિષે યાવત્ વૈમાનિક દંડક સુધી જેઓને જેટલી દૃષ્ટિઓ હોય તેટલી વર્ગણા કહેવી. કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકોની વર્ગણા એક છે, કૃષ્ણલેશ્યાવાળા શુક્લપાક્ષિકોની વર્ગણા એક છે, એમ યાવત્ વૈમાનિકોના દંડક સુધી જેને જેટલી વેશ્યાઓ છે તેટલી પક્ષવિશિષ્ટ એકૈકી વર્ગણા કહેવી. એ આઠ બોલ ઓઘ વગેરે ચોવીશે દંડક વડે જાણવા. તીર્થસિદ્ધોની વર્ગણા એક છે, એવી રીતે થાવત્ એક સિદ્ધની વર્ગણા એક છે, અને અનેક સિદ્ધોની વર્ગણા એક છે, પ્રથમ સમય સિદ્ધોની વર્ગણા એક છે, એમ યાવતું અનંત સમય સિદ્ધોની વર્ગણા એક છે. પરમાણુ પુદ્ગલોની વર્ગણા એક છે એમ યાવત્ અનંતપ્રદેશિક સ્કંધોની વર્ગણા એક છે, એક પ્રદેશાવગાઢ (એક પ્રદેશને અવગાહીને રહેલ) પુદ્ગલોની વર્ગણા એક છે, એમ યાવત્ અસંખ્યાત પ્રદેશોને અવગાહી રહેલ પુદ્ગલોની વર્ગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વર્ગણા એક છે, યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વર્ગણા એક છે, એકગુણ કાળા વર્ણવાળા પુદ્ગલોની વર્ગણા એક છે, યાવત્ અસંખ્યાતગુણ કાળા વર્ણવાળા પુદ્ગલોની વર્ગણા એક છે, અનંત ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. એવી રીતે વર્ણો, ગંધ, રસો અને સ્પર્શીની વર્ગણા કહેવી, તે યાવત્ અનંત ગુણ રુક્ષે સ્પર્શવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. જઘન્ય પ્રદેશિક સ્કંધોની વર્ગણો એક છે, ઉત્કૃષ્ટ પ્રદેશિક સ્કંધોની વર્ગણા એક છે, અજઘન્ય-ઉત્કૃષ્ટ (મધ્યમ) પ્રાદેશિક સ્કંધોની વર્ગણા એક છે, એમ જઘન્ય અવગાહનાવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કંધોની અને મધ્યમ અવગાહનાવાળા સ્કંધોની વર્ગણા એકૈક છે. જઘન્ય સ્થિતિવાળા, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અને મધ્યમ સ્થિતિવાળા સ્કંધોની વર્ગણા એક છે, જઘન્ય ગુણ કાળા વર્ણવાળા, ઉત્કૃષ્ટગુણ કાળા વર્ણવાળા અને મધ્યમ ગુણ કાળા વર્ણવાળા સ્કંધોની વર્ગણા એક છે, એવી રીતે યાવતું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શીની વર્ગણા એકૈક કહેવી, યાવતું મધ્યમ ગુણ લૂખા સ્પર્શવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. //પ૧/
42.