SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ उपसर्गाः ३६१ सूत्रम् उवसज्जणमुवसग्गो, तेण तओ य उवसिज्जए जम्हा । सो दिव्वमणुयतेरिच्छ-आयसंचेयणाभेओ ॥२४२॥ [विशेषावश्यक ३००५ त्ति] પીડા પામવી તે ઉપસર્ગ અથવા જેના વડે જીવને પીડા પમાય તે ઉપસર્ગ. તે ઉપસર્ગ દેવ, મનુષ્ય, તિર્યંચ અને આત્મા સંવેદનથી એમ ચાર પ્રકારે થાય છે. (૨૪ર) આત્મા વડે ‘સત્યો '-કરાય છે તે આત્મસંચેતનીય ૧. તેમાં દિવ્ય ઉપસર્ગો 'હાસ' ત્તિ હાસ્યથી થાય છે અથવા હાસ વડે ઉત્પન્ન થવાથી હાસઉપસર્ગો. એવી રીતે અન્ય ઉપસર્ગોમાં પણ જાણવું. જેમ ભિક્ષાને અર્થે ગ્રામાંતરમાં ગયેલ કૂલ્લક મુનિઓએ વ્યંતરી પાસે પ્રાર્થના કરી કે “જો અમે ઇચ્છિત ભોજન મેળવશું તો તને ઉઠરેક (રેવડી) વગરે આપશું” એમ અંગીકાર કરીને ઇષ્ટભોજન પ્રાપ્ત થયે છતે “આ તારું છે' એમ કહીને તે ઉડરેકાદિ તેઓએ પોતે જ ખાધું. દેવીએ હાસ્ય વડે તેઓના રૂપને છુપાવીને તેઓની સાથે ક્રીડા કરી. ક્ષુલ્લક મુનિઓ ન આવ્યું છતે ગચ્છના મુનિઓએ વ્યાકુલ થઈ આચાર્ય પાસે નિવેદન કર્યું કે દેવીએ ક્ષુલ્લકોને આ પ્રમાણે વિન કરેલ છે. બાદ વૃષભ (સમર્થ) મુનિઓએ ઉડરેકાદિ યાચીને તે દેવીને આપ્યું ત્યારે જ તેણીએ ક્ષુલ્લક મુનિઓને બતાવ્યા. પ્રદ્વેષથકી જેમ સંગમેક દેવે મહાવીર ભગવંતને ઉપસર્ગો કર્યા. વિમર્શ-પરીક્ષાથી એજ વર્ષાઋતુને વિષે કોઈક દેવકુલિકા (દરી) માં કેટલાએક મહાનુભાવ સાધુઓ ચાતુર્માસ રહેલા. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ તેઓ અન્યત્ર ગયા. તેમાંથી એક સાધુ પુનઃ તે દેવકુલિકામાં આવીને રહ્યો ત્યારે દેવીએ વિચાર્યું કે-આ સાધુ કેવો છે? એમ તેની પરીક્ષા કરવા માટે ઉપસર્ગ કરવા લાગી. પૃથક્ન-ભિન્ન ભિન્ન પ્રકારની માત્રા-હાસ્યાદિ વસ્તુરૂપ છે જેને વિષે તે પૃથગૃવિમાત્રા, અથવા પૃથગૂ-વિવિધ માત્રા વડે (આ લોપ થયેલ તૃતીયા વિભક્તિના એકવચનવાળું પદ જાણવું.) હાસ વડે કરીને પ્રàષ વડે ઉપસર્ગ કરે છે, એવી રીતે સંયોગવાળા થાય છે, જેમાં સંગમકદેવજ વિમર્ષદ્વારા પ્રષ વડે ઉપસર્ગ કરતો હતો.. ૨. મનુષ્ય સંબંધી હાસ્યથી, જેમ ગણિકાની પુત્રી ક્ષુલ્લક મુનિને ઉપસર્ગ કરતી હતી. ક્ષુલ્લકમુનિ વડે તે ગણિકાની પુત્રી દંડ વડે તાડન કરાઈ. બાદ રાજદ્વારમાં તે બન્નેનો વિવાદ થવાથી ક્ષુલ્લકમુનિએ ભંડારનું દૃષ્ટાંત કહ્યું. જિમ રાજાના ભંડારની ચોરી કરનારને તાડન કરાય છે તેમ આ ગણિકાની પુત્રી પણ સાધુના આચારરૂપ ભંડારના શીલરૂપી રત્નને ચોરનારી છે માટે મેં તેણીને દાંડા વડે મારેલ છે.] પ્રàષથી જેમ ગજસુકુમાર મુનિ સોમિલ બ્રાહ્મણદ્વારા મરાયા. પરીક્ષાથી જેમ ચાણક્યના કથનથી ચંદ્રગુપ્ત રાજાએ ધર્મની પરીક્ષા માટે અંતઃપુરમાં અન્યલિંગીઓને બોલાવ્યા અને ધર્મની વ્યાખ્યા કરાવવા દ્વારા ક્ષોભિત કર્યા, પરંતુ જૈન સાધુઓને ક્ષોભ પમાડવાને માટે સમર્થ ન થયો. કુશીલ એટલે અબ્રહ્મનું પ્રતિસેવન, તેનો ભાવ તે પ્રતિસેવનતા ઉપસર્ગ અથવા કુશીલનું પ્રતિસેવન છે જેઓને વિષે તે પ્રતિસેવનકો અથવા કુશીલની પ્રતિસેવના વડે એમ વ્યાખ્યાન કરવું. જેમ પ્રોષિત-પરદેશ ગયેલા ભરવાળી ઈમ્બેલું સ્ત્રીના ઘરને વિષે સાયંકાલના સમયે વસતિ-ઉપાશ્રય માટે સાધુ આવ્યા ત્યારે તે ઇર્ષ્યાલ એવી ચાર સ્ત્રીઓએ સાધુને રહેવા માટે આવાસ આપ્યો. પછી દરેક સ્ત્રીએ ચાર પ્રહર પર્યત સાધુને ઉપસર્ગ કર્યો પણ તે ક્ષોભ ન પામ્યા. ૩. ભયથી શ્વાન વગેરે તિર્યંચો કરડે છે, પ્રષથી ચંડકૌશિક નાગ ભગવાનને ડશ્યો (ડંખ માર્યો), આહારના હેતુથી સિંહ વગેરે અને સંતાન તથા સ્થાનની રક્ષા કરવા માટે કાગડી વગેરે ઉપસર્ગ કરે. ૪. આત્મસંચેતનીયાપોતાથી કરાયેલા ઉપસર્ગો. ઘટ્ટણતા-ઘસવું અથવા ઘાસ વડે, જેમ આંખમાં રજ પડવાથી આંખને હાથ વડે મશળી તેથી દુઃખને માટે શરૂઆત કરી અથવા સ્વયમેવ આંખમાં કે ગળામાં માંસના અંકુર વગેરે થયેલ હોય તેને ઘસે, પ્રપતનતા-પડવાપણું અથવા પડવા વડે જેમ ઉપયોગ વિના ચાલનારનું પતન થવાથી દુઃખ ઉત્પન્ન થાય છે તે, સ્તંભનતા અથવા સ્તંભન વડે, જેમ ત્યાં સુધી બેઠો ઊભો રહ્યો અને સૂતો કે જ્યાં સુધી પગ વગેરે સ્તબ્ધ અકડાઈ જાય તે સ્તંભનતા, શ્લેષણતા અથવા શ્લેષણા વડે, એવી રીતે પગને સંકુચીને રહ્યો કે જેથી વાયુ વડે પગ રહી ગયો-મળી ગયો. અહિં આ સંબંધી ગાથાઓ દર્શાવે છે– 1. અન્યલિંગીઓનું શીલ દઢ ન હોવાથી રાજાની રાણી વગેરેના રૂપમાં વ્યામોહ પામ્યા અને સાધુઓ તો શીલમાં દઢ હોવાથી રાણીના આવાસની સામું પણ જોયું નહિં. 476
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy