________________
४ स्थानकाध्ययने उद्देशः ४ उदकोदधिसमपुरुषाः ३५८ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ હૃદયવાળો છે, ૨. કોઈક બાહ્ય ચેષ્ટથી કારણને લઈને તુચ્છ છે પણ સ્વભાવથી ગંભીર હૃદયવાળો છે, ૩. કોઈક બાહ્ય ચેષ્ટાથી ગંભીર છે પણ સ્વભાવથી તુચ્છ હૃદયવાળો છે ૪. અને કોઈક બાહ્ય ચેષ્ટાથી ગંભીર અને ગંભીર હૃદયવાળો છે (૨) ચાર પ્રકારના ઉદક કહેલા છે, તે આ પ્રમાણે–૧, કોઈક પાણી ઉત્તાન-છીછરું છે અને છીછરા જેવું દેખાય છે, ૨. કોઈક છીછરું છે પણ સાંકડા સ્થાનવિશેષથી ઊંડું દેખાય છે, ૩. કોઈક અગાધ પાણી છે પણ વિસ્તારવાળા સ્થાનને લઈને છીછરા જેવું દેખાય છે અને ૪. કોઈક પાણી અગાધ છે અને અગાધ (ગંભીર) દેખાય છે. (૩) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ પ્રકૃતિથી તુચ્છ છે અને તુચ્છ જેવો દેખાય છે, ૨. કોઈક પ્રકૃતિથી તુચ્છ છે પણ બાહ્યવૃત્તિથી ગંભીર જેવો દેખાય છે, ૩. કોઈક પ્રકૃતિથી ગંભીર છે પણ કારણવશાત્ તુચ્છ જેવો દેખાય છે અને ૪ કોઈક પ્રકૃતિથી ગંભીર છે અને ગંભીર જેવો દેખાય છે. (૪) ચાર પ્રકારના સમુદ્રો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક સમુદ્ર એક દેશ-વિભાગમાં પ્રથમ પણ તુચ્છ છે અને પછી પણ તુચ્છ છે, ૨, કોઈક સમુદ્ર એક વિભાગમાં પ્રથમ તુચ્છ છે પણ પછી વેલ-ભરતી આવવાથી ગંભીર છે, ૩. કોઈક સમુદ્ર એક વિભાગમાં પ્રથમ ગંભીર છે પણ ઓટ થવાથી ત૭ છે અને ૪. કોઈક સમુદ્ર પ્રથમ અને પછી પણ ગંભીર છે. (૫) આ દૃષ્ટતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક પુરુષ પ્રથમ પણ તુચ્છ અને પછી પણ તુચ્છ છે, ૨. કોઈક પ્રથમ તુચ્છ પણ પછીથી ગંભીર છે, ૩. કોઈક પ્રથમ ગંભીર પણ પછીથી તુચ્છ છે અને ૪. કોઈક પ્રથમ ગંભીર અને પછીથી પણ ગંભીર છે. (૬) ચાર પ્રકારના સમુદ્રો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક સમુદ્ર ત છે અને તચ્છ જેવો દેખાય છે. ૨. કોઈક તચ્છ છે પણ ગંભીર જેવો દેખાય છે. ૩. કોઈક ગંભીર છે પણ તુચ્છ જેવો દેખાય છે અને ૪. કોઈક સમુદ્ર ગંભીર છે અને ગંભીર જેવો દેખાય છે. (૭) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે કોઈક પુરુષ પ્રકૃતિથી તુચ્છ છે અને બાહ્ય વૃત્તિથી તુચ્છ જેવો દેખાય છે એમ પૂર્વોક્ત રીતે
ચોથા સૂત્રની માફક ચતુર્ભાગી જાણવી. ૩૫૮l (ટીઓ) 'વત્તારી'ત્યાર સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે-ઉદક-પાણી કહેલા છે તેમાં ૧. કોઈક જળ ઉત્તાન-તુચ્છપણાથી છીછરું છે, વળી સ્વચ્છપણાને લઈને મધ્ય સ્વરૂપ દેખાતું હોવાથી ઉત્તાનોદક છે. ('સત્તાપો' ત્તિઆ નિર્દેશ, સમાસરહિત પ્રાકૃતશૈલીને અંગે સમસ્ત પદની જેમ જણાય છે.) મૂલમાં સ્વીકારેલ ઉદક શબ્દ વડે આ પદ કહેલ અર્થવાળું થશે એમ કહેવું નહિં, કેમ કે તેનું (ઉદક શબ્દનું) બહુવચનાતપણા વડે અહિં અસંબંધ્યાનપણું છે. સાક્ષાત્ ઉદક શબ્દ છે તો બહુવચનાત ઉદક શબ્દને લાવવા વડે તેના વચનના પરિમાણથી શું પ્રયોજન છે? એવી રીતે ઉદધિ સૂત્રને વિષે પણ ભાવવું. તથા ૨. ઉત્તાન પૂર્વની જેમ અને ગંભીર ઉદક મલિન હોવાથી તેનું સ્વરૂપ જણાતું નથી, ૩. ગંભીર-બહુ જળ હોવાથી અગાધ છે અને સ્વચ્છપણાને લઈને મધ્ય સ્વરૂપ દેખાતું હોવાથી ઉત્તમોદક છે, ૪. અગાધ હોવાથી ગંભીર, વળી મલિન સ્વરૂપ હોવાથી ગંભીરોદક છે. (૧) ૧ પુરુષ તો ઉત્તાન–બહારથી દેખાડેલ મદ અને દીનતા વગેરેથી થયેલ વિકૃત શરીર અને વચનની ચેષ્ટાથી અગંભીર-તુચ્છ છે, વળી દૈન્ય વગેરે ગુણથી યુક્ત અને ગુહ્યને ધારણ કરવામાં અસમર્થ ચિત્તવાળો હોવાથી ઉત્તાનતુચ્છ (હૃદય) છે–આ એક, બીજો કારણવશા દેખાડેલ વિકૃત ચેષ્ટાથી ઉત્તાન છે અને સ્વભાવથી ઉત્તાન હૃદયના વિપરીતપણાથી ગંભીર હદયવાળો છે. ત્રીજો તો દેન્યાદિવાળો છતે પણ કારણવશાત્ આકારને ગોપવવા વડે ગંભીર અને ઉત્તાનહૃદય પૂર્વની જેમ અર્થાત્ સ્વભાવથી તુચ્છ હૃદયવાળો છે અને ચોથો પ્રથમ ભંગથી વિપરીત હોવાથી બાહ્યથી અને અંતરથી ગંભીર છે. (૨) તથા પ્રતલપણાથી-થોડું પાણી હોવાથી ઉત્તાન અને સ્થાનવિશેષથી ઉત્તાન જેવો દેખાય છે આ એક, દ્વિતીય-ઉત્તાન પૂર્વવત્ પણ સાંકડા સ્થાન વગેરેથી અગાધ જેવો દેખાય છે, તૃતીય ગંભીર છે અને તથાપ્રકારના સ્થાનના આશ્રિતપણા વગેરેથી ઉત્તાનની માફક દેખાય છે, ચિતુર્થ ગંભીર અને ગંભીર માફક દેખાય છે) (૩) પુરુષ તો ઉત્તાન-તુચ્છ અને ઉત્તાન જ દેખાય છે–આ એક, બીજો તુચ્છ છે પણ વિકારને ગોપવવાથી ગંભીર જેવો દેખાય છે, તૃતીય ગંભીર છે પણ કારણવશાત્ વિકારત્વને
471